મફતિયા ચોખા ખાવા જાપાનના કૃષિમંત્રીને ભારે પડ્યા: મંત્રીપદ ગુમાવ્યું, વધતી કિંમતોના સવાલ પર તેમણે કહ્યું- હું ખરીદતો નથી, મારા ચાહકો મને આપી જાય છે

મફતિયા ચોખા ખાવા જાપાનના કૃષિમંત્રીને ભારે પડ્યા:મંત્રીપદ ગુમાવ્યું, વધતી કિંમતોના સવાલ પર તેમણે કહ્યું- હું ખરીદતો નથી, મારા ચાહકો મને આપી જાય છે
Email :

જાપાનના ભૂતપૂર્વ કૃષિમંત્રી તાકુ ઇટોની ચોખાના વધતા ભાવ પરની મજાક ખૂબ મોંઘી સાબિત થઈ. તેમને રાજીનામું પણ આપવું પડ્યું. તેમણે કહ્યું હતું કે તેઓ ક્યારેય ચોખા ખરીદતા નથી, પણ મફતમાં મળે છે. આ નિવેદન પછી મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો ગુસ્સે ભરાયા. ઇટો બુધવારે વડાપ્રધાન કાર્યાલય ગયા અને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ રાજીનામા પછી વડાપ્રધાન શિગેરુ ઇશિબા પર ફુગાવો ઘટાડવાનું દબાણ વધુ વધી ગયું. ચોખાના સતત વધતા ભાવોને નિયંત્રિત કરવામાં અસમર્થતાને કારણે તેમની સરકાર લોકોના ગુસ્સાનો સામનો કરી રહી છે. જાપાનમાં સંસદના ઉપલા ગૃહ

માટે જુલાઈમાં ચૂંટણીઓ યોજાવાની છે, આવી સ્થિતિમાં આ મુદ્દો વધુ રાજકીય મહત્ત્વ મેળવી રહ્યો છે. બે વર્ષમાં ચોખા બમણા મોંઘા થયા જાપાનના સૌથી લોકપ્રિય કોશિહિકારી બ્રાન્ડ ચોખા લગભગ 5,000 યેન (3,000 રૂપિયા) પ્રતિ 5 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે 2023માં 5 કિલો ચોખાની સરેરાશ કિંમત 2000 યેન (1100 રૂપિયા) હતી. વડાપ્રધાન ઇશિબાએ ચોખાનો સરેરાશ ભાવ પ્રતિ 5 કિલોગ્રામ 3,000 યેન (રૂ.1,700) સુધી લાવવાનું વચન આપ્યું છે. પર્યાવરણમંત્રીને નવા કૃષિમંત્રી બનાવાયા ગયા અઠવાડિયે ભંડોળ ઊભું કરવાના કાર્યક્રમમાં તાકુ ઇટોએ કહ્યું હતું કે- મેં ક્યારેય

જાતે ચોખા ખરીદ્યા નથી, કારણ કે મારા સમર્થકો મને એટલા બધા ચોખા દાન કરે છે કે હું એને વેચી શકું. ઇટોના નિવેદનથી લોકો ગુસ્સે થયા, કારણ કે હવે તેઓ એક વર્ષ પહેલાં કરતાં ચોખાની બોરી માટે લગભગ બમણી કિંમત ચૂકવી રહ્યા છે. બુધવારે જ ઇટોની જગ્યાએ શિંજીરો કોઈઝુમીને કૃષિમંત્રી બનાવવામાં આવ્યા, જે અગાઉ પર્યાવરણમંત્રી હતા. કોઈઝુમીએ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના નેતૃત્વ માટે વડાપ્રધાન ઇશિબા સામે ચૂંટણી લડી છે. જોકે, તેઓ આમાં નિષ્ફળ રહ્યા. વડાપ્રધાને આ નિવેદન બદલ માફી પણ માગી હતી જાપાનની ક્યોડો ન્યૂઝ એજન્સી

અનુસાર, તાકુ ઇટોએ કહ્યું- મેં મારી જાતને પૂછ્યું કે ચોખાના સતત વધતા ભાવ છતાં કૃષિમંત્રી રહેવું મારા માટે યોગ્ય છે કે નહીં. પછી મેં નક્કી કર્યું કે ના, આ બરાબર નથી. તેમણે કહ્યું- હું ફરી એકવાર લોકોની માફી માગું છું કે જ્યારે લોકો ચોખાના વધતા ભાવોથી પીડાઈ રહ્યા છે ત્યારે મંત્રી તરીકે મેં ખૂબ જ ખોટું નિવેદન આપ્યું. હું થોડોક વધારેપડતો જ આગળ નીકળી ગયો. વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ પણ તેમના મંત્રીની ટિપ્પણી બદલ માફી માગી. જાપાને 25 વર્ષમાં પહેલીવાર ચોખાની આયાત કરી જાપાનમાં ચોખાના

ભાવ હંમેશાં એક મુખ્ય રાજકીય મુદ્દો રહ્યો છે. 1918માં ચોખાના ભાવ અંગે થયેલાં રમખાણોને કારણે એક સરકાર પડી ભાંગી. વર્તમાન સરકારે ચોખાના ભાવ નિયંત્રિત કરવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ એ અસરકારક રહ્યા નહીં. હવે વિપક્ષ અને સામાન્ય લોકો વપરાશકરમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યા છે, જેથી ફુગાવાનો બોજ કંઈક અંશે ઓછો થઈ શકે. ચોખાના સંકટને કારણે ઘણી જાપાની રેસ્ટોરાં અને સામાન્ય લોકો હવે અન્ય દેશોમાંથી સસ્તા ચોખા આયાત કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. એપ્રિલમાં જાપાને 25 વર્ષમાં પહેલીવાર દક્ષિણ કોરિયાથી ચોખાની આયાત કરી. જાપાન

સરકારના મંજૂરી રેટિંગમાં મોટો ઘટાડો જાપાનમાં ચોખાની અછત માટે ઘણાં કારણો જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. 2023માં ગરમીના કારણે પાક ઓછો થવાના અને 2024માં 'મેગાક્વેક' (મોટો ભૂકંપ)ની ચેતવણીના ડરથી લોકોએ વધુ ચોખા ખરીદ્યા. આનાથી કાળાં બજાર પણ થયાં. વધતી જતી મોંઘવારીને કારણે ઇશિબા સરકારની લોકપ્રિયતામાં પણ ઘટાડો થયો છે. તાજેતરના ક્યોડો સર્વેમાં 87% લોકોએ સરકાર પર ચોખાના ભાવ નિયંત્રિત કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. ઇશિબા સરકારનું મંજૂરી રેટિંગ ઘટીને 27.4% થઈ ગયું છે, જે ગયા વર્ષે ઓક્ટોબરમાં સત્તા સંભાળ્યા પછીનું સૌથી નીચું રેટિંગ છે.

Leave a Reply

Related Post