સોસાયટી-સોશિયલ મીડિયાથી બાળકો પર વધતું પ્રેશર: સાઇકોલોજિસ્ટે કહ્યું-સૌથી વધુ માતા-પિતાનાં પ્રેશર અંગે વિદ્યાર્થીઓના કોલ મળ્યા; ત્રણ દિવસ રૂમમાં પુરાઈ રહેલી દીકરીનું કાઉન્સેલિંગ કર્યું

સોસાયટી-સોશિયલ મીડિયાથી બાળકો પર વધતું પ્રેશર:સાઇકોલોજિસ્ટે કહ્યું-સૌથી વધુ માતા-પિતાનાં પ્રેશર અંગે વિદ્યાર્થીઓના કોલ મળ્યા; ત્રણ દિવસ રૂમમાં પુરાઈ રહેલી દીકરીનું કાઉન્સેલિંગ કર્યું
Email :

આગામી 27 ફેબ્રુઆરીના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને તણાવને લઈ કેટલાક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે. આ મૂંઝવણે દૂર કરવા તથા પરીક્ષા પૂર્વે ને દરમિયાન ઉદ્ભવતા કેટલાક સવાલો માટે વડોદરા જિલ્લા શિક્ષણાઅધિકારી દ્વારા 11 નિષ્ણાતની ટીમ બનાવવામાં આવી છે, જેમાં 9 શિક્ષણવિદ અને 2 સાઇકોલોજિસ્ટની કાઉન્સેલિંગ ટીમ કામ કરી રહી છે. બાળકો અને વાલીઓનાં મનમાં ઉદ્ભવતા સવાલોનું નિરાકરણ સાઇકોલોજિસ્ટ જોડે મળતું હોય છે. ત્યારે ન્યુ ગુજરાત સાઇકોલોજિસ્ટ અને કાઉન્સેલર ડૉ. પૂર્વીબેન ભીમાણી પાસે પહોંચ્યું હતું અને તેમની પાસે આવતા સવાલો

અંગે પૂછતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં વિદ્યાર્થીઓના સૌથી વધુ કોલ માતા-પિતાનાં પ્રેશર અંગેના મળ્યા હતા. સોશિયલ મીડિયા અને સોસાયટી પ્રેશર ભણતર બગાડે છે સાઇકોલોજિસ્ટ અને કાઉન્સેલર ડો.પૂર્વીબેન ભીમાણીએ જણાવ્યું હતું કે હાલમાં આવતા સવાલોમાં સૌથી વધુ સવાલો માતા-પિતાનાં પ્રેશર વધારે હોવાનાં આવી રહ્યા છે. આજે સોશિયલ મીડિયાના કારણે માતા-પિતા હોડમાં ઊતરી ગયાં છે કે મારા બાળકનું રિઝલ્ટ સરસ આવે અને હું એને સોશિયલ મીડિયામાં મૂકી દઉં. આજે બાળકો પર ન માત્ર ભણવાનું પ્રેશર હોય છે, સાથે સાથે તેઓ સોશિયલ મીડિયાની ટ્રેપમાં પણ છે એટલે ભણતાં ભણતાં ખલેલ પહોંચે છે. એના

કારણે પહેલાં જેવું ભણાતું નથી. અત્યારે સોશિયલ મીડિયા અને સોસાયટી પ્રેશર ખૂબ જ બાળક પર છે, જેના કારણે આવા કોલ મળી રહ્યા છે. ઘરે પહોંચી દીકરીનું કાઉન્સેલિંગ કર્યું તેમણે વધુમાં જણાવ્યું હતું હતુ કે જ્યારે વિદ્યાર્થીઓ વધુપડતા સ્ટ્રેસમાં આવી જાય છે ત્યારે વાલીઓના ફોન વધારે આવતા હોય છે. હાલના જ એક વાલીનો કોલ હતો, તેમની દીકરી છેલ્લા ત્રણ દિવસથી રૂમની બહાર નહોતી નીકળી ત્યારે તે દીકરીનું અમે ઘરે જઈ કાઉન્સેલિંગ કર્યુ હતું. આ દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, પરંતુ તે એક ડરમાં આવી અને સ્ટ્રેસમાં જતી રહી હતી, જેથી તે ન

તો સરખું સૂઈ શકી કે ન સરખું ખાઈ શકી, જેના કારણે તેને ખૂબ અશક્તિ આવી ગઈ. મનમાં સતત મારાં સપનાંનું શું થશે એ સવાલ આવતા. આ અંગેનો કોલ આવતાં અમે તાત્કાલિક તેમના ઘરે પહોંચી દીકરીનું કાઉન્સેલિંગ કર્યું હતું. પ્રયત્ન સારો હશે તો ચોક્કસ પરિણામ સારું આવશે તેમણે છેલ્લે જણાવ્યું હતું કે હાલમાં આ દીકરીને અમે સ્ટ્રેસ ફ્રી કરી છે. પરીક્ષા દરમિયાન ડર લાગતો જ હોય છે, પરંતુ આ સમયે હાલમાં બાળકો-વાલીઓએ સમજવું પડશે કે જે થવાનું છે એ આપણે પ્રયત્નો કરવામાં છે. કોઈપણ રિઝલ્ટ સાથે ઘણાંબધાં કરિયર હોય છે. જો ડરથી પરીક્ષા

આપીશું તો ચોક્કસ સારા રિઝલ્ટની અપેક્ષા નહીં કરી શકાય, પરંતુ જો મનોબળ મક્કમ કરીશું અને જો પ્રયત્ન સારા હશે તો ચોક્કસ પરિણામ સારું આવશે. પેપર ખરાબ જવાના ડરે આત્મહત્યા સુધીનું પગલું ભરે છે પરીક્ષામાં પેપર ખરાબ જાય તો વિધાર્થીઓ હતાશ-નિરાશ થાય છે અને કેટલીક વાર આત્મહત્યા સુધીનું વિચારી લે ત્યારે આ અંગે તેમણે કહ્યું હતું કે આવા કિસ્સાઓ ગત વર્ષે આવ્યા હતા, એકાદ પેપર ખરાબ જવાથી નિરાશ થઈ જાય છે અને બાળકોને એવું થાય છે કે આગળના પેપર ખરાબ જશે એવું વિચારી વિદ્યાર્થીઓ આવું પગલું ભરતા હોય છે, પરંતુ જીવન એક લાંબો

રસ્તો છે, જ્યાં અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી. આજે એક પેપર ખરાબ ગયું ત્યારે આવતી કાલનું પેપર સારું જઈ શકે છે. એક પેપર ખરાબ જવાથી બધું જ ખરાબ થવાનું નથી અને જો આખી પરીક્ષા ખરાબ જાય છે તોપણ શું થશે એ પરીક્ષા તો ફરી આવવાની જ છે. અંદાજિત 80થી વધુ કોલ મળી રહ્યા છે જીવનમાં કોઈપણ પ્રકારની પરીક્ષાઓ હોઈ, એના માટે આપણે માનસિક તૈયાર રહી પરીક્ષા આપવી જોઈએ. આ અંગે અમને રોજના 7થી 8 કોલ આવી રહ્યા છે અને અમારી ટીમમાં 11 વ્યક્તિ છે, એટલે રોજના અંદાજિત 80થી વધુ કોલ મળી રહ્યા છે.

Related Post