ન્યુ ગુજરાત ઈમ્પેક્ટ: 8 વર્ષ બાદ બ્રિજ શરૂ થવાની આશા; લોકોને 12 કિમીથી વધુના ફેરામાંથી કામમી મુક્તિ મળશે

ન્યુ ગુજરાત ઈમ્પેક્ટ:8 વર્ષ બાદ બ્રિજ શરૂ થવાની આશા; લોકોને 12 કિમીથી વધુના ફેરામાંથી કામમી મુક્તિ મળશે
Email :

વાલોડ તાલુકામાં હથુકા-ગોડધા રોડથી અધ્યાપોર ગામને જોડતા પૂર્ણા નદી પરના પુલની કામગીરી આઠ વર્ષના લાંબા વિલંબ બાદ આખરે પૂર્ણ થવાની નજીક છે. 2017માં રૂ. 4 કરોડના ખર્ચે શરૂ થયેલા આ પુલનું નિર્માણ પૂર્ણ થયું હોવા છતાં, જમીન સંપાદનની ભૂલ અને એપ્રોચ રોડની માટી ચોરી જેવી સમસ્યાઓએ તેને "સફેદ હાથી’ બનાવી દીધો હતો. હવે,

સ્થાનિક મથાગાંઠ અને ન્યુ ગુજરાતના અહેવાલોના પગલે, ગોડધા બાજુના એપ્રોચ રોડનું કામ શરૂ થયું છે, જેનાથી આ પુલ ટૂંક સમયમાં લોકો માટે ઉપયોગી બનશે.હાલમાં અધુરા એપ્રોચ રોડની કામગીરી શરૂ કરી છે આ બ્રિજની કામગીરી જમીન સંપાદનની ભૂલે અટકી હતી વર્ષ 2017માં પુલનું નિર્માણ શરૂ થયું ત્યારે અધિકારીઓ એપ્રોચ રોડ માટે જરૂરી જમીન

સંપાદન કરવાનું ભૂલી ગયા હતા. પુલનું બાંધકામ પૂર્ણ થયા બાદ જાણવા મળ્યું કે ગોડધા બાજુની એક ખાનગી જમીન સંપાદિત થઈ નથી. આ જમીનના માલિક ખેડૂતે વિરોધ નોંધાવીને કામગીરી અટકાવી દીધી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. આખરે, ખેડૂતે લોકોના હિતને ધ્યાનમાં રાખીને જમીન સંપાદન માટે સંમતિ આપી. જોકે, જમીન સંપાદન થયા બાદ

પણ એપ્રોચ રોડનું નિર્માણ શરૂ ન થતાં પુલ ઉપયોગ વિહોણો રહ્યો. આઠ વર્ષના લાંબા વિલંબ, હથુકા-ગોડધા પુલનું એપ્રોચ રોડ નિર્માણ હવે શરૂ થયું છે. આ પુલ ટૂંક સમયમાં લોકોની અવરજવરને સરળ બનાવશે માટી ચોરીનો ગંભીર મામલો પુલના ગોડધા બાજુના એપ્રોચ રોડ માટે ઉપયોગમાં લેવાયેલી માટીની સ્થાનિકો દ્વારા JCB મશીન વડે ચોરી કરવામાં

આવી હતી, જેને પોતાના ખેતરોમાં નાખવામાં આવી. આ ગંભીર ગેરરીતિ સામે અધિકારીઓએ કોઈ કાયદેસર પગલાં લીધા ન હતા, જેના કારણે પુલની ઉપયોગિતા વધુ વિલંબિત થઈ. ડ્રોન તસવીર - હરેન્દ્રસિંહ બારડ આ પુલના લોકો માટે ઉપયોગી થવાથી ગોડધા, કલકવા, ધરમપુરા, અલગઢ, અંધાત્રી, પેલાડ બુહારી, બેડા રાયપુરા સહિત નવસારી જિલ્લાના ગામોને જોડતો ટૂંકો માર્ગ ઉપલબ્ધ

થશે. આનાથી લોકોને 12 થી 15 કિલોમીટરનો ફેરવો બચશે, અને તેઓ સરળતાથી ટૂંકા માર્ગે મુસાફરી કરી શકશે. આ મામલે ‘ન્યુ ગુજરાત’ દ્વારા વિગતવાર અહેવાલ પ્રકાશિત થયા બાદ અધિકારીઓનું ધ્યાન આકર્ષાયું. હાલમાં, છેલ્લા બે દિવસથી ગોડધા બાજુના એપ્રોચ રોડનું નિર્માણ શરૂ થયું છે. આ કામગીરી પૂર્ણ થતાં પુલ આખરે લોકો માટે ઉપયોગી બનશે.

Leave a Reply

Related Post