કૈફે કહ્યું- વિરાટ ટેસ્ટ રમવાનું ચાલુ રાખવા માગતો હતો: પસંદગી સમિતિએ તેને ટેકો આપ્યો ન હતો; કોહલીએ 12 મેના રોજ નિવૃત્તી લીધી

કૈફે કહ્યું- વિરાટ ટેસ્ટ રમવાનું ચાલુ રાખવા માગતો હતો:પસંદગી સમિતિએ તેને ટેકો આપ્યો ન હતો; કોહલીએ 12 મેના રોજ નિવૃત્તી લીધી
Email :

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફ માને છે કે વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સિરીઝ માટે સંપૂર્ણપણે તૈયાર હતો. પરંતુ, તેને અજિત અગરકરના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિનો ટેકો મળ્યો ન હતો. કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે આ માહિતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી આપી હતી. રણજી રમીને આ ફોર્મેટ ચાલુ રાખવાના સંકેતો મળ્યા હતા કૈફે બુધવારે IANSને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "મને લાગે છે કે

તે આ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખવા માગતો હતો. તેણે કદાચ BCCI અધિકારીઓ અને પસંદગીકારો સાથે પણ આ અંગે ચર્ચા કરી હશે. પસંદગીકારોએ કદાચ છેલ્લા 5-6 વર્ષના તેના પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હશે અને કહ્યું હશે કે હવે તેનું ટીમમાં સ્થાન નથી. આપણે ક્યારેય જાણી શકીશું નહીં કે શું થયું, પડદા પાછળ ખરેખર શું બન્યું તે અનુમાન લગાવવું ખૂબ મુશ્કેલ છે." તેણે આગળ કહ્યું,

'ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પાછા ફર્યા પછી અને રણજી ટ્રોફી રમ્યા પછી, તે સ્પષ્ટ હતું કે તે આગામી ટેસ્ટમાં કમબેક કરવા માગતો હતો. તેને આશા હતી કે તેને BCCI અને પસંદગીકારો તરફથી પણ સમર્થન મળશે, પરંતુ તેને તે મળ્યું નહીં.' છેલ્લા પાંચ વર્ષમાં ટેસ્ટમાં ફક્ત 3 સદી ફટકારી જો પાછલા વર્ષોમાં કોહલીના પ્રદર્શન પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે તેના પ્રદર્શનમાં ઘટાડો થયો છે.

આ દરમિયાન, તેણે 68 ઇનિંગ્સમાં ફક્ત 2028 રન બનાવ્યા અને ફક્ત ત્રણ સદી ફટકારી. આ સમયગાળા દરમિયાન તેની કારકિર્દીની સરેરાશ ઘટીને 46 થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન, તેણે પર્થમાં શાનદાર સદી ફટકારીને કમબેકના સંકેતો દર્શાવ્યા હતા, પરંતુ બાકીના પ્રવાસમાં તે ફક્ત 90 રન જ બનાવી શક્યો અને ભારત 1-3થી સિરીઝ હારી ગયું. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઉતાવળમાં રન બનાવવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો કૈફ માને છે

કે ઓસ્ટ્રેલિયામાં કોહલીના અભિગમથી ખબર પડી કે તે આ ફોર્મેટથી કંટાળી ગયો હતો. તે ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. ટેસ્ટ ક્રિકેટમાં તમારે કલાકો સુધી ક્રિઝ પર રહેવું પડે છે, જે તેણે પહેલા પણ કર્યું છે, પરંતુ બહારના બોલને રમવાનો પ્રયાસ કરતી વખતે એડ્જ લાગી જતી હતી. એવું લાગતું હતું કે તેની ધીરજ ખૂટી રહી છે. કોહલીના રિટાયરમેન્ટને લગતા આ સમાચાર પણ

વાંચો... શા માટે કોહલીએ લીધી નિવૃત્તિ, 5 કારણ: યુવાઓને તક આપવાનો વિચાર, કોચ ગંભીરના કડક નિયમો; 10,000 રન બનાવી શક્યો નહીં 36 વર્ષીય વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જો તે 1-2 વર્ષ વધુ રમ્યો હોત તો તે 10 હજાર રન બનાવીને આ ફોર્મેટમાં ભારતનો ત્રીજો ટોપ સ્કોરર બની ગયો હોત, પરંતુ વિરાટને રેકોર્ડની કોઈ પરવા નહોતી. સંપૂર્ણ સમાચાર વાંચો...

Leave a Reply

Related Post