મહુવામાં બદલાતા વાતાવરણની અસર: શરદી, તાવ અને કમળાના કેસમાં વધારો, સરકારી હોસ્પિટલની OPDમાં દર્દીઓની લાંબી કતાર

મહુવામાં બદલાતા વાતાવરણની અસર:શરદી, તાવ અને કમળાના કેસમાં વધારો, સરકારી હોસ્પિટલની OPDમાં દર્દીઓની લાંબી કતાર
Email :

મહુવા શહેરમાં વાતાવરણમાં આવેલા બદલાવને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળી રહી છે. કમોસમી વરસાદના કારણે વિવિધ બીમારીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારી હોસ્પિટલની OPDમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. ઝાડા-ઉલટી, તાવ અને શરદી-ઉધરસના

દર્દીઓની સંખ્યા વધી છે. ખાસ કરીને નાના બાળકોમાં કમળાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડકના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આના કારણે મચ્છરજન્ય રોગચાળામાં પણ વૃદ્ધિ થઈ રહી છે. નગરપાલિકાને

દવાનો છંટકાવ અને મચ્છર નિયંત્રણ અભિયાન શરૂ કરવાની માગ ઉઠી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓમાં રોગચાળાની અસર વધુ જોવા મળી રહી છે. સરકારી હોસ્પિટલની સાથે ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

Leave a Reply

Related Post