'ભારત ઉશ્કેરાતું નથી પણ ક્યારેય ભૂલતું પણ નથી': શાહિદ કપૂરે 'ઓપરેશન સિંદૂર' પર પોસ્ટ કર્યું, બાદમાં કેપ્શન ડિલીટ કરી કમેન્ટ્સ રિસ્ટ્રિક્ટ કરી નાખી

'ભારત ઉશ્કેરાતું નથી પણ ક્યારેય ભૂલતું પણ નથી':શાહિદ કપૂરે 'ઓપરેશન સિંદૂર' પર પોસ્ટ કર્યું, બાદમાં કેપ્શન ડિલીટ કરી કમેન્ટ્સ રિસ્ટ્રિક્ટ કરી નાખી
Email :

પહેલગામ આંતકવાદી હુમલાના 15 દિવસ બાદ ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી. ભારત દ્વારા કરવામાં આવેલી આ જવાબી કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે. ઘણાં બોલિવૂડ સેલેબ્સ આ ઓપરેશનની સફળતા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેવામાં તાજેતરમાં એક્ટર શાહિદ કપૂરે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. જોકે, તેની થોડી જ ક્ષણોમાં એક્ટરે પોસ્ટમાં એડિટ કરીને કેપ્શન દૂર કરી દીધું હતું. શાહિદ કપૂરે આ કેપ્શન સાથે પોસ્ટ કરી હતી શાહિદ કપૂરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભારતીય વાયુ સેનાના

એરક્રાફ્ટ 'રાફેલ'નો ફોટો પોસ્ટ કરીને કેપ્શન લખ્યું હતું, 'ભારત ઉશ્કેરાતું નથી પણ ભારત ક્યારેય ભૂલતું નથી.' કેપ્શનમાં તેણે ત્રિરંગાનું ઈમોજી રાખીને હેશટેગ 'ઓપરેશનસિંદૂર' પોસ્ટ કર્યું હતું. શાહિદે અગમ્ય કારણોસર પોસ્ટને એડિટ કરી જોકે, થોડી વાર બાદ તેણે પોતાની પોસ્ટને એડિટ કરી નાખી હતી. હાલમાં તેણે 'રાફેલ'નો ફોટો નીચેથી કેપ્શન હટાવી દીધું છે. હવે માત્ર ઇન લખ્યા બાદ હેશટેગ 'ઓપરેશનસિંદૂર' પોસ્ટ કરેલું છે. સાથે જ એક્ટરે પોસ્ટ પરની કમેન્ટ્સ પણ રિસ્ટ્રિક્ટ કરી દીધી છે. આ પોસ્ટને અત્યારસુધીમાં સાડા છ લાખથી વધુ

લાઇક મળી ચૂકી છે. ત્યારે એક્ટરે શા માટે પોસ્ટમાંથી કેપ્શન હટાવ્યું તે અંગે કોઈ ખૂલાસો કરવામાં આવ્યો નથી. સેલેબ્સે 'ઓપરેશનસિંદૂર' પર પ્રતિક્રિયાઓ આપી હતી 'ઓપરેશનસિંદૂર'ની સફળતા બાદ બોલિવૂડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી ઘણાંબધાં સેલિબ્રિટીઓએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી અને ભારતીય સેના, સશસ્ત્ર દળો સહિતનાઓ પ્રત્યે ગર્વ વ્યક્ત કર્યો હતો. જેમાં સાઉથ સુપરસ્ટાર રજનીકાંત, કંગના રનૌત, અનુપમ ખેર, રિતેશ દેષમુખ, ચિરંજીવી, મધુર ભંડારકર, હિના ખાન સહિતનાઓએ 'ભારત માતા કી જય' અને 'જય હિંદ' કેપ્શન સાથે પોસ્ટ કરી હતી.

Leave a Reply

Related Post