ઈરફાને રામજી મંદિરમાં આતંક મચાવ્યો: ‘આરતીના ધતિંગ બંધ કરી દો’ કહી ભગવાનના ફોટાને લાત મારી; રોકવા ગયેલા યુવક, તેના પિતા અને મિત્રને ઈદે પતાવી દેવાની ધમકી આપી

ઈરફાને રામજી મંદિરમાં આતંક મચાવ્યો:‘આરતીના ધતિંગ બંધ કરી દો’ કહી ભગવાનના ફોટાને લાત મારી; રોકવા ગયેલા યુવક, તેના પિતા અને મિત્રને ઈદે પતાવી દેવાની ધમકી આપી
Email :

વડોદરા શહેરના આજવા રોડ એક્તાનગરમાં આવેલા ભગવાન રામના મંદિરમાં ઘુસી ઈરફાન શેખે તોડફોડ કરી શહેરની શાંતિ ડહોળાવવોનો પ્રયત્ન કર્યો હતો. ઈરફાન મંદિરમાં ઘુસી ‘આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંઘ કરો’ કહી સ્પિકર સહિત પુજાપાઠનો સામાન ફેંકી દીધો હતો. તેમજ મંદિરે હાજર યુવક અને તેની માતાને માર માર્યો હતો. સાથે યુવક, તેના પિતા અને તેના મિત્રને ઈદે પતાવી દેવાની ધમકી આપી હતી. બાપોદ પોલીસે તાત્કાલિક ઈરફાનને પકડી પાડી તેની સામે ગુનો

નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ‘આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંઘ કરો.’ આજવા રોડ એક્તાનગર મરાઠી મહોલ્લામાં રહેતો 19 વર્ષીય અક્ષય હરીશભાઈ સરાણીયા મંગળવારે સાંજે સાત વાગ્યે ગણપતિ ચોકમાં આવેલા ભગવાન રામના મંદિરે આરતી કરવા ગયો હતો અને આરતી પતાવી મંદિરમાં અગરબત્તી કરતો હતો. તે સમયે મંદિરની પાછળ રહેતો ઇરફાન મોહમંદ શેખ મંદિરની સામે આવી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, ‘આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંઘ

કરો.’ જોકે ત્યારબાદ તે મંદિરમાં ઘુસી ગયો હતો અને મંદિરમાં રાખેલા ભગવાન રામના ફોટા નીચે ફેંકી દીઘા હતા, તેમજ ભગવાન રામની માળા ખેંચીને ગોળ ફરાવીને ફેંકી હતી, મંદિરમાં રાખેલા દીવા સહિતનો સામાન પણ નીચે ફેંકી દીધો હતો. આટલું જ નહીં ઈરફાને આરતી વગાડવા માટે રાખેલું એપ્લીફાયર તથા સ્પીકર પણ નીચે ફેંકી દીધું હતું. 'ઇદના દિવસે મને પતાવી નાખવાનો પ્લાન છે' ફરિયાદી અક્ષય સરાણીયાએ જણાવ્યું હતું કે, વિધર્મી ઈરફાન શેખે મંદિરમાં તોડફોડ કરી છે.

હું આરતી કરીને મંદિરની બહાર નીકળ્યો હતો અને ઘરે જ પહોંચ્યો હતો અને એમ્પ્લીફાયરનો ધડામ દઈને અવાજ આવ્યો હતો. જેથી હું પાછો મંદિરે આવ્યો હતો, જ્યાં ઈરફાન મંદિરમાં તોડફોડ કરી રહ્યો હતો. હું તેને રોકવા ગયો તો તેણે મને માર માર્યો હતો. આ સમયે મારી મમ્મી પણ આવી હતી અને ઈરફાને મારી મમ્મીને પણ ધક્કો માર્યો હતો. મેં તેને કહ્યું હતું કે, તમારી પાસે સમયની નમાજમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી, તો અમારી

7 વાગ્યાની આરતીમાં તમને શું પ્રોબ્લેમ થાય છે. ત્યારે ઈરફાને હનુમાન ચાલીસા કરવાની ના પાડી હતી અને કહ્યું હતું કે, આ ધતિંગ બંધ કરી દો, આ બધું ફેંકી દો, નહીં તો અમે આવીને તમને મારી નાખીશું. ત્યારબાદ મને હવે ધમકી મળી છે કે, મને ઇદના દિવસે પતાવી દેવાનો પ્લાન છે, મારા પપ્પા અને મારા એક મિત્રને પણ મારી નાખવાની ધમકી આપી છે. હનુમાન ચાલીસા અને રામધૂન વાગે તેમાં પણ તેમને પ્રોબ્લેમ ફરિયાદી અક્ષયના

માતા ગાયત્રીબેન સરાણીયાએ જણાવ્યું હતું કે, મારા દીકરાએ ભગવાન રામજીના મંદિરમાં આરતી વગાડી હતી, જેથી ઇરફાન એ કહ્યું હતું કે, તમે આરતી ના વગાડશો, અમને તકલીફ પડે છે. તમે આ બધું બંધ કરો તમારું કાયમનું આ નાટક છે. તમે ધતિંગ કરીને વગાડો છો. તેમ કહી એમ્પ્લીફાયર અને સ્પીકર તોડી નાખ્યા હતા અને ભગવાનના ફોટાને લાત મારી હતી અને માળા પણ તોડી નાખી હતી. અમે મંદિરમાંથી પેનડ્રાઇવ ચોરાઈ જાય છે એના માટે અરજી

પણ આપી છે. એક અઠવાડિયા પહેલા પણ પથ્થરમારો કર્યો હતો. એ સમયે અમે પોલીસ ફરિયાદ આપી હતી, પરંતુ બાપોદ પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નહોતી. આ લોકોનો ત્રાસ ખૂબ વધી ગયો છે. હનુમાન ચાલીસા અને રામધૂન વાગે તેમાં પણ તેમને પ્રોબ્લેમ છે. ઈરફાને પોલીસ સ્ટેશનમાં પણ હંગામો મચાવ્યો ઘટનાની જાણ થતાં પોલીસ ઈરફાન શેખને પકડી એકતાનગર પોલીસ ચોકી લઈ ગઈ હતી. જોકે ત્યાં ઈરફાન બુમાબુમ કરવા લાગ્યો હતો. પોલીસે તેને શાંત રહેવાનું કહેતા પોલીસ સાથે

ઝપાઝપી કરી હતી. આ દરમિયાન પોલીસનું વાહન ત્યાં આવી જતા ઈરફાન ઉશ્કેરાઈ ગયો હતો. પોલીસે તેને વાહનમાં બેસવાનું કહેતા તેને પોલીસ ચોકીના ટેબલ પરના કાચ નીચે રાખેલુ કપડું ખેંચતા ત્યાં મુકેલા બે કાચના ભાગ નીચે પડીને તૂટી ગયા હતા. એક વર્ષ પહેલા પણ મંદિરને લઇ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો એક્તાનગરમાં આવેલા આ જ મંદિરે વર્ષ 2024 માર્ચ મહિનામાં લાઉડ સ્પીકરમાં ચાલતી હનુમાન ચાલિસાનો અવાજ ઓછો કરાવાના મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.

ટોળુ મંદિરે લાઉડ સ્પિકરનો અવાજ ઓછો કરાવવા પહોંચ્યું હતું. ત્યારે જોત-જોતામાં સ્થળ પર પથ્થરમારો થઈ ગયો હતો. 80થી 90 જણના ટોળા સામ-સામે આવી ગયા હતા. ત્યારે ઘટનામાં ત્રણ જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બાપોદ પોલીસ દ્વારા 25થી 30 જણના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, આ જ મંદિરે ફરી ઘટના બની હતી. 1 વર્ષ જેટલા સમય બાદ ફરી મંદિરને લઈ શહેરની શાંતિ ડહોળાવવાનો પ્રયત્ન થયો છે.

Leave a Reply

Related Post