હૃતિક રોશનની બહેન હંમેશા દારૂનાં નશામાં રહેતી હતી!: સુનૈનાએ કહ્યું- પલંગ-ખુરશી પરથી પડી જતી, આદત છોડવા રિહેબ સેન્ટર જવું પડ્યું

હૃતિક રોશનની બહેન હંમેશા દારૂનાં નશામાં રહેતી હતી!:સુનૈનાએ કહ્યું- પલંગ-ખુરશી પરથી પડી જતી, આદત છોડવા રિહેબ સેન્ટર જવું પડ્યું
Email :

હૃતિક રોશનની બહેન સુનૈના રોશને એક સમયે દારૂની ખરાબ આદત લાગી ગઈ હતી. હવે તાજેતરમાં તેણે આ લતની શરૂઆતથી લઈને અંત સુધીની સંપૂર્ણ કહાની જણાવી છે. સુનૈનાએ જણાવ્યું છે કે- એક સમયે તે એટલો દારૂ પીતી હતી કે તે પલંગ અને ખુરશી પરથી પડી જતી હતી. આ જ કારણ હતું કે- તેણે પોતે તેના માતાપિતાને કહ્યું કે

તે રિહેબ સેન્ટર (નશા મુક્ત માટેનું સ્થળ) જવા માંગે છે. પિંકવિલાને આપેલાં ઇન્ટરવ્યૂમાં, સુનૈના રોશનને પૂછવામાં આવ્યું કે- તમને દારૂની ખરાબ લત લાગી છે આ વિશે ક્યારે ખ્યાલ આવ્યો? આના પર તેણે કહ્યું, મેં મારી જાતને નુકસાન પહોંચાડ્યું છે. હું પથારી પરથી પડી જતી. હું ખુરશી પર સીધી બેસી નહોતી શકતી. મારા શરીર પર ઘણી ઈજાના

નિશાન છે. મારી સ્કિનનો કલર બદલાઈ જતો હતો. મેં આ બધાનો સામનો કર્યો છે. શરૂઆતમાં આપણે એક કે બે પેક પીએ છીએ પછી ધીમે ધીમે દારૂની લત લાગે છે અને જ્યારે અસુરક્ષિત તબક્કામાં પહોંચીએ ત્યારે તમારા શરીરને દરેક સમયે તેની વધુ જરૂર પડે છે. સુનૈનાના મતે, તે ટીબી, કેન્સર અને હર્પીસ જેવા ગંભીર બીમારી સામે લડતાં-લડતાં કંટાળી

ગઈ હતી. આ જ કારણ છે કે તેણે દારૂ પીવાનું શરૂ કર્યું. આના પર તેણે કહ્યું, હું મારી બીમારીઓ સાથે વધારે લડી શકું તેમ નહોતી. મને એકલું લાગતું હતું. મને લાગતું હતું કે દારૂ મારા મનને શાંત કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને ખૂબ જ ખરાબ લત લાગી જશે. આ બધું ધીમે

ધીમે થયું અને શરીરને વધુ પાણીની જરૂર પડવા લાગી. સુનૈનાએ વાતચીતમાં જણાવ્યું કે, તેની હાલત જોઈને તેણે પોતે જ તેના માતાપિતાને કહ્યું કે- તે રિહેબમાં જવા માંગે છે. તેણે તેના માતાપિતાને કહ્યું હતું કે- તે ભારતમાં નહીં પણ કોઈ વિદેશના રિહૈબ સેન્ટરમાં જશે. રિહેબનો પોતાનો અનુભવ શેર કરતાં સુનૈનાએ જણાવ્યું કે- 6-7 કાઉન્સેલર મારી આસપાસ રહેતા. આ

28 દિવસનો કોર્સ હતો અને તે સામાન્ય કરતા બિલકુલ જ અલગ હતો. તેણે વધુમાં જણાવ્યું કે- 28 દિવસના કોર્ષ દરમિયાન, તે એક પણ દિવસ સૂઈ શકી નહોતી અને તેને એક રૂમમાં બંધ કરી દિવસ-રાત 8-9 કલાક સતત પૂછપરછ કરવામાં આવી હતી, જેના કારણે તે સંપૂર્ણપણે થાકી ગઈ હતી. પરિણામે આજે સુનૈના એ વ્યસનથી મુક્તિ મેળવી લીધી છે.

Leave a Reply

Related Post