દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEE એડવાન્સની પરીક્ષા: ગુજરાતમાં 10,000 ઉમેદવારની કસોટી, 17,000 સીટ સામે ક્વોલિફાય અઢી લાખ વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા

દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEE એડવાન્સની પરીક્ષા:ગુજરાતમાં 10,000 ઉમેદવારની કસોટી, 17,000 સીટ સામે ક્વોલિફાય અઢી લાખ વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા
Email :

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા 18 મે, 2025ના રવિવારે દેશની 23 IITમાં પ્રવેશ માટેની JEE (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) એડવાન્સની પરીક્ષા યોજવામાં આવશે. જેમાં JEE મેઈન્સમાં પાસ થયેલા 14.85 લાખમાંથી ક્વોલિફાય થયેલાં અઢી લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકેશે. જોકે, ગત વર્ષે 1.45 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હોવાથી આ વર્ષે પણ અંદાજે દોઢ લાખ વિદ્યાર્થી JEE એડવાન્સની અઘરી પરીક્ષા આપે તેવી શક્યતા છે. રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી અને મેટોડામાં ખાનગી લેબ ખાતે કોમ્પ્યુટર આધારિત આ પરીક્ષા લેવામાં આવશે. રાજકોટના બન્ને સેન્ટર પર અંદાજે 400 સહિત ગુજરાતમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓ JEE એડવાન્સની પરીક્ષા આપવાના છે. સવારે 9થી 12ના પ્રથમ પેપર માટે સવારે 7

વાગ્યાનો રિપોર્ટિંગ ટાઇમ છે. બાદમાં બપોરે 2.30થી 5.30 વાગ્યા દરમિયાન બીજું પેપર હશે. 360 માર્કના 108 માર્કના 2 પેપર હશે. જેમાંથી 140 માર્ક મેળવનારા વિદ્યાર્થીઓને દેશની સારી આઇઆઇટીમાં એડમિશન મળશે તેવું એક્સપર્ટનુ કહેવું છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડની સાથે આધાર કાર્ડ, સ્કૂલ ID, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ અથવા પાનકાર્ડની ઓરીજનલ કોપી સાથે રાખવાની રહેશે. વિદ્યાર્થીઓ પારદર્શક પાણીની બોટલ લઈ જઈ શકશે. જ્યારે હાથ-પગમાં એક પણ ઘરેણાં પહેરવાના નહીં રહે. મેઈન્સની પરીક્ષા 14.85 લાખ વિદ્યાર્થીએ આપી હતીઃ એક્સપર્ટ રાજકોટની મોદી ગ્રુપ ઓફ સ્કુલના એકેડેમિક ડિરેક્ટર અને એક્સપર્ટ અલ્પેશ શાહે જણાવ્યું હતું કે, JEE મેઈન્સની પરીક્ષા 14.85 લાખ વિદ્યાર્થીએ આપેલી હતી,

જેમાં ક્યારેક વિદ્યાર્થીઓની સંખ્યામાં વધઘટ થઈ શકે છે. ક્યારેક આ સંખ્યા 12, 14 કે 16 લાખ થાય છે, પરંતુ તેમાંથી JEE એડવાન્સ માટે ક્વોલિફાય થતા હોય તેવા અઢી લાખ વિદ્યાર્થીઓ હોય છે. જેમાં ઓપન, SC, ST, OBC, ફિઝિકલી હેન્ડીકેપ અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે ક્વોલિફાય હોય છે. ‘JEE એડવાન્સ માટે અઢી લાખ વિદ્યાર્થી ક્વોલિફાય’ દેશમાં અઢી લાખ વિદ્યાર્થી કે જેઓ JEE એડવાન્સની પરીક્ષા આપવા માટે ક્વોલિફાય થયા છે, તેઓ 18 મેના પરીક્ષા આપશે. જેમાં તેઓ ઇન્ડિયાની 23 IITમાં પ્રવેશ માટે એક્ઝામ આપવાના છે. જેમાં 17,000 સીટો છે, તેમાં એડમિશન લેવા માટે આ પરીક્ષા આપશે. JEE મેઈન્સમાં જે વિદ્યાર્થીઓએ

કટઓફ ક્લિયર કર્યુ હોય તેઓ એડવાન્સ માટે ક્વોલિફાય થાય અને તે ક્વોલિફાય થયેલાં વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે ફોર્મ ભરતાં હોય તેવાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. ગત વર્ષે 1.45 લાખ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા હતા દર વર્ષે અઢી લાખ વિદ્યાર્થીઓ JEE એડવાન્સની પરીક્ષા માટે ક્વોલિફાય થતા હોય છે, પરંતુ બધા જ ક્વોલિફાય વિદ્યાર્થીઓ ફોર્મ ભરે તે જરૂરી નથી. ગત વર્ષે 1.45 લાખ વિદ્યાર્થીએ જ ફોર્મ ભર્યા હતા. આ એડવાન્સના રિઝલ્ટ પર વિદ્યાર્થીઓનું મેરીટ બહાર પડતું હૉય છે. જેમાં ઓલ ઇન્ડિયા રેન્ક બહાર પડતા હૉય છે. બાદમાં ટોપ IITમાં વિદ્યાર્થીઓના એડમિશન થતા હોય છે. પેપર પેટર્ન તૈયાર કરવાની જવાબદારી IIT કાનપુરને સોંપાઈ દર વર્ષે

અલગ-અલગ એક્ઝામિન બોડી હોય છે, જેમાં અલગ-અલગ IITને પેપર પેટર્ન ફ્રેમ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. આ વખતે વર્ષ 2025ની JEE એડવાન્સ પરીક્ષાની પેપર પેટર્ન તૈયાર કરવાની જવાબદારી IIT કાનપુરને સોંપવામાં આવી છે. JEE એડવાન્સનુ પેપર દુનિયાની તમામ પરીક્ષામા સૌથી અઘરા પેપરોમાનું એક પેપર હોય છે. બે તબક્કામાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે JEE એડવાન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ એમ 3 વિષયોની પરીક્ષા લેવામાં આવતી હોય છે. સવારે 9થી 12 અને બપોરે 2.30થી 5.30 વાગ્યા દરમિયાન એમ 2 પેપર લેવામાં આવશે. આ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હોય છે. પ્રથમ પેપરમાં 54 પ્રશ્નો હશે. જેમાં 18 ફિઝિક્સ, 18 કેમેસ્ટ્રી અને 18 મેથ્સના

સવાલો હોય છે. આ જ રીતે બીજા પેપરમાં પણ 54 પ્રશ્નો હશે. 108 પ્રશ્નોનું 360 માર્કનુ વેઇટેજ હોય છે. તેમાંથી મળતા માર્ક મૂજબ તેઓનું મેરીટ બનતું હોય છે. 140 માર્ક મેળવનાર દેશની નામાંકિત IITમાં પ્રવેશપાત્ર બનશે જેમાં અમુક પ્રશ્નો એવા હોય છે કે, જેમાં જવાબમાં ચાર વિકલ્પ આપવામાં આવ્યા હોય છે. જેમાંથી એક વિકલ્પ સાચો હોય છે. આ ઉપરાંત સામસામે જોડકાં જોડવાના પ્રશ્ર્નો પૂછવામાં આવે છે. આ ઉપરાંત અમુક સવાલો મલ્ટીપલ કરેક્શન પ્રકારના હોય છે કે જેના 2 કે 3 જવાબો પણ સાચા હોય છે. જેમાં પાર્શિયલ માર્કિંગ સિસ્ટમ હોય છે કે જેથી કરીને તે પ્રશ્નનનુ કઠિનતા મૂલ્ય વધારવામાં આવે

છે. જો કોઈ વિદ્યાર્થીને 360માંથી 140 માર્ક આવે તો તે વિદ્યાર્થી દેશની નામાંકિત IITમાં પ્રવેશપાત્ર બનતો હોય છે. પરીક્ષાર્થીઓ માટે જરૂરી સૂચનાઓ 1. પરીક્ષા કેન્દ્રમાં કઈ-કઈ વસ્તુઓ નહીં લઈ જઈ શકાય? સ્માર્ટ વોચ, મોબાઇલ, બ્લુ ટૂથ, ઇયર ફૉન, હેલ્થ બેન્ડ, સ્માર્ટ ગ્લાસ, ઇલેક્ટ્રોનિક ગેજેટસ, રાઈટિંગ પેડ, કોઈપણ પ્રકારના લખાણ વાળો કાગળ, ફૂટપટ્ટી, પેન્સિલ બોક્સ, પાઉચ, કેલ્ક્યુલેટર, પેન ડ્રાઇવ, ઇલેક્ટ્રોનિક પેન, વોલેટ, હેન્ડ બેગ, ગોગલ્સ સહિતની વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં નહીં લઈ જઈ શકાય. 2. વિદ્યાર્થીઓ દોરા, તાબિજ, રીંગ, બ્રેસલેટ, ઇયર રિંગ્સ, નોઝ પિન, ચેન, નેકલેસ, બ્રોચ, હેર પિન, હેર બેન્ડેન્ટ, મોટા બટનવાળા કપડા ન પહેરવાની અને ચપ્પલ અથવા સેન્ડલ પહેરવાની સૂચના આપવામાં આવી

છે. પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી વખતે વિદ્યાર્થીએ શું ધ્યાન રાખવું? 1. વિદ્યાર્થીઓ પોતાની પારદર્શક પાણીની બોટલ લઈ જઈ શકે છે. 2. લેબ, હૉલ અથવા રૂમ નંબર પરીક્ષા કેન્દ્રની બહાર જોવા નહીં મળે, જેથી એક્ઝામ સેન્ટરની બહાર ભીડ એકત્ર ન થવા દેવી. એડમિટ કાર્ડ પરનુ બારકોડ સ્કેન કર્યા બાદ તમામ વિગતો વિદ્યાર્થીઓને મળી જશે. પરીક્ષા દરમિયાન શું ધ્યાન રાખવું? 1. દરેક ઉમેદવારના ડેસ્ક પર દરેક પેપરની શરૂઆતમાં એક સ્ક્રિબલ પેડ રાખવામાં આવશે, જેનો ઉમેદવાર રફ વર્ક માટે ઉપયોગ કરી શકે. ઉમેદવારને કોઈ વધારાનું સ્ક્રિબલ પેડ આપવામાં આવશે નહીં. ઉમેદવારે આપેલી જગ્યામાં પોતાનું નામ અને JEE (એડવાન્સ્ડ) 2025 રોલ નંબર દાખલ કર્યા પછી સ્ક્રિબલ પેડ પર

સહી કરવી પડશે. 2. ઉમેદવારે દરેક પેપરમાં પોતાની હાજરી નોંધાવવા માટે રોલ લિસ્ટમાં આપેલી જગ્યામાં પોતાના નામ ઉપરાંત સહી કરવાની રહેશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ શું ધ્યાન રાખવું? 1. પેપર પૂર્ણ થયા પછી, સ્ક્રિબલ પેડ નિરીક્ષકને સોંપવું આવશ્યક છે. ત્યારબાદ ઉમેદવારોને એક સમયે એક ઉમેદવાર ક્રમબદ્ધ રીતે પરીક્ષા ખંડમાંથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે. ઉમેદવારોએ નિરીક્ષકની સૂચનાની રાહ જોવી જોઈએ અને સલાહ ન મળે ત્યાં સુધી તેમની બેઠકો પરથી ઉભા થવું જોઈએ નહીં. દેશની 23 IIT કઈ-કઈ જગ્યાએ છે? મુંબઈ, દિલ્હી, કાનપુર, ખરગપુર, મદ્રાસ, ગુવાહાટી, રૂરકી, હૈદરાબાદ, પટના, ભુવનેશ્વર, રોપાર, જોધપુર, ગાંધીનગર, ઇન્દોર, મંડી, વારાણસી, તિરુપતિ, પલક્કડ, ગોવા, જમ્મુ, ધરવડ, ધનબાદ અને ભિલાઈ.

Leave a Reply

Related Post