હવે આધાર વગર તત્કાલ ટિકિટ બુક નહીં થાય: IRCTCની એપ-વેબસાઇટ પર વેરિફિકેશન થશે, પ્રથમ 30 મિનિટ એજન્ટો નહીં કરી શકે બુકિંગ; 1 જુલાઈથી નિયમ લાગુ

હવે આધાર વગર તત્કાલ ટિકિટ બુક નહીં થાય:IRCTCની એપ-વેબસાઇટ પર વેરિફિકેશન થશે, પ્રથમ 30 મિનિટ એજન્ટો નહીં કરી શકે બુકિંગ; 1 જુલાઈથી નિયમ લાગુ
Email :

તત્કાલ ટિકિટ માટે હવે આધાર જરૂરી બનશે. IRCTCની એપ અથવા વેબસાઇટ પર આધાર વેરિફિકેશન કરાવવું પડશે. આ નિયમ 1 જુલાઈથી અમલમાં આવશે. IRCTCએ જણાવ્યું હતું કે ફક્ત આધાર પ્રમાણિત યુઝર્સ જ પ્રથમ 30 મિનિટ માટે તત્કાલ ટિકિટ બુક કરી શકશે. આ સમય દરમિયાન એજન્ટો ટિકિટ બુક કરી શકશે નહીં. 15 જુલાઈથી વધુ એક પગલું ઉમેરવામાં આવશે. તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે યુઝર્સોએ આધાર

OTP પણ સબમિટ કરવો પડશે. IRCTC આ નિયમ લાવી રહ્યું છે જેથી એજન્ટોની ગેરરીતિઓ, બોટ બુકિંગ અને નકલી IDનો ઉપયોગ રોકી શકાય. રેલવે દ્વારા જારી કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, '01-07-2025થી ફક્ત આધાર પ્રમાણિત યુઝર્સો જ IRCTC વેબસાઇટ અને તેની એપ્લિકેશન દ્વારા તત્કાલ યોજના હેઠળ ટિકિટ બુક કરી શકશે.' રેલવેના નવા નિયમો શું છે? અહીં સમજો કે ટિકિટ બુકિંગ કેવી રીતે સરળ બનશે….

સવાલ: નવો નિયમ શું છે? જવાબ: હવે તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોએ ઈ-આધાર દ્વારા ડિજિટલ વેરિફિકેશન કરવું પડશે. એટલે કે તમારે તમારા આધારને IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે. સવાલ: તમારા માટે શું બદલાવ આવશે? જવાબ: તત્કાલ બુકિંગ વિન્ડો ખુલ્યાના પહેલા 30 મિનિટમાં ફક્ત તે મુસાફરોને ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે જેમનું IRCTC એકાઉન્ટ આધાર સાથે ચકાસાયેલ છે. સવાલ: ટિકિટ બુકિંગ કેવી રીતે

સરળ બનશે? જવાબ: વિન્ડો ખુલ્યાના પહેલા 30 મિનિટમાં IRCTCના અધિકૃત એજન્ટો ટિકિટ બુક કરી શકશે નહીં, જેના કારણે બ્રોકર્સ અને બોટ્સનો પ્રવેશ બંધ થઈ જશે. તે જ સમયે, આધાર વેરિફાઇડ યુઝર્સને ટિકિટ બુકિંગ દરમિયાન એક OTP મળશે, જે વેરિફિકેશન પૂર્ણ કરવા માટે દાખલ કરવું પડશે. સવાલ: આ નિયમ શા માટે લાગુ કરવામાં આવ્યો? જવાબ: તત્કાલ ટિકિટના કાળાબજાર અને નકલી IDથી બુકિંગ રોકવા માટે આ પગલું

લેવામાં આવ્યું છે. રેલવેના જણાવ્યા અનુસાર, ઓનલાઈન તત્કાલ ટિકિટોમાંથી અડધાથી વધુ ટિકિટો બારી ખુલ્યાના 10 મિનિટની અંદર વેચાઈ જાય છે, જેમાં મોટી સંખ્યામાં એજન્ટો અને બોટ્સ સામેલ હોય છે. છેલ્લા એક વર્ષમાં IRCTCએ 3.5 કરોડ નકલી યુઝર ID બ્લોક કર્યા છે. તમારા અવાજથી ટ્રેન ટિકિટ બુક કરો: રેલ્વેના AI ચેટ-બોટ પર IRCTC પાસવર્ડની જરૂર નથી; આ સરળ પગલાં અનુસરો હવે તમારે ટ્રેન ટિકિટ

બુક કરવા માટે IRCTC પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. તમે ફક્ત તમારા મોબાઇલ પર તમારા અવાજનો ઉપયોગ કરીને ટિકિટ બુક અથવા રદ કરી શકો છો. IRCTCના AI-સંચાલિત ચેટ બોટ AskDISHA 2.0 તમને હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અથવા અન્ય ભાષાઓમાં બોલીને તમારી ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. આ સ્ટોરીમાં પાસવર્ડ વિના ટિકિટ બુક કરવા અને રદ કરવા માટેની સરળ ટિપ્સ જાણો... સંપૂર્ણ સમાચાર વાંચો

Leave a Reply

Related Post