Summerની આકરી ગરમીમાં પેટની સમસ્યાથી છો પરેશાન, કરો દહીંનું સેવન:

Summerની આકરી ગરમીમાં પેટની સમસ્યાથી છો પરેશાન, કરો દહીંનું સેવન
Email :

ઉનાળાની આકરી ગરમીમાં મોટાભાગના લોકો પેટની સમસ્યાઓને લઈને ફરિયાદ કરતા હોય છે. ખાસ કરીને લોકોને ઉનાળામાં ગેસ, એસિડિટી, ઝાડા, કબજિયાત વગેરે સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. અને આ સમસ્યા દૂર કરવા તેઓ દવાનું સેવન કરે છે છતાં પણ લાંબા ગાળે કોઈ લાભ થતો નથી. દવા લીધા બાદ થોડા સમય તેની થોડી અસર થાય છે પરંતુ દવા બંધ કરતા ફરી પાછી સમસ્યા ઉદભવે છે. ગરમીમાં પેટસંબધિત સમસ્યાનો ઘરેલુ અસરકારક વધુ લાભ આપશે. કારણ કે આ ઘરેલુ ઉપચારને તમે પોતાના દિનચર્યામાં પણ સરળ રીતે સામેલ કરી શકો છો. ગરમીમાં પેટની સમસ્યાનો શ્રેષ્ઠ ઉપચાર દહીંનું સેવન છે.

પાચન તંત્રને મજબૂત બનાવે 

દહીંમાં રહેલા જીવાણુ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને નિયમિત દહીંનું સેવન આકરી ગરમીમાં ઠંડક આપે છે. દહીંની સાથે થોડું હીંગ કે જીરું લેવાથી રાહત મળે છે. દહીંનું સેવન ગરમીના કારણે પેટમાં થતી એસિડિટી અને એસિડ લેવલને સંતુલિત કરે છે. દહીમાં રહેલું કેલ્શિયમ અને વિટામિન B12 રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.  દહીં તાસીરમાં ઠંડુ હોય છે અને તેમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનતંત્ર માટે લાભદાયક છે.

દહીં સાથે જીરુંનું સેવન લાભકારી

તમે અત્યારે જુદી-જુદી રીતે દહીંનું સેવન કરી શકો છો. દહીંનું સેવન કરતા પહેલા સૌ પ્રથમ, એક બાઉલમાં દહીં કાઢો. હવે તવા પર થોડું જીરું નાખો અને તેને સારી રીતે શેકો. આ પછી, જો તમે ઇચ્છો તો, તમે શેકેલા જીરાને સારી રીતે પીસી શકો છો. હવે તમારે દહીંમાં શેકેલું જીરું ઉમેરીને સારી રીતે મિક્સ કરવાનું છે. દહીં અને જીરુંનું મિશ્રણ તમારા આંતરડાના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકે છે. તમે દહીંનું રાયતુ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. દહીં અને શેકેલા જીરાનું એકસાથે સેવન કરવાથી તમારા ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ મળશે.

ધ્યાનમાં રાખો આ બાબત

ઉનાળામાં પેટ સંબંધિત સમસ્યાઓનો શિકાર ન બનવા માંગતા હો, તો ધ્યાનમાં રાખો કે તમારે વધુ પડતું તળેલું ભોજન અને જંકફૂડનું સેવન ના કરવું જોઈએ. બહારનું બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. ખાસ કરીને જે લોકોને દહીની એલર્જી હોય તેમણે અને શ્વાસ તેમજ ઉધરસની સમસ્યા હોય તે લોકોએ દહીંનું સેવન કરવાનું ટાળવું.

Leave a Reply

Related Post