Keralaના વિશ્વપ્રસિદ્ધ મંદિરમાં 270 વર્ષ પછી થશે મહા કુંભ-અભિષેકમ:

Keralaના વિશ્વપ્રસિદ્ધ મંદિરમાં 270 વર્ષ પછી થશે મહા કુંભ-અભિષેકમ
Email :

કેરળમાં આવેલ સુપ્રિસિદ્ધ મંદિર આસ્થા અને શ્રદ્ધાનો અનોખો સંયોગ છે. કેરળના વિશ્વ પ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં 270 વર્ષ પછી 8 જૂને મહા કુંભ અભિષેકમનું આયોજન થઇ રહ્યુ છે. ખુબજ પ્રખ્યાત આ પરંપરામાં શું હોય છે જાણીએ વિગતે...

ભગવાન વિષ્ણુને સમર્પિત આ પ્રાચીન મંદિરમાં ઘણા સમયથી જીર્ણોદ્વાર ચાલી રહ્યો છે

કેરળની રાજધાની તિરુઅનંતપુરમમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં 3 સદી પછી એક દુર્લભ આયોજન કરવામાં આવી રહ્યુ છે. 270 વર્ષ પછી એક ભવ્ય કાર્યક્રમનુ આયોજન થવાનુ છે મહા કુંભ-અભિષેકમનું આયોજન થવાનું છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ પ્રાચીન મંદિરમાં ઘણા સમયથી જીર્ણોદ્વાર ચાલી રહ્યો છે.

હાલમાં મંદિરમાં ચાલી રહેલ જીર્ણોદ્વારનું કામ પૂર્ણ થતા જ ભવ્ય રીતે મંદિરમાં મહા કુંભ-અભિષેકમનું ભવ્ય અભિષેકનું આયોજન કરવામાં આવ્યુ છે. જાણીએ શું છે મહા કુંભ-અભિષેકમની પરંપરા જે આટલા વર્ષો પછી થશે? આ અભિષેકમાં શું શું થશે?

શું છે મહા કુંભ-અભિષેકમ?

 કુંભ-અભિષેકમ મંદિરમાં થતી એક પરંપરાગત હિન્દૂ અનુષ્ઠાન વિધિ છે, જેનો ઉદ્દેશ્ય આધ્યાત્મિક ઉર્જાને મજબુત કરીને પવિત્રતાને જાગૃત કરવાનો છે. માન્યતા છે કે આ અનુષ્ઠાનથી મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની શક્તિઓ એકત્ર થાય છે અને મંદિરમાં આવતા ભક્તો પર તેના આશિષ પ્રાપ્ત થાય છે. કોઇ નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી જ શુદ્ધીકરણ કરી મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે.

કુંભ-અભિષેકમમાં કુંભનો આશય છે માથુ, શિશ જે મંદિરના શીખર તરફ ઇશારો કરે છે. અભિષેકમનો મતલબ છે સ્નાન અને અનુષ્ઠાન. કુંભ અભિષેકમાં પવિત્ર નદીઓમાંથી જળભરીને લેવામાં આવે છે આ ઘડાને સંસ્કૃતમાં કુંભ કહેવામાં આવે છે. આ મંદિરના અનુષ્ઠાન પહેલા નવનિર્મિત તજીકાકુડમ એટલે કે ગર્ભગૃહ પર રહેલા મંડપન પર અભિષેક કરવામાં આવે છે. વિશ્વસેનની મૂર્તીઓની ફરીથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે.

મંદિરની અંદર રહેલી પરિસરમાં શ્રીકૃષ્ણ મંદિરમાં અષ્ટબંધ કલસમ જેવા અનુષ્ઠાનનું આયોજન થશે. ભક્તો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાશે. ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. તમામ પ્રકારની પરંપરાઓનું પાલન થશે.

સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ છે શ્રી પદ્મનાભસ્વામી મંદિર

કેરળની રાજધાની તિરુઅનંતપુરમમાં સ્થિત આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરને દ્રવિડ શૈલીની મિશ્રણ સ્થાપત્ય શૈલીનું માનવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ આઠમી

સદી જુનો માનવામાં આવે છે. વર્તમાન સ્વરૂપનું નિર્માણ 18મી સદીના ત્રાવણકોરના મહારાજા માર્તન્ડ વર્મા દ્વારા તૈયાર કરાયો છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની સૂતેલી પ્રતિમા છે . શ્રી હરિ તેમના પ્રિય અનંત નાગ પર પોઢી રહ્યા છે. વર્તમાન પ્રતિમા 18 ફૂટની છે. 

Leave a Reply

Related Post