કર્ણાટક સરકારે દોષનો ટોપલો BCCI પર ઢોળ્યો: કહ્યું- 'BCCIએ આખી દુનિયાને આમંત્રણ આપ્યું હતું', 'નાસભાગની સંપૂર્ણ જવાબદારી ક્રિકેટ બોર્ડ ને RCBની'

કર્ણાટક સરકારે દોષનો ટોપલો BCCI પર ઢોળ્યો:કહ્યું- 'BCCIએ આખી દુનિયાને આમંત્રણ આપ્યું હતું', 'નાસભાગની સંપૂર્ણ જવાબદારી ક્રિકેટ બોર્ડ ને RCBની'
Email :

કર્ણાટક સરકારે બેંગલુરુમાં થયેલી નાસભાગ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને જવાબદાર ઠેરવ્યાં છે. કર્ણાટક સરકારે બુધવારે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી અને આયોજકોએ સોશિયલ મીડિયા દ્વારા "સમગ્ર વિશ્વ"ને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. હાઇકોર્ટ RCB માર્કેટિંગ હેડ નિખિલ સોસાલે અને અન્ય ચાર લોકોની ધરપકડની કાયદેસરતાને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે. સોસાલેએ તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. સોસલેએ 10 જૂને કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસ અધિકારીઓને ફક્ત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમની ધરપકડ

કરવામાં આવી ન હતી. તેમણે ફક્ત મારી સાથે જ આવું કેમ કર્યું? 4 જૂનના રોજ બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCBની વિક્ટ્ર્રી પરેડ દરમિયાન થયેલી નાસભાગમાં 11 લોકોનાં મોત થયાં હતાં. 33 લોકો ઘાયલ થયા હતા. ખેલાડીઓને જોવા માટે 3થી 4 લાખ ક્રિકેટચાહકો અહીં આવ્યા હતા, જે સ્ટેડિયમની ક્ષમતા કરતાં ઘણા વધારે હતા. કર્ણાટક સરકારે કહ્યું- 3 જૂને છેલ્લી ઘડીએ વિજય પરેડની માહિતી આપવામાં આવી રાજ્ય સરકાર વતી હાજર રહેલા એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીએ કોર્ટને જણાવ્યું હતું કે RCBએ 29 મેના રોજ પંજાબ સામેની મેચ જીતી હતી. ટીમને પહેલાંથી જ ખબર હતી કે

તેઓ ફાઇનલમાં પહોંચી ગયા છે. તેમ છતાં તેમણે સ્ટેડિયમમાં વિક્ટ્રી પરેડ કે ઉજવણી માટે કોઈ પરવાનગી લીધી ન હતી. એડવોકેટ જનરલે કહ્યું, 'મેચ શરૂ થવાના એક કલાક પહેલાં 3 જૂને, RCBએ અમને એક પત્ર આપ્યો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ વિક્ટ્રી પરેડ યોજશે. તેઓ પરવાનગી નહોતા માગી રહ્યા, પરંતુ ફક્ત તેમની યોજના વિશે અમને જાણ કરી રહ્યા હતા.' છેલ્લી સુનાવણીમાં શું થયું... 10 જૂન: બે કેસની સુનાવણી થઈ પહેલો કેસ- કર્ણાટક સરકાર કોર્ટને સીલબંધ પરબીડિયામાં જવાબ આપશે બીજો કેસ: માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની ધરપકડ સંબંધિત અરજી 9 જૂન: અરજીમાં સવાલ- શું પોલીસને ધરપકડ

કરવાનો અધિકાર હતો? સરકારનો અભિપ્રાય- રેસ્ટોરન્ટમાં બેઠા નહોતા, એરપોર્ટ પર હતા બેંગલુરુમાં થયેલી નાસભાગના 3 ફોટા... માર્કેટિંગ હેડના વકીલે કહ્યું- CCBએ CMના આદેશ પર ધરપકડ કરી RCB માર્કેટિંગ અને રેવન્યુ હેડ નિખિલ સોસાલેના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે નિખિલની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે CM સિદ્ધારમૈયાએ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB)ને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટ 6 જૂને નિખિલ સોસાલેની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. વકીલે કોર્ટને જણાવ્યું હતું કે નિખિલ સોસાલે અશોકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, પરંતુ

નિખિલની બેંગલુરુની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ તપાસનો ભાગ નહોતો, કારણ કે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે CCBએ તેની ધરપકડ કરી છે, જોકે CCB આ કેસની તપાસ કરતું નથી. KSCAએ કહ્યું- ભીડને સંભાળવાની જવાબદારી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની હતી કર્ણાટક સરકારે ગુરુવારે KSCA, RCB અને DNA એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક વિરુદ્ધ FIR દાખલ કર્યા બાદ અધિકારીઓની ધરપકડનો આદેશ આપ્યો હતો. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ રઘુરામ ભટ, સેક્રેટરી એ શંકર અને ખજાનચી ઇ એસ જયરામે નાસભાગ કેસમાં તેમની સામેની FIR રદ કરવાની માગ કરી હતી. આના પર કર્ણાટક હાઈકોર્ટે 16 જૂને આગામી સુનાવણી સુધી

KSCA અધિકારીઓને ધરપકડથી રાહત આપી હતી. KSCAએ અગાઉ હાઈકોર્ટમાં પોતાની અરજીમાં કહ્યું હતું કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહારના ગેટ પર ભીડનું સંચાલન કરવાની જવાબદારી RCB અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની છે. RCBની જીતની ઉજવણીમાં નાસભાગ, 11નાં મોત: 33 લોકો ઘાયલ; કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ કહ્યું- સ્ટેડિયમની બહાર 3 લાખ લોકો એકઠા થયા, અમે તૈયાર નહોતા 4 જૂનના રોજ બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિક્ટ્રી પરેડ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે નાસભાગ દરમિયાન 11 લોકોનાં મોત થયાં છે. 33 લોકો ઘાયલ થયા છે, જેમની હાલત ખતરાની બહાર છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

Leave a Reply

Related Post