કરણ જોહરે કાર્તિક આર્યનનું પત્તું કાપી નાખ્યું: 'દોસ્તાના 2' માં વિક્રાંત મેસી જોવા મળશે; ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવશે

કરણ જોહરે કાર્તિક આર્યનનું પત્તું કાપી નાખ્યું:'દોસ્તાના 2' માં વિક્રાંત મેસી જોવા મળશે; ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવશે
Email :

કરણ જોહરની ફિલ્મ 'દોસ્તાના 2' વિશે મોટી માહિતી સામે આવી છે. હવે આ ફિલ્મ પર કામ શરૂ થવા જઈ રહ્યું છે જે અગાઉ બંધ કરવામાં આવી હતી. જોકે, રસપ્રદ વાત એ છે કે હવે કાર્તિક આર્યનની જગ્યાએ વિક્રાંત મેસી ફિલ્મનો ભાગ બનશે. અગાઉ પરસ્પર મતભેદોને કારણે, ધર્મા પ્રોડક્શન્સે ફિલ્મ મોકૂફ રાખી દીધી હતી જે હવે ફરી શરૂ થઈ રહી છે. ફિલ્મ સંબંધિત એક નવી અપડેટ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે

કે હવે કાર્તિક આર્યન 'દોસ્તાના 2' નો ભાગ નહીં હોય. હવે તેની જગ્યાએ વિક્રાંત મેસી ફિલ્મમાં જોવા મળશે. જોકે, ટીમ તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે. મીડિયા રિપોર્ટ મુજબ નિર્માતાઓએ સ્ટાર્સને ફરીથી કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં વિક્રાંત મેસી કાર્તિક આર્યનનું સ્થાન લેશે. નિર્માતાઓ ફિલ્મમાં મેઇન રોલ માટે વિક્રાંત મેસીને રાખી રહ્યા છે. જોકે, લક્ષ્ય લાલવાણી ફિલ્મમાં રહેશે. રિપોર્ટમાં જણાવાયું છે કે નિર્માતાઓ 'દોસ્તાના 2' માટે એક ગંભીર એક્ટરની શોધમાં હતા

જેમાં સારી કેમિસ્ટ્રી હોય, ત્યારબાદ વિક્રાંત કરણની પસંદગી બની ગયો છે. જોકે, ટીમ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. 'દોસ્તાના 2' કેમ બંધ કરવામાં આવી હતી? નોંધનીય છે કે વર્ષ 2021 માં, ધર્મા પ્રોડક્શને 'દોસ્તાના 2' બંધ કરી દીધી હતી. જેનું કારણ કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચેના સર્જનાત્મક મતભેદો હોવાનું કહેવાય છે. જે બાદ કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે કોલ્ડ વોર શરૂ થયું. જોકે, હવે બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે.

Leave a Reply

Related Post