PMની મુલાકાત સમયે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડ જવાનનું મોત: વડોદરાના કિશનવાડીમાં ફરજ દરમિયાન હાર્ટ-એટેક આવ્યો, બેભાન થતા સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો

PMની મુલાકાત સમયે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડ જવાનનું મોત:વડોદરાના કિશનવાડીમાં ફરજ દરમિયાન હાર્ટ-એટેક આવ્યો, બેભાન થતા સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો
Email :

વડોદરામાં વડાપ્રધાન મોદીની મુલાકાત સમયે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડનું ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું છે. કિશનવાડી વિસ્તારમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાન નીતેશ જારીયાનું હાર્ટ-એટેકથી મોત થયુ છે. ઘટનાને પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે આક્રંદ કર્યું હતું. સાથે પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે, કિશનવાડીથી છેક સયાજી હોસ્પિટલમાં લઈ ગયા, નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હોત તો બચી જાત. ઉલ્લેખનીય છે કે, બે મહિલાને પણ કાર્યક્રમ દરમિયાન બેભાન થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ખસેડાઈ છે. સ્ટાફના લોકો હોસ્પિટલ પહોંચ્યાં હોમગાર્ડ નીતેશ જારીયાના લગ્ન થઈ ગયેલા છે અને દોઢ વર્ષનો પુત્ર પણ છે. નીતેશ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન નીતેશને ગભરામણ થતા ઢળી પડ્યો હતો, જેથી તેને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હોમગાર્ડ જવાન લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. હાલમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અને પોલીસકર્મીઓ સયાજી હોસ્પિટલ પહોંચ્યા છે. આ લોકો નજીકની હોસ્પિટલમાં ન લઈ ગયાંઃ મૃતકનો ભાઈ આ મામલે

મૃતકના ભાઈ નિલેશ જારીયાએ જણાવ્યું કે, મારા મોટાભાઈ હોમગાર્ડમાં હતા અને ફરજ પર મોત થઈ ગયું છે. ડોક્ટરે કહ્યુ કે, ગભરામણ જેવું થઈ ગયું હતું. આ લોકો કહે છે કે, કિશનવાડી હતા. કિશનવાડીની નજીકની હોસ્પિટલમાં ન લઈ ગયા પણ આ લોકોને સયાજી હોસ્પિટલમાં લાવવાનું બેટર લાગ્યું. અહીં પહોંચતા મોડું થઈ ગયું. નજીકની હોસ્પિટલમાં લઈ જવાને બદલે અહીં લાવ્યાં. તેમના લગ્ન થઈ ગયા છે અને એક દોઢ-બે વર્ષનો દીકરો પણ છે.

Leave a Reply

Related Post