Blood Cancerની સારવારમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિ, VELCART થેરપી અસરકારક:

Blood Cancerની સારવારમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિ, VELCART થેરપી અસરકારક
Email :

ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનતા દુનિયાએ તેનો પરચો જોયો. હવે ભારતે તબીબ ક્ષેત્રે પણ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એક દાયકામાં બ્લડ કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થતા ભારતમાં આ મામલે સંશોધન હાથ ધરાયું હતું. જેમાં ટોક્ટરોને મોટી સફળતા મળી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને CMC વેલ્લોરના ડોક્ટરોના સંયુક્ત સાહસના પરિણામે બ્લડ કેન્સર જેવા ગંભીર રોગ મટાડવા ખાસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરી બ્લડ કેન્સરના દર્દી લાંબી સારવારમાંથી રાહત મળશે. બ્લડ કેન્સરની સારવારમાં આ થેરાપી એક ક્રાંતિકારી પગલું બની શકે છે.

VELCARTથી ફક્ત 9 દિવસમાં કેન્સર મટાડી શકાશે

CMC વેલ્લોરના ડોક્ટરો અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા સંયુક્ત રીતે એક એવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે જે ફક્ત 9 દિવસમાં બ્લડ કેન્સર (લ્યુકેમિયા) મટાડી શકે છે. આ નવી ટેકનોલોજીનું નામ VELCART છે અને તેને CAR-T સેલ થેરાપી હેઠળ વિકસાવવામાં આવી છે. 

ICMR એ તેની X પોસ્ટમાં જણાવ્યું હતું કે VELCART એક CAR-T થેરાપી છે જેમાં દર્દીના પોતાના ટી-કોષોનો ઉપયોગ થાય છે. આ કોષોને હોસ્પિટલની લેબમાં જ દૂર કરવામાં આવે છે અને તેમાં ફેરફાર કરવામાં આવે છે. ફેરફાર કર્યા પછી, તેને ફરીથી દર્દીના શરીરમાં પાછું મૂકવામાં આવે છે. આ સંશોધિત કોષો કેન્સરના કોષોને ઓળખે છે અને તેનો નાશ કરે છે. આ ઉપચારની ખાસ વાત એ છે કે સારવાર પ્રક્રિયા ફક્ત 9 દિવસમાં પૂર્ણ થઈ શકે છે, જ્યારે પરંપરાગત CAR-T ઉપચારમાં 3 થી 4 અઠવાડિયા લાગી શકે છે. વેલકાર્ટ થેરાપીમાં, કોષો તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી અને સચોટ બનાવવામાં આવી છે, જેથી દર્દીને ઝડપથી સારવાર મળી શકે.

તબીબનો અભિપ્રય

9 દિવસમાં બ્લડ કેન્સર મટાડતી આ થેરાપી અન્ય કેન્સર થેરાપીઓથી તદ્દન અલગ છે. આમાં, કેન્સરના દર્દીને વાળ ખરવા કે શરીરમાં નબળાઈ જેવા લક્ષણો દેખાતા નથી. અન્ય કેન્સર ઉપચારોથી વિપરીત, તે દર્દીની પોતાની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરીને કેન્સરના કોષોનો નાશ કરે છે.

આ સંશોધન સાથે સંકળાયેલ એક તબીબે જણાવ્યું કે બ્લડ કેન્સરની સારવારની આ ટેકનોલોજી વિકસાવવા દરમિયાન દર્દીઓ પર પરીક્ષણ કરાયું હતું. દર્દીઓ પર કરાયેલ પરીક્ષણમાં એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા (ALL) અને લાર્જ બી-સેલ લિમ્ફોમા (DLBCL) ધરાવતા દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમાં, લ્યુકેમિયાના દર્દીઓમાં 100% માફી (રોગનું સંપૂર્ણ અદ્રશ્ય થવું) જોવા મળ્યું. જ્યારે લિમ્ફોમાના દર્દીઓમાં 50% ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી મહત્વની વાત એ હતી કે 80% દર્દીઓ 15 મહિના પછી પણ કેન્સર મુક્ત રહ્યા. જો કે ડોક્ટરે એમ પણ કહ્યું કે બ્લડ કેન્સરમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવાશે કે કેમ તે પ્રશ્નનો જવાબ વધુ મૂંઝવણભર્યો છે. કારણ કે કોઈપણ ગંભીર રોગમાં દર્દીની સ્વસ્થ થવાની શક્યતા દર્દીની સ્થિતિ અને બ્લડ કેન્સરના તબક્કા પર આધાર રાખે છે.

શું છે બ્લડ કેન્સર

બ્લડ કેન્સરને તબીબી ભાષામાં લ્યુકેમિયા, લિમ્ફોમા અથવા માયલોમા કહેવામાં આવે છે. બ્લડ કેન્સર રક્ત કોશિકાઓના અસામાન્ય વિકાસને કારણે થાય છે. કોઈપણ પ્રકારના વારંવાર ચેપ, સતત શારીરિક થાક, અચાનક અથવા વારંવાર રક્તસ્ત્રાવ, અને ત્વચા પર વાદળી અથવા જાંબલી રંગના નિશાન એ બ્લડ કેન્સરના મુખ્ય લક્ષણો છે.  

Leave a Reply

Related Post