'હું કંટાળી ગયો છું, જેને જે સમજવું હોય તે સમજે': ઓઝેમ્પિકથી વજન ઘટાડવાના દાવા પર કરન જોહરની સ્પષ્ટતા, કહ્યું- મારી હાલતથી લોકો અજાણ છે

'હું કંટાળી ગયો છું, જેને જે સમજવું હોય તે સમજે':ઓઝેમ્પિકથી વજન ઘટાડવાના દાવા પર કરન જોહરની સ્પષ્ટતા, કહ્યું- મારી હાલતથી લોકો અજાણ છે
Email :

કરન જોહરનું શોકિંગ ટ્રાન્સફોર્મેશન સતત હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, કરન જોહરે વજન ઘટાડ્યું છે, જેના કારણે તે ઘણો યુવાન દેખાવા લાગ્યો છે. અચાનક થયેલા ટ્રાન્સફોર્મેશનને જોઈને લોકો કહેવા લાગ્યા છે કે કરન જોહરે ઝડપથી વજન ઘટાડવા માટે ઓઝેમ્પિકની (ક પ્રકારની વજન ઘટાડવાની દવા) મદદ લીધી છે. ડાયાબિટીસ માટે પણ આ જ ઓઝેમ્પિક ઇન્જેક્શન આપવામાં આવે છે, પરંતુ હવે લોકો ઝડપથી વજન ઘટાડવા

માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. હવે કરને આ બાબતે વાત કરતા કહ્યું કે તે આ આરોપોથી કંટાળી ગયો છે. તાજેતરમાં કરન જોહરે રાજ શમાણીના પોડકાસ્ટ પર પોતાના ટ્રાન્સફોર્મેશન અને ઓઝેમ્પિક લેવાના દાવા વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, હું હંમેશા મારા વધેલા વજનથી પરેશાન હતો. મેં 1000 પ્રકારના ડાયટ ફોલો કર્યા છે અને 500થી વધુ વર્કઆઉટ્સ કર્યા. ગમે તે કસરત

હોય, ગમે તે રૂટિન હોય, મેં બધું જ કર્યું છે. પરંતુ મારું વજન બિલકુલ ઘટતું નહોતું. જ્યારે મારો ટેસ્ટ થયો, ત્યારે મને ખબર પડી કે મને થાઇરોઇડની સમસ્યા છે, જેની સારવાર મારે કરાવવી પડશે અને હું તેની સારવાર કરાવી રહી છું. વધુમાં, કરન જોહરે ઓઝેમ્પિક લેવાના દાવા પર કહ્યું કે- લોકોની વાતોથી હું કંટાળી ગયો છું. તમને મારું સત્ય ખબર નથી અને

મને સત્ય જણાવવામાં કોઈ રસ પણ નથી. કારણ કે તે ખૂબ લાંબી સ્ટોરી છે. હું પોતે જાણું છું કે હું સ્વસ્થ છું, હું વધુ સારો છું. આનાથી મને ખૂબ આનંદ થાય છે. 52 વર્ષ પછી મને આવું લાગી રહ્યું છે. 'કપડાં વગર પોતાને જોવામાં પણ મને શરમ આવે છે' વાતચીતમાં આગળ કરન જોહરે કહ્યું કે- તેને બોડી ડિસમોર્ફિયા છે. આ રોગમાં વ્યક્તિને પોતાના

શરીર પ્રત્યે શરમ આવે છે. કરન જોહરે કહ્યું- મારી સાથે હંમેશા આ બન્યું છે. જ્યારે પણ હું સ્વિમિંગમાં જતો ત્યારે હું ટુવાલ કાઢીને તરત જ પૂલમાં ડૂબકી મારી દેતો જેથી કોઈ મારા શરીરને જોઈ ન શકે. મને મારા શરીરને જોઈને અણગમો થાય છે, હું મારી જાતને જોઈ શકતો નથી. કરન જોહરે ઓઝેમ્પિક લેવાનો ઇનકાર કર્યો હોવા છતાં, સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ્સ

પર તેમને ઘણીવાર ઓઝેમ્પિકના નામે ટ્રોલ કરવામાં આવે છે. ઓઝેમ્પિક શું છે? ઓઝેમ્પિક એક પ્રકારની વજન ઘટાડવાની દવા છે જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે બનાવવામાં આવી છે. પરંતુ તાજેતરમાં તે વજન ઘટાડવાનો પણ ટ્રેન્ડ બની ગયો છે. કરન જોહર ઉપરાંત, કપિલ શર્મા અને રામ કપૂરના અચાનક વજન વધવા અંગે સોશિયલ મીડિયા પર પ્રશ્ન ઉઠ્યો હતો કે શું તેમણે ઓઝેમ્પિકનો ઉપયોગ કર્યો હતો.

Leave a Reply

Related Post