Blood Cancer: દર્દીઓ માટે CAR-T સેલ થેરાપી કેટલી છે ફાયદાકારક?, જાણો

Blood Cancer: દર્દીઓ માટે CAR-T સેલ થેરાપી કેટલી છે ફાયદાકારક?, જાણો
Email :

ભારતે હાલમાં જ બ્લડ કેન્સર કેન્સરના ઉપચારમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. ભારતીય વૈજ્ઞાનિકોએ અને તબીબોએ સ્વદેશી જીન થેરાપી ડેવલ્પ કરી છે. જેમાં માત્ર 9 દિવસમાં બ્લડ કેન્સરને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય છે. જેને CAR-T સેલ થેરાપી કહેવામાં આવે છે. આ થેરાપી દ્વારા દર્દીઓમાં ફરી જીવન જીવવા માટે નવી આશા જાગી છે. આ થેરાપી કેવી રીતે કામ કરે છે અને તેનીન શું પદ્ધતિ છે અને કેટલો ખર્ચ કરવામાં આવે છે.

શું છે CAR-T સેલ થેરાપી ?

CAR-T સેલ થેરાપી એક એડવાન્સ ઇમ્યૂનોથેરાપી છે. જેમાં દર્દીઓની ઇમ્યુનિટી સેલ્સને લેબમાં જેનેટિકરૂપમાં સંશોધિત કરાય છે. જે બાદ કેન્સરને સેલને જલદી જ નાબૂદ કરી શકાય છે. દર્દીઓના શરીરમાંથી T કોશિકાઓ કાઢવામાં આવે છે. જેના પર સંશોધન કરવામાં આવે છે. અને ફરી દર્દીઓના શરીરમાં મુકવામાં આવે છે. આ કોશિકાઓ કેન્સરના સેલને ટાર્ગેટ કરે છે. આ ઉપચાર લ્યુકેમિયા અને લિમ્ફોમા જેવા બ્લડ કેન્સરની સારવારમાં અસરકારક સાબિત થયો છે. આ થેરાપીને ઓક્ટોબર 2023માં ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તે જ સમયે, તેના ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામો તાજેતરમાં લેન્સેટ હેમેટોલોજી જેવા પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયા છે. આ પરિણામો અનુસાર, આ ઉપચારથી 73% દર્દીઓમાં સકારાત્મક અસરો જોવા મળી.

આ ઉપચારનો ખર્ચ કેટલો થશે?

ભારતમાં DelevaP CAR-T સેલ થેરાપીની સૌથી મોટી વિશેષતા તેની કિંમત છે. વૈશ્વિક સ્તરે, આ ઉપચારનો ખર્ચ લગભગ 25 લાખ રૂપિયા છે. જ્યારે ભારતમાં તે ફક્ત 1.25 લાખ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તે જ સમયે, ભારતીય ડોકટરોએ 9 દિવસમાં બ્લડ કેન્સરને દૂર કરવામાં સફળતા મેળવી છે. આ ઉપચારને Vel-CAR-T નામ આપવામાં આવ્યું છે. આ ઉપચાર ખાસ કરીને એવા દર્દીઓ માટે અસરકારક છે જેમનું કેન્સર વારંવાર થતું રહે છે અથવા જેઓ કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી જેવી પરંપરાગત સારવારનો પ્રતિસાદ આપતા નથી.

નવી ઉપચારથી દર્દીઓને આ ફાયદા થશે

બ્લડ કેન્સરના દર્દીઓને CAR-T સેલ થેરાપીથી ઘણો ફાયદો થશે. સૌ પ્રથમ, ક્લિનિકલ ટ્રાયલ્સમાં, આ ઉપચારે 73 ટકા દર્દીઓમાં સકારાત્મક પરિણામો દર્શાવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં આ ઉપચાર કેન્સરને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં સફળ રહ્યો છે. પરંપરાગત કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી કરતાં CAR-T સેલ થેરાપીની આડઅસરો ઓછી હોય છે. જોકે, કેટલાક દર્દીઓમાં એનિમિયા, થ્રોમ્બોસાયટોપેનિયા, ન્યુટ્રોપેનિયા અને તાવગ્રસ્ત ન્યુટ્રોપેનિયા જેવી આડઅસરો જોવા મળી છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post