જયશંકરે કહ્યું- આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું: PAK આર્મી ચીફને કટ્ટરપંથી ગણાવ્યા, તેમના લખણમાં જ દેખાય છે; PAKને સંદેશ- આતંકી હુમલાઓ ચાલુ રહેશે, તો પરિણામ ભોગવવા પડશે

જયશંકરે કહ્યું- આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું:PAK આર્મી ચીફને કટ્ટરપંથી ગણાવ્યા, તેમના લખણમાં જ દેખાય છે; PAKને સંદેશ- આતંકી હુમલાઓ ચાલુ રહેશે, તો પરિણામ ભોગવવા પડશે
Email :

વિદેશ મંત્રીએસ જયશંકર યુરોપના ત્રણ દિવસના પ્રવાસે છે. હાલમાં તેઓ નેધરલેન્ડમાં છે. તેમણે અહીં આતંકવાદ સામે ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાન અને કાશ્મીરના મુદ્દા પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને કટ્ટરપંથી ગણાવ્યા છે. નેધરલેન્ડ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના વિચારો અને વર્તનમાં ધાર્મિક કટ્ટરતા સ્પષ્ટપણે દેખાય છે. તેમણે વધુમાં કહ્યું- ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આતંકવાદીઓ જ્યાં પણ છુપાયેલા હશે ત્યાં જઈને

અમે મારીશું,પછી ભલે તેઓ પાકિસ્તાનમાં જ કેમ ન હોય. જયશંકરે કહ્યું કે યુદ્ધવિરામ એક કામચલાઉ ઉકેલ છે. પાકિસ્તાન સાથેના સંઘર્ષના કાયમી અને ટકાઉ ઉકેલનો માર્ગ શું હશે? અમે આતંકવાદનો નિર્ણાયક અંત લાવવા માંગીએ છીએ. યુદ્ધવિરામને કારણે, બંને દેશો એકબીજા સામે લશ્કરી કાર્યવાહી કરી રહ્યા નથી, પરંતુ જો પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલાઓ આ રીતે ચાલુ રહેશે, તો તેનું પરિણામ તેણે ભોગવવું પડશે. પાકિસ્તાનીઓએ આ વાત સારી રીતે સમજવાની જરૂર છે. જયશંકરે અસીમ મુનીરના ભાષણનો પણ

ઉલ્લેખ કર્યો. આમાં તેમણે કાશ્મીરને પાકિસ્તાન માટે 'ગળાની નસ' ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકો ક્યારેય ભૂલી શકતા નથી કે તેઓ હિન્દુઓથી અલગ છે. મુનીરે ઝીન્નાના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતની કહાની બાળકોને સંભળાવવાની હિમાયત કરી હતી જેથી તેઓ સમજી શકે કે ભાગલા શા માટે પડ્યા હતા. આ ઘટનાના માત્ર 5 દિવસ પછી પહેલગામ આતંકવાદી હુમલો થયો. જયશંકરે કહ્યું કે આ હુમલો પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમણે લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા

હતા. જયશંકરે કહ્યું- ભારતે સ્પષ્ટ કહ્યું કે જો પાકિસ્તાન ગોળીબાર રોકવા માંગે છે, તો તે જણાવે જયશંકરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે સીધી વાતચીત થઈ હતી. તેમણે કહ્યું કે ભારતે બધા દેશોને સ્પષ્ટપણે કહ્યું છે કે જો પાકિસ્તાન ગોળીબાર બંધ કરવા માંગે છે, તો તેણે ભારતીય જનરલને ફોન કરીને આ વિશે જણાવવું પડશે. યુદ્ધ રોકવામાં અમેરિકાની ભૂમિકાના સવાલ પર, જયશંકરે કહ્યું કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ

ચાલી રહ્યો હતો, ત્યારે અમેરિકા સહિત ઘણા દેશોએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકા એકમાત્ર એવો દેશ નહોતો. કેટલાક અન્ય દેશો પણ વાતચીત કરી રહ્યા હતા, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ગોળીબાર બંધ કરવાનો નિર્ણય ભારત અને પાકિસ્તાને પરસ્પર વાતચીત પછી લીધો હતો. તેમણે કહ્યું- અમારી પાસે એક હોટલાઇન છે જેના પર અમે સીધી વાત કરી શકીએ છીએ. 10 મેના રોજ, પાકિસ્તાની સેનાએ સંદેશ મોકલ્યો કે તેઓ ગોળીબાર બંધ કરવા માટે તૈયાર છે.

આ પછી, પાકિસ્તાન અને ભારતના લશ્કરી અધિકારીઓએ એકબીજા સાથે વાત કર્યા પછી યુદ્ધવિરામ પર સંમતિ દર્શાવી. જયશંકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો ઉકેલ લાવી દીધો છે. જોકે, વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ તેમની સાથે વાત કરી હતી. આ દરમિયાન, ઉપપ્રમુખ જેડી વેન્સે પીએમ મોદીને ફોન કર્યો હતો. જયશંકરના નિવેદનની 6 મહત્વપૂર્ણ બાબતો...

Leave a Reply

Related Post