હવે ફિલ્મોમાં AI એક્ટર્સ જોવા મળશે: ફિલ્મ ડિરેક્ટર શેખર કપૂરે કહ્યું- મને શાહરુખ-અમિતાભની જરૂર નથી, હું મારા પોતાના AI સ્ટારથી ફિલ્મો બનાવીશ

હવે ફિલ્મોમાં AI એક્ટર્સ જોવા મળશે:ફિલ્મ ડિરેક્ટર શેખર કપૂરે કહ્યું- મને શાહરુખ-અમિતાભની જરૂર નથી, હું મારા પોતાના AI સ્ટારથી ફિલ્મો બનાવીશ
Email :

ફિલ્મ પ્રોડ્યુસર શેખર કપૂર WAVES 2025 કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે હવેના યુગમાં તેમને તેમની ફિલ્મો માટે અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવા કલાકારોની જરૂર નથી, કારણ કે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી કોઈ પણ પ્રોડ્યુસર પોતાનું પાત્ર અને સ્ટાર બનાવી શકે છે. આમ, હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં AIના પ્રવેશની ચર્ચાએ વેગ પકડી લીધો છે. ફિલ્મ નિર્માતાઓનું કહેવું છે કે નવા જમાનામાં મનુષ્ય એક્ટરથી નહીં પરંતુ પોતે જનરેટ કરેલા AI સુપર

સ્ટાર્સ થી ફિલ્મો બનાવશે તે દિવસો દૂર નથી. શેખર કપૂરે WAVES 2025 કાર્યક્રમમાં કહ્યું કે, 'આવનારા સમયમાં ફિલ્મોમાં મોટા સ્ટાર્સ બનાવવાનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કરવામાં આવશે. તેમણે સમજાવ્યું કે એક્ટર ફક્ત એક્ટર જ રહી જશે કારણ કે ભવિષ્યમાં AI સ્ટાર્સ બનાવશે. AI સુપર મેન જેવા સ્ટાર બનાવશે. આનો અર્થ એ થયો કે AI હવે એવા પાત્રો અથવા ચહેરાઓ બનાવી શકશે જે બિલકુલ માણસો જેવા દેખાશે.' તેમણે કહ્યું, 'હું પોતે AI ની મદદથી

એક નવો ચહેરો બનાવી શકું છું.' પછી ભલે તે છોકરો હોય, છોકરી હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય અને તેના પર મારો કોપીરાઈટ રહેશે. મતલબ કે તે મારા પોતાના બનાવેલા સ્ટાર હશે, જેનો હું મારી ફિલ્મોમાં ઉપયોગ કરી શકીશ. AI ફિલ્મો માટે ઘણા વિચારો ખૂબ જ ટૂંક સમયમાં બહાર આવશે.' 'શેખર કપૂરે કહ્યું કે હવે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે ફિલ્મ બનાવવા માટે અમિતાભ બચ્ચન કે શાહરુખ ખાન જેવા કોઈ મોટા અભિનેતાની

જરૂર નહી પડે. તેમણે કહ્યું કે આજકાલ સોશિયલ મીડિયા પર જોવા મળતા ઘણા ઇન્ફ્લુએન્સર્સ અથવા સેલિબ્રિટી વાસ્તવિક માણસો નથી પણ AI દ્વારા બનાવવામાં આવ્યા છે.' 'આનો અર્થ એ થયો કે AI હવે એવા ચહેરા અને પાત્રો બનાવી શકે છે જે વાસ્તવિક દેખાય છે, તેમની પાછળ કોઈ માનવી નથી. પરંતુ તેમ છતાં તેઓ પ્રખ્યાત થાય છે. તો શા માટે આપણે એવા કલાકારો અને પાત્રોથી ફિલ્મો ન બનાવી શકીએ જે આપણે AI નો ઉપયોગ કરીને બનાવી

છે અને પોતે જ સ્ટાર બની જાય છે?' 'મને અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનની જરૂર નથી. જો હું ખરેખર સારો હોઉં, તો હું એવું પાત્ર બનાવીશ જે દર્શકોને ગમશે. પછી તે મારો પોતાનો અભિનેતા બનશે. મારી પોતાની દુનિયાનો સુપરસ્ટાર.' શેખરના મતે, AI સામાન્ય લોકોને તેમના વિચારો અને કલા વ્યક્ત કરવાની મંજૂરી આપીને મદદ કરે છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે મશીનો પર વધુ પડતો આધાર રાખવો જોઈએ નહીં. મનુષ્યો અને AI વચ્ચેનો સૌથી

મોટો તફાવત એ છે કે મનુષ્યો લાગણીઓને સમજી શકે છે અને મુશ્કેલ કે અજાણી બાબતોનો સામનો કરી શકે છે. શેખરે કહ્યું કે 'જીવનમાં રહસ્ય અને અનિશ્ચિતતા જ આપણને જીવવાની શક્તિ આપે છે.' શેખર કપૂરે આ ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે શેખર કપૂર 'માસૂમ', 'મિસ્ટર ઈન્ડિયા', 'બેન્ડિટ ક્વીન' અને બ્રિટિશ બાયોગ્રાફિકલ ડ્રામા 'એલિઝાબેથ' અને તેની સિક્વલ 'એલિઝાબેથ: ધ ગોલ્ડન એજ (2007)' જેવી ફિલ્મોના ડિરેક્શન માટે જાણીતા છે. તાજેતરમાં તેમને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Related Post