Kitchen Tips : ગરમીમાં ખોરાક ના બગડે માટે રાખો આ બાબતોનું ધ્યાન

Kitchen Tips : ગરમીમાં ખોરાક ના બગડે માટે રાખો આ બાબતોનું ધ્યાન
Email :

ગરમીમાં લાંબા સમય સુધી બહાર રાખવાથી રાંધેલો ખોરાક બગડી જાય છે. કેટલીક વખત તમે ખોરાકને ફ્રિઝમાં રાખો તો પણ તે સારો રહેતો નથી. ખોરાકને હંમેશા ફ્રીઝરમાં રાખવા શક્ય નથી. કારણ કે આપણે જ્યારે કોલેજ કે ઓફિસ જતી વખતે, આપણા ટિફિનને ગરમીમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં, શાકભાજી કે રાંધેલો ખોરાક બગડી જાય છે. તેવી જ રીતે, ઘરે પણ, જો ખાદ્ય પદાર્થો ફ્રીજમાં ન રાખવામાં આવે, તો તેનો સ્વાદ ખરાબ થવા લાગે છે અથવા તેમાંથી ખરાબ ગંધ આવે છે. લોકો ઘણીવાર આ સમસ્યાથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે ઉનાળામાં ખોરાકને બગડવાથી કેવી રીતે બચાવવો?

ઉનાળામાં લાંબા સમય સુધી ખાદ્ય પદાર્થોને સાચવવા આ બાબતો ધ્યાનમાં રાખો

ખોરાકને સારી રીતે ઢાંકી રાખો

તમે જ્યારે ભોજન બનાવો ત્યારબાદ વધેલા ભોજનને સારી રીતે ઢાંકી દો. કારણ કે ઉનાળામાં પર્યાવરણમાં અનેક પ્રકારના બેક્ટેરિયા ઉદભવે છે. આવી સ્થિતિમાં, ખોરાક ખુલ્લો રહી જતા તેમા હવા જાય છે અને ખોરાક ઝડપથી બગડી શકે છે.

ગરમ-ગરમ ખોરાક પેક ના કરો

કોલેજ કે ઓફિસ જતા પહેલા ક્યારેય ગરમ ખોરાક પેક ન કરો. આમ કરવાથી તે ખૂબ જ ઝડપથી બગડી શકે છે. આવી સ્થિતિમાં, પહેલા ખોરાકને ઠંડુ થવા દો. જો તમે ઈચ્છો તો, તમે તેને થોડા સમય માટે ફ્રીઝરમાં પણ રાખી શકો છો. આનાથી તેનું તાપમાન ઘટશે. આ પછી જ ખોરાક પેક કરો.

બચેલા ખોરાકને તાજા ભોજન સાથે ભેળવશો નહીં

ઉનાળામાં, જો તમે ઇચ્છો છો કે તમારો ખોરાક ઝડપથી બગડે નહીં, તો રાત્રિના બચેલા ખોરાકને તાજા ભોજનમાં ભેળવવાની ભૂલ ક્યારેય ન કરો. વાસી ખોરાકને હંમેશા તાજા ખોરાકથી અલગ રાખો. આમ કરવાથી તે લાંબા સમય સુધી તાજું રહેશે.

ગરમીમાં શકય બને ત્યાં સુધી તમારા પરિવારના સભ્યો મુજબ પ્રમાણસર જ ભોજન બનાવવો. વધેલું ભોજન જ્યાં ત્યાં નાખી દેવાથી બહાર ફરતા કૂતરા તેમજ કોઈ ગરીબ તે ખાતા તેમને પણ બીમારી થાય છે.માટે ભોજનનો વધુ બગાડ ના થાય માટે મર્યાદિત ભોજન બનાવો.

Related Post