Jagannath Rath Yatra 2025: સુખોઇ જેટના પૈડા પર ચાલશે ભગવાન જગન્નાથજીના રથ

Jagannath Rath Yatra 2025: સુખોઇ જેટના પૈડા પર ચાલશે ભગવાન જગન્નાથજીના રથ
Email :

રથયાત્રાનું નામ પડતા જ ભક્તોની ભીડ, માનવ મહેરામણ, આસ્થાનું પૂર, ભક્તિ અને ભગવાન જગન્નાથજીની ભવ્ય સવારી માનસપટ પર તરવા લાગે છે. ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બળરામ સાથે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભક્તોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળે છે. હૈયે હેયુ દળાય તેવી મેદની અને જય રણછોડ, માખણ ચોરના નાદ સર્વ વાતાવરણમાં ગુંજ્યા કરે છે.

જો કે આ વખતે કોલકાત્તામાં યોજાનારી રથયાત્રા ખુબ ખાસ રહેવાની છે, કેમકે ભગવાન જગન્નાથજીના રથ આ વખતે એ પૈડાઓ પર ચાલશે જે ભારતીય સેનાના સુખોઇ લડાકુ વિમાનમાં લગાવવામાં આવે છે. ભક્તિ અને દેશભક્તિનો આવો સમન્વય જોવા જેવો રહેશે.

48 વર્ષથી Boeingના પૈડા પર ચાલતો હતો રથ

ISKCONજે છેલ્લા 5 દશકાઓથી કોલકાત્તામાં ભગવાન જગન્નાથજીની રથ યાત્રાનું ભવ્ય આયોજન કરે છે તેણે અત્યાર સુધી Boeing-747 વિમાનના સેકન્ડ હેન્ડ ટાયરોનો ઉઇપયોગ કરીને રથયાત્રાના રથમાં ઉપયોગ કર્યો હતો. આ ટાયર કોલકાત્તા એરપોર્ટ પરથી લાવવામાં આવ્યા હતા હવે આ ટાયર બહુ જુના થઇ ચુક્યા છે. ગઇ રથયાત્રામાં આ પૈડાઓના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે હવે નવા ટાયરો લગાવવાની તલાશ શરૂ કરવામાં આવી.

આયોજકોને 4 સુખોઇના પૈડા મળ્યા

ISKCONના વાઇસ પ્રેસિડેન્ટ રાધારમણ દાસના જણાવ્યા અનુસાર જ્યારે તેમણે ટાયર નિર્માણ કરતી કંપની MRF સાથે સંપર્ક કર્યો અને સુખોઇ ફાઇટર જેટના ટાયર માંગ્યા, તો એક અધિકારી હેરાન થઇ ગયો જો કે ફરી ગંભીરતા જોતા અને અડગ શ્રદ્ધાને જોતા MRF ટીમે આવીને જોયુ તો જુના ટાયર Boeing જેટના હતા. આથી કંપનીએ તૈયાર દર્શાવી અને 4 પૈડાઓ આપવાનું નક્કી થયુ.

સુખોઇ ટાયરનું 24 KM ટ્રાયલ લેવાયુ

31મેની રાત્રે ભગવાન જગન્નાથના રથમાં નવા ટાયરો નાંખીને 24 કિલોમીટર સુધી ટ્રાટલ લેવામાં આવી. 27 જુલાએ હજારો ભક્ત હવે આ નવા પૈડાવાળા રથને ખેંચશે. 1972થી ભગવાન જગન્નાથજીની ભવ્યરથયાત્રા નીકળે છે. 

Leave a Reply

Related Post