કંગના રનૌત પાકિસ્તાન પર લાલઘૂમ: એક્ટ્રેસે કહ્યું, 'આતંકવાદીઓથી ભરેલા દેશને વિશ્વના નક્શા પરથી ભૂંસી નાખવો જોઈએ'

કંગના રનૌત પાકિસ્તાન પર લાલઘૂમ:એક્ટ્રેસે કહ્યું, 'આતંકવાદીઓથી ભરેલા દેશને વિશ્વના નક્શા પરથી ભૂંસી નાખવો જોઈએ'
Email :

બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌતે પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર, તેણે પાકિસ્તાનને આતંકવાદીઓથી ભરેલો ખરાબ દેશ ગણાવ્યો. કંગનાએ તો ત્યાં સુધી કહ્યું કે, 'પાકિસ્તાનને વિશ્વના નકશા પરથી ભૂંસી નાખવું જોઈએ.' કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. જેમાં લખ્યું હતું, 'લશ્કર-એ-તૈયબા સંડોવાયેલ હતું કે નહીં?: પહેલગામ હુમલા અંગે UNSCની બેઠકમાં પાકિસ્તાનને પૂછવામાં આવ્યા કડક પ્રશ્નો, પરિષદે 'ખોટો ફ્લેગ' વાળી વાર્તાને ફગાવી દીધી.' કંગનાએ આ રિપોર્ટ વિશે પોતાની સ્ટોરીમાં લખ્યું છે, "બ્લડી કોકરોચ..., આતંકવાદીઓથી ભરેલો દુષ્ટ,

બદતમીઝ દેશ... વિશ્વના નકશા પરથી ભૂંસી નાખવો જોઈએ." 'ઓપરેશન સિંદૂર' પછી, ગુરુવારે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતે S-400 સંરક્ષણ પ્રણાલી (ડિફેન્સ સિસ્ટમ)થી આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ અંગે એક્ટ્રેસ કંગના રનૌતે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. કંગના રનૌતે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ડ્રોન હુમલાનો વીડિયો શેર કર્યો અને તેની સાથે લખ્યું, "જમ્મુને નિશાન બનાવવામાં આવ્યું. ભારતની સંરક્ષણ પ્રણાલીએ તેને રોકી દીધું. જમ્મુ, મજબૂત રહો." કંગના રનૌતે 'ઓપરેશન સિંદૂર' પર પણ પ્રતિક્રિયા આપી 'ઓપરેશન સિંદૂર' અંગે

કંગના રનૌતે કહ્યું હતું કે, "ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા (ઝીરો ટોલરન્સ). ભારતીય સશસ્ત્ર દળોએ એક સચોટ મિશન, 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓનો નાશ કરવામાં આવ્યો. નવું ભારત." સંજય દત્તે ભારતીય સેનાની હિંમતની પ્રશંસા કરી દરમિયાન બોલિવૂડ એક્ટર સંજય દત્તે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાની હિંમત અને સમર્પણની પ્રશંસા કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક નિવેદન શેર કર્યું. સંજય દત્તે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "આપણા લોકો

પર સતત કરવામાં આવતા હુમલાઓ હવે સહન કરવામાં નહીં આવે. અમે ખચકાટ સાથે નહીં પરંતુ બળ અને અડગ નિશ્ચય સાથે જવાબ આપીશું. દુનિયાએ સમજવું જોઈએ કે, આપણી લડાઈ કોઈ દેશ કે સમુદાય સાથે નથી પરંતુ એવા આતંકવાદીઓ સાથે છે જે ભય, અરાજકતા અને વિનાશ પર ઉછરે છે. કોઈ શંકા ન રહે, આ વખતે આપણે પાછળ નહીં હટીએ. આ આતંકવાદીઓ કાયર છે, જે હિંસાના પડદા પાછળ છુપાયેલા છે. તે અંધારામાં હુમલો કરે છે પરંતુ તેણે શીખવું જોઈએ કે, આપણે એક એવું રાષ્ટ્ર

છીએ, જે ઝૂકતું નથી. જ્યારે પણ તે આપણને તોડવાનો પ્રયાસ કરે છે, ત્યારે આપણે વધુ મજબૂત બનીએ છીએ. આપણી એકતા, આપણો ઉત્સાહ અને લડવાનો આપણો સંકલ્પ તેની નફરત કરતાં વધુ મજબૂત છે." સંજય દત્તે આગળ લખ્યું, "મને મારી સેના પર ગર્વ છે. તેઓ સરહદ પર મજબૂત, નિર્ભય અને કેન્દ્રિત ઉભા છે, દરેક આતંકવાદી હુમલાનો હિંમત અને જોશથી જવાબ આપે છે. તેઓ ફક્ત સરહદોનું જ નહીં પરંતુ દરેક બાળકના સપના, દરેક પરિવારની શાંતિ અને આ રાષ્ટ્રની આત્માનું પણ રક્ષણ કરી રહ્યા છે. તેઓ

ખરા હીરો છે, અને હું તેમને સલામ કરું છું." તેણે એમ પણ કહ્યું, "આ ફક્ત તેમની લડાઈ નથી. આ આપણી લડાઈ છે. નાગરિકો તરીકે, આપણે એક થવું પડશે. આપણે ડરવાના નથી. આ લડાઈ આજે સમાપ્ત થઈ શકે નહીં પરંતુ આપણી શક્તિ, આપણો સંકલ્પ અને આપણી એકતા શક્તિશાળી છે. આપણે તૈયાર છીએ અને જરૂર પડ્યે દરેક શક્ય રીતે સેવા આપીશું. આપણે એક છીએ. આપણે મજબૂત છીએ અને જ્યાં સુધી શાંતિ પુનઃસ્થાપિત ન થાય અને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે અટકીશું નહીં."

Leave a Reply

Related Post