પાટીદાર આગેવાન જિગીષા પટેલનો પોલીસ પર આક્ષેપ: યુટ્યુબર બન્ની ગજેરા કેસમાં પિયુષ રાદડિયાને અગાઉ થીનર પીવડાવ્યું, ટોર્ચર કર્યું ને આજે નિવેદન આપવા આવ્યા તો કહ્યું- સક્ષમ નથી

પાટીદાર આગેવાન જિગીષા પટેલનો પોલીસ પર આક્ષેપ:યુટ્યુબર બન્ની ગજેરા કેસમાં પિયુષ રાદડિયાને અગાઉ થીનર પીવડાવ્યું, ટોર્ચર કર્યું ને આજે નિવેદન આપવા આવ્યા તો કહ્યું- સક્ષમ નથી
Email :

યુટ્યુબર બન્ની ગજેરા વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને 11 લાખ રૂપિયા માંગી ધમકી આપ્યા અંગે બે અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદોમાં વીડિયો વાઇરલ નહીં કરવા 11 લાખ રૂપિયા ચરખડી ગામના વ્યક્તિ પાસે માગ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમે સાથે આવ્યા માટે પોલીસ તેમનું નિવેદન નોંધી નથી રહી આ કેસમાં બન્ની ગજેરા સાથે પિયુષ રાદડિયાનું મદદગરીમાં નામ ખુલતા આજરોજ પાટીદાર સમાજના મહિલા આગેવાન જીગીસા પટેલ પિયુષ રાદડિયાને લઈ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પિયુષ રાદડિયા ને હાજર

કરવામાં આવ્યો હતો. જોકે, આજે તે નિવેદન દેવા સક્ષમ નથી તેમ કહી ફરી વખત આવવાનું કહેતા જીગીસા પટેલે આક્ષેપ કર્યો હતો કે, અમે સાથે આવ્યા માટે પોલીસ તેમનું નિવેદન નોંધી નથી રહી. ગોંડલ પોલીસે થિનર વાળું પાણી પીવડાવી પિયુષને ટોર્ચર કર્યો હતો અમે આગામી દિવસોમાં ન્યાય માટે પોલીસ સામે કોર્ટમાં લડત કરીશું. હોસ્પિટલમાં હતા ત્યારે બેથી ત્રણ વખત ફોન આવ્યા હતા જીગીસા પટેલે જણાવ્યું હતું કે, અલગ-અલગ કેસોમાં ખોટી રીતે પિયુષ રાદડિયાને સંડોવવામાં આવ્યા છે. જેતપુરમાં બન્ની ગજેરા ઉપર જે ફરિયાદ છે તેમાં

પણ હવે પિયુષભાઇને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. પિયુષભાઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે જેતપુર પોલીસ સ્ટેશનમાંથી પિયુષભાઈને હાજર થવા માટે બેથી ત્રણ વખત ફોન કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં પીયૂષભાઈના રૂમ બહાર બે પોલીસના માણસો પણ બેઠા હતા. તમે સક્ષમ નથી સાજા થઈ જાવ પછી નિવેદન આપવા આવજો આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઇ હાજર થવા માત્ર આવ્યા તો તમે સક્ષમ નથી, અધિકારી હાજર નથી નિવેદન લેવા માટે અને તમે સાજા થઇ જાવ પછી આવજો તેવા બધા બહાના બનાવતા આ કોઈના ઈશારે બધું

થઇ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. આજે પીયૂષભાઈની સાથે અમે લોકો આવ્યા છીએ માટે કાયદાની બહાર જઈને પોલીસ કશું કરી શકે તેમ નથી માટે આ એક ષડયંત્ર હોય તેવું મને લાગી રહ્યું છે. થર્ડ ડિગ્રી ટોર્ચર આપી ધમકાવ્યા હતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગોંડલ પોલીસ તેને ખૂબ જ પ્રેશર કરી રહી હતી અને બે-ચાર લોકોના નામ તું લઇ લે એવું કહેવામાં આવતું હતું. એટલું જ નહિ તને પણ પાસા અને ગુજસીટોક જેવા ગુનામાં અંદર કરી તારી જિંદગી ગોટાળે ચડાવી દેશું

એવી ધમકી આપવામાં આવી રહી હતી. જોકે, પિયુષભાઇ ખોટી વાતમાં સહમત ન થતા તેની ઉપર થર્ડ ડિગ્રી ટોર્ચર કરી તેને થીનરવાળું લીકવીડ પીવડાવવામાં આવ્યું હતું. મુખ્ય આરોપીના જામીન થઇ ગયા ને પીયૂષભાઈને હેરાન કરે છે જ્યારે જરૂર હતી ત્યારે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા ન હતા. આ બધું પોલીસનું ષડયંત્ર હતું હોસ્પિટલ દાખલ ન કરવા દેવા માટેનું કારણ કે જો તાત્કાલિક એડમિટ કરે તો રિપોર્ટમાં થીનરની હાજરી જણાઈ શકે છે. મુખ્ય આરોપીના જામીન થઇ ગયા છે તો પીયૂષભાઈને જામીન આપવામાં જેતપુર પોલીસને શું વાંધો છે

તે સમજાતું નથી. અગાઉ ચાર ખોટી ફરિયાદોની જેમ આ ફરિયાદ કરાઈ છે પિયુષ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ અગાઉ જેમ ચાર ફરિયાદ થઇ એમ ખોટી રીતે પાંચમી ફરિયાદ કરવામાં આવી રહી છે. આ રાજકીય કિન્ના કહો રાખી ફરિયાદ કરવામાં આવી રહી છે. ફરિયાદી અને તેના સાહેદો પણ ભાજપના આગેવાનો છે માટે આ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી રહી છે એવું મને લાગી રહ્યું છે. ફરિયાદી અને બન્ની વચ્ચેની વાતચીતમાં મને કોઈ લેવા દેવા નથી છતાં મારુ નામ ખોલી દેવામાં આવ્યું છે ખોટી રીતે.

Leave a Reply

Related Post