CM સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક કરશે: બ્લેકઆઉટ વચ્ચે કચ્છવાસીઓએ ગરમી અને ભયમાં રાત વીતાવી

CM સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક કરશે:બ્લેકઆઉટ વચ્ચે કચ્છવાસીઓએ ગરમી અને ભયમાં રાત વીતાવી
Email :

પાકિસ્તાન દ્વારા સતત બીજા દિવસે એટલે કે 8મેના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોનનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. કચ્છ સરહદ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે બે ડ્રોન પરત ફર્યા હતા પાકિસ્તાન તરફથી ગુજરાતના સરહદી વિસ્તારમાં હુમલો થવાની પૂરી શક્યતા હોવાથી રાજ્યના 18 જિલ્લાઓ હાઈએલર્ટ પર છે. જ્યારે બનાસકાંઠા, કચ્છ અને પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. જો કે સવારમાં ફરી લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળો એવા

સોમનાથ, શક્તિ પીઠ અંબાજી અને દ્વારકાના જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ ઘટનાક્રમ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ વડા વિકાસ સહાય, મુખ્ય સચિવ પંકજ જોષી સહિતના અધિકારીઓ વચ્ચે સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર ખાતે એક બેઠક યોજી હતી.. નડાબેટ મંદિરના દર્શન કરી શકાશે, પણ ઝીરો લાઈન સુધી જવા પર પ્રતિબંધ નડાબેટ મંદિરના દર્શન હાલમાં કરવામાં આવી રહ્યા છે પરંતુ ઝીરો લાઈન સુધી જવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે. સોમનાથ મંદિરે સ્ટ્રેટેજિક પોઇન્ટ પર સુરક્ષામાં વધારો, બોમ્બ સ્ક્વોડ તૈનાત જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ

મંદિર અને ગીર સોમનાથની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સોમનાથના સ્ટ્રેટેજિક પોઇન્ટ પણ વધી પીઆઈ અને પીએસઆઇની નિમણૂંક કરવામાં આવી છે તથા કંટ્રોલ રૂમ ખાતે પણ નવા અધિકારીઓની શિફ્ટ પ્રમાણે નિમણૂક કરવામાં આવી છે. સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવે છે ત્યારે ત્રીસ્તરીય સુરક્ષા પહેલેથી જ અહીં અમલમાં છે. સાથોસાથ બોમ્બ અને ડોગ સ્કવૉડ પણ તહેનાત છે. 500 જેટલી બોટ પરત બોલાવી લેવાઈ, આગામી સુચના સુધી માછીમારી બંધ કચ્છની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી પરિસ્થિતિને લઈને માછીમારોને પરત બોલાવી લેવામાં

આવ્યા છે. કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આગામી આદેશ ન મળે ત્યાં સુધી માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો: ભારત-પાક.યુદ્ધની સ્થિતિને લઈ 8 મેની ગુજરાતની પળેપળની અપડેટ્સ દ્વારકા દરિયા કિનારે સેનાએ મોરચો સંભાળ્યો પાકિસ્તાનની નાપાક નજર હર ઘડી દ્વારકા ઉપર રહી છે. ત્યારે દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દ્વારકા દરિયા કિનારે ભારતીય ફોજે મોરચો સંભાળી લીધેલ

છે. દ્વારકા જગત મંદિરમાં સુરક્ષા એજન્સીઓએ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી નાખી છે. દ્વારકા સાથે ઓખામાં પણ આવેલી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. હજીરાના કાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવને લઈ હજીરાના દરિયાઇ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે સાથે મરીન પોલીસ દ્રારા પણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે. ખાસ કરીને દરિયામાં ઈન્ટરનેશનલ બોર્ડર પણ નેવીના સ્ટાફને જહાજ અને હેલીકોપ્ટર સાથે ગોઠવી દેવામાં આવ્યા છે. ઉપરાંત દરિયામાં 12 નોટીકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરવામાં આવી છે.

7મેએ પણ કચ્છમાં પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ કરાયો હતો બુધવારે પણ કચ્છ પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. ગુરુવારે(8 મે) વહેલી સવારે ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો હતો. આ પણ વાંચો: કેવો છે બનાસકાંઠાનાં 19 સરહદી ગામનો માહોલ સંરક્ષણ મંત્રાલયે બપોરે 2:30 વાગ્યે આ કાર્યવાહીની માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, '7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતનાં શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેમાં ભુજ, અવંતિપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ,

અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવ્યાં હતાં. કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પડાયું હતું. આ ઘટના સવારે 6 વાગ્યા પહેલાં બની હતી. કચ્છ-પાકિસ્તાન સરહદ પર તણાવ વધતાં કચ્છના નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં અનિશ્ચિતકાળ માટે માછીમારી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો સોમનાથ મંદિરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. 1971માં 8-9 ડિસેમ્બરે પાકિસ્તાને

ભુજમાં ચાર વાર હુમલો કર્યો હતો 1971ની આઠમી અને નવમી ડિસેમ્બરે ભુજમા પાકિસ્તાની સેનાએ ચાર વાર હુમલો કર્યો અને તેના કારણે હવાઇ પટ્ટી-રનવેને મોટે પાયે નુકશાન થયુ હતુ. હવે રન વે વિના ફાયટર પ્લેનને ઉડવું મુશ્કેલ થઇ ગયુ હતુ અને તેવા સમયે એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે સમયસુચકતા વાપરીને સ્થાનિક લોકોની મદદ લેવાનું નક્કી કરીને, ભુજમાં કલેકટરનો સંપર્ક કર્યો હતો. કલેકટરે માધાપર ગામના સરપંચને વાત કરી અને ગણતરીની મીનીટોમાં નાગરિકો મદદે આવી ગયા તેમાં રનવે રીપેરીંગ કામ મહિલાઓને સોંપવામાં આવ્યું. આ સિવાય એરપોર્ટ

રોડથી રુદ્રમાતા ડેમ સુધીના 6 જેટલા પુલિયાને પણ ગાય ભેંસના છાણ દ્વારા લીંપણ કરી ઉપરથી દેખાય નહીં અને દુશ્મના વિમાન હુમલો ના કરી શકે એ રીતે બનાવી દેવાયા હતા. તેની સાથે રન વે બનાવવાનું કામ તો ચાલુ જ હતું જે ત્રણ દિવસમાં તૈયાર થઈ ચૂક્યું હતું, પરંતુ સંપૂર્ણ કામ થતા 5 દિવસ લાગ્યા હતા અને 8માં દિવસના બપોરે તો આપણા દેશના યુદ્ધ વિમાનો ઉડવાની શરૂઆત થઈ ગઇ હતી. તેના અઠવાડિયામાં જ ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું.(વાંચો સંપૂર્ણ અહેવાલ)

Leave a Reply

Related Post