જયશંકરે કહ્યું- અમને સાથીઓની જરૂર છે, ઉપદેશકોની નહીં: આર્કટિક સમિટમાં કહ્યું- સલાહ આપનારા પોતે તેનો અમલ કરતા નથી, યુરોપિયન દેશો પર કટાક્ષ કર્યો; ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે છોડ્યું તીર

જયશંકરે કહ્યું- અમને સાથીઓની જરૂર છે, ઉપદેશકોની નહીં:આર્કટિક સમિટમાં કહ્યું- સલાહ આપનારા પોતે તેનો અમલ કરતા નથી, યુરોપિયન દેશો પર કટાક્ષ કર્યો; ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે છોડ્યું તીર
Email :

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત ઉપદેશકોને બદલે સાથીઓની શોધમાં છે. જયશંકરે આર્ક્ટિક સર્કલ ઈન્ડિયા ફોરમમાં વિશ્વની બદલાતી પરિસ્થિતિઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત એક મહત્વપૂર્ણ દેશ બની ગયો છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે અમે દુનિયામાં સાથી દેશો ઇચ્છીએ છીએ, ઉપદેશ આપનારા નહીં. જયશંકરે આ નિવેદન આર્ક્ટિક સર્કલ ઈન્ડિયા ફોરમ 2025માં આપ્યું હતું. સમિટમાં બોલતા, જયશંકરે કહ્યું- જ્યારે આપણે દુનિયા તરફ જોઈએ છીએ, ત્યારે

આપણે સાથીદારો શોધીએ છીએ, ઉપદેશ આપનારા નહીં. ખાસ કરીને એવા ઉપદેશકો કે જેઓ વિદેશમાં જે ઉપદેશ આપે છે તેનો પaતાના ઘરમાં અમલ કરતા નથી. ખરેખરમાં, સમિટના યજમાન સમીર સરને જયશંકરને પૂછ્યું હતું કે ભારતે યુરોપ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ. વિદેશ મંત્રીના મતે, યુરોપમાં હજુ પણ આ સમસ્યા રહેલી છે, પરંતુ યુરોપ એવા તબક્કામાં પહોંચી ગયું છે જ્યારે વાસ્તવિકતાઓ સાથે તેમની પરીક્ષા થશે. તેઓ તેને કેવી રીતે પાસ કરે છે તે જોવાનું બાકી છે. જયશંકરે કહ્યું કે ભારત એવા દેશો સાથે કામ કરવા

માંગે છે જે પરસ્પર આદર અને સમજણ દર્શાવે છે. યુરોપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે કેટલાક યુરોપિયન દેશો હજુ પણ પોતાના મૂલ્યો અને કાર્યો વચ્ચેના અંતર સાથે સંઘર્ષ કરી રહ્યા છું. તેમણે કહ્યું, 'જ્યારે અમે દુનિયા તરફ જોઈએ છીએ, ત્યારે અમે ભાગીદારો શોધીએ છીએ, ઉપદેશકો નહીં. ખાસ કરીને એવા ઉપદેશકો જેઓ વિદેશમાં જે ઉપદેશ આપે છે તેનો અમલ ઘરે કરતા નથી . યુરોપ હજુ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આનો અર્થ એ થયો કે ભારત તે દેશો સાથે કામ કરવા માંગે

છે જે પ્રામાણિકતાથી વર્તે છે. જયશંકરે અગાઉ પશ્ચિમી દેશો પર પણ સવાલો ઉઠાવ્યા હતા જયશંકર ફેબ્રુઆરીમાં જર્મનીની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે મ્યુનિખમાં આયોજિત સુરક્ષા પરિષદમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે લોકશાહી પર પશ્ચિમી દેશોના બેવડા ધોરણો પર સવાલ ઉઠાવ્યા હતા. જયશંકરે કહ્યું હતું કે પશ્ચિમી દેશો લોકશાહીને પોતાની સિસ્ટમ માને છે અને ગ્લોબલ સાઉથના દેશોમાં બિન-લોકશાહી તાકાતોને પ્રોત્સાહન આપે છે. જયશંકરને પૂછવામાં આવ્યું હતું કે શું સમગ્ર વિશ્વમાં લોકશાહી જોખમમાં છે. આના જવાબમાં, તેમણે પોતાની આંગળી પરની શાહી બતાવી અને કહ્યું

કે અમારા માટે લોકશાહી માત્ર એક સિદ્ધાંત નથી પરંતુ એક પૂર્ણ કરવામાં આવેલ વચન છે. પશ્ચિમી દેશો પર બળવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અમેરિકા અને તેના પશ્ચિમી સાથી દેશો પર અન્ય દેશોમાં બળવાખોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. ગયા વર્ષે, બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અમેરિકા પર તેમને ઉથલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો હું બંગાળની ખાડીમાં આવેલ સેન્ટ માર્ટિન ટાપુ અમેરિકાને આપી દીધો હોત, તો હું સત્તામાં રહી શકી હોત. તેવી જ રીતે, અમેરિકા પર આરોપ છે કે 1980ના દાયકામાં

અફઘાનિસ્તાનમાં USSRને હરાવવા માટે તાલિબાન બનાવ્યું હતું. જયશંકરના નિવેદનથી સંબંધિત આ સમાચાર પણ વાંચો... જયશંકરે કહ્યું- યુક્રેન યુદ્ધ વાતચીત દ્વારા ઉકેલવું જોઈએ: ઇટાલિયન અખબારને કહ્યું- જો યુરોપ સિદ્ધાંતોની આટલી ચિંતા કરે છે, તો તે રશિયા સાથેના સંબંધો ખતમ કરે વિદેશ મંત્રી એસ જયશંકર નવેમ્બર 2024માં G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે ઇટાલી પહોંચ્યા હતા. અહીં તેમણે ઇટાલિયન અખબાર કોરીએરે ડેલા સેરા સાથે યુક્રેન યુદ્ધ અને ભારત-ચીન સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી. જયશંકરે યુક્રેન યુદ્ધના રાજદ્વારી ઉકેલ પર ભાર મૂક્યો હતો.

Leave a Reply

Related Post