પહેલગામ આતંકી હુમલાની પ્રવાસન પર અસર: અન્ય રાજ્યના પ્રવાસન સ્થળોએ જવાના બદલે લોકો ગુજરાતના સ્થળો પર જ જવાનું પસંદ કરે છે, અમરનાથ યાત્રાને લઈ અસમંજસ યથાવત

પહેલગામ આતંકી હુમલાની પ્રવાસન પર અસર:અન્ય રાજ્યના પ્રવાસન સ્થળોએ જવાના બદલે લોકો ગુજરાતના સ્થળો પર જ જવાનું પસંદ કરે છે, અમરનાથ યાત્રાને લઈ અસમંજસ યથાવત
Email :

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. જે બાદ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ 9 આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉદ્ભવી હતી. જોકે, 10 મે, 2025 શનિવારે સાંજે 5 વાગ્યે યુદ્ઘવિરામની જાહેરાત કરવામાં આવી હતી,

ત્યારે પહેલગામ આતંકી હુમલા અને ભારત પાક વચ્ચે યુદ્ધની સ્થિતિ બાદ હાલ ઉનાળાના વેકેશનનો સમય છે ત્યારે સુરતના પ્રવાસીઓ હવે સૌથી વધુ કયા પસંદગીના સ્થળો પસંદ કરી રહ્યા છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના જેબી ટુરના સંચાલક સતિષ વઘાસિયાએ જણાવ્યું હતું કે, યુદ્ધ જેવી સ્થિતિમાં સરકાર દ્વારા એવી કોઈ ગાઈડલાઈન આપવામાં આવી

નથી કે ટુર ઓપરેટ નહીં કરવાના કે પ્રવાસો કેન્સલ કરવાના કે ચાલુ રાખવાના. એરપોર્ટ અંગે જે સૂચનો આવતા હતા તે અંગે અને ડાઇવર્ટ કરતા હતા. જ્યારે પણ અમારા કસ્ટમરની સાવચેતીની વાત આવે છે ત્યારે ચોક્કસ ટ્રસ્ટેબલ વ્યક્તિઓ હોય છે તેમને રાખવામાં આવતા હોય છે. જેથી કોઇ અણબનાવ કે ઘટના બની હોય ત્યારે પ્રવાસી હોય

છે તેમની સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય. વધુમાં તેમણે અમરનાથ યાત્રા અંગે જણાવ્યું હતું કે, હાલ તો અમરનાથ યાત્રા સ્થગિત છે કે ચાલુ છે તે પ્રકારની કોઈ ગાઈડલાઈન આવી નથી. જોકે, જે નોર્મલ પ્રોસિઝર છે તે ચાલી રહી છે. આ ઉપરાંત ચારધામ યાત્રાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ચારધામ યાત્રા હાલ ચાલી રહી છે

અને લોકો જઈ રહ્યા છે. ચારધામ યાત્રા એકદમ સારી રીતે ચાલી રહી છે. યુદ્ધ વિરામ બાદ લોકો ક્યાં જવાનું વધારે પસંદ કરે છે તે અંગે પુછતા તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને લોકો હાલ અધર સ્ટેટમાં ફરવા જવાનું ટાળી રહ્યા છે. લોકોમાં હાલ ભયનો માહોલ છે. આવી સ્થિતિમાં શું થઈ શકે તેનાથી અજાણ હતા.

જેથી નજીકમાં આવેલા રિસોર્ટ અને રાજ્યની અંદર જ ફરવાના સ્થળે લોકો જવા ઇચ્છી રહ્યા છે. નવા ડેસ્ટિનેશનની ઇન્કવાયરી અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ કોઈપણ પ્રકારની ઇન્કવાયરી આવી રહી નથી. એકદમ ઝીરો થઈ ગઈ છે. જોકે, સરકાર દ્વારા સારી એડવાઇઝરી આપવામાં આવશે તો લોકોના મનમાં ઉત્સુકતા જાગશે અને ફરી ઇન્કવાયરીનો દોર ચાલુ થશે.

Leave a Reply

Related Post