ભારત-પાકિસ્તાન સંઘર્ષના કારણે IPL મુલતવી: BCCIએ નવી તારીખો નથી જણાવી, વિદેશી ખેલાડીઓને તેમના દેશમાં પરત ફરવાનું કહેવામાં આવ્યું

ભારત-પાકિસ્તાન સંઘર્ષના કારણે IPL મુલતવી:BCCIએ નવી તારીખો નથી જણાવી, વિદેશી ખેલાડીઓને તેમના દેશમાં પરત ફરવાનું કહેવામાં આવ્યું
Email :

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષને કારણે BCCIએ IPL મુલતવી રાખી છે, જોકે તેણે નવી તારીખોની જાહેરાત કરી નથી. તેની પાસે હજુ 12 લીગ મેચ અને 4 પ્લેઓફ મેચ બાકી છે. ટુર્નામેન્ટની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી. PTiએ BCCIના એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે. BCCIના એક અધિકારીએ PTIને જણાવ્યું હતું કે દેશમાં યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે ક્રિકેટ રમવું સારું લાગતું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બધા વિદેશી ખેલાડીઓને તેમના દેશમાં પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. નવી તારીખો જાહેર થશે ત્યારે તેમને જાણ કરવામાં આવશે. એવું માનવામાં આવે

છે કે ઓગસ્ટમાં ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ રદ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં યોજાવાનો એશિયા કપ પણ મુલતવી રાખવામાં આવશે. એની જગ્યાએ બાકીની IPL મેચ ભારતમાં યોજાઈ શકે છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પંજાબ-દિલ્હીની મેચ પણ રદ કરવી પડી 8 મેની રાત્રે લગભગ 8:30 વાગ્યે પાકિસ્તાને ભારતની જમ્મુ, પંજાબ અને રાજસ્થાન સરહદો પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો. આ દરમિયાન હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 10.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા. ત્યાર બાદ મેદાનની ફ્લડલાઇટ બંધ

કરી દેવામાં આવી અને દર્શકોને ઘરે મોકલી દેવામાં આવ્યા. યુદ્ધની સ્થિતિને કારણે, શહેરમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું અને મેચ રદ કરવામાં આવી હતી. આ લીગ સ્ટેજની 58મી મેચ હતી. ગુજરાત ટોચ પર, 3 ટીમ બહાર જ્યારે IPL અધવચ્ચે જ બંધ કરવામાં આવી ત્યારે લીગ સ્ટેજની 57 મેચ પૂર્ણ થઈ ગઈ હતી. 58મી મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી. 57 મેચ પછી ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પોઈન્ટ ટેબલમાં સૌથી વધુ 16-16 પોઈન્ટ સાથે ટોચ પર છે. સારા રન રેટને કારણે GT ટોચ પર રહ્યું. પંજાબ ત્રીજા સ્થાને, મુંબઈ ચોથા સ્થાને

અને દિલ્હી પાંચમા સ્થાને હતું. જ્યારે ચેન્નઈ, રાજસ્થાન અને હૈદરાબાદની ટીમો પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી. ગુજરાત-બેંગલુરુ વચ્ચે 3-3 મેચ બાકી છે ટુર્નામેન્ટ બંધ થઈ ત્યાં સુધીમાં, 4 ટીમો પાસે 2-2 મેચ બાકી હતી. જ્યારે ગુજરાત અને બેંગલુરુ સહિત 6 ટીમે 3-3 મેચ રમી ન હતી. લખનઉ અને બેંગલુરુ વચ્ચેની મેચ શુક્રવારે લખનઉમાં રમાવાની હતી, પરંતુ એ પહેલા જ ટુર્નામેન્ટ બંધ કરી દેવામાં આવી હતી. IPL 2025ની નવી તારીખો ક્યારે જાહેર થશે? IPLનો આ તબક્કો અહીં જ રોકાઈ ગયો છે. હવે વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચ પરિસ્થિતિ સામાન્ય થયા

પછી જ યોજાશે. તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. ગયા વર્ષે પણ IPL બે તબક્કામાં યોજાઈ હતી 2024ની IPL બે તબક્કામાં રમાઈ હતી, કારણ કે એ જ સમયે લોકસભાની ચૂંટણીઓ પણ યોજાઈ રહી હતી. પહેલો ભાગ 22 માર્ચથી 7 એપ્રિલ સુધી ચાલ્યો હતો, જેમાં 21 મેચ રમાઈ હતી. આ પછી, જ્યારે ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી, ત્યારે બાકીની મેચો અને પ્લેઓફ શિડ્યૂલ કરવામાં આવ્યાં અને રમાયાં. આ કારણે ટુર્નામેન્ટ સરળતાથી યોજાઈ

શકી અને કોઈ સમસ્યા નહોતી. PSL અને IPL એકસાથે યોજાઈ રહી છે આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગ લગભગ એકસાથે યોજાઈ રહી છે. PSL 2025 11 એપ્રિલના રોજ શરૂ થયું, જ્યારે IPL 22 માર્ચે શરૂ થઈ હતી. PSL ડ્રાફ્ટ IPL 2025 મેગા ઓક્શન પછી યોજવામાં આવ્યો હતો, જેથી ફક્ત તે ખેલાડીઓનો જ સમાવેશ કરી શકાય જે IPL ઓક્શનમાં વેચાયા નહોતા. આવી સ્થિતિમાં ડેવિડ વોર્નર, ડેરિલ મિચેલ, જેસન હોલ્ડર, રાસી વાન ડેર ડુસેન અને કેન વિલિયમ્સન જેવા ખેલાડીઓએ PSL તરફ વળ્યા. આ ખેલાડીઓ IPL 2025ના મેગા અનસોલ્ડ રહ્યા હતા.

Leave a Reply

Related Post