40 વર્ષ જૂના કેસમાં કુલદીપ શર્માને 3 માસની કેદ: ભુજ સેસન્સ કોર્ટનો ચુકાદો, કચ્છના કોંગ્રેસ અગ્રણી ઇભલા શેઠને માર મારી અપમાનિત કરાયાની ફરિયાદ થઈ હતી

40 વર્ષ જૂના કેસમાં કુલદીપ શર્માને 3 માસની કેદ:ભુજ સેસન્સ કોર્ટનો ચુકાદો, કચ્છના કોંગ્રેસ અગ્રણી ઇભલા શેઠને માર મારી અપમાનિત કરાયાની ફરિયાદ થઈ હતી
Email :

કચ્છ કોગ્રેસના અગ્રણી મરહુમ મંધરા અબદુલ્લા હાજી ઈબ્રાહિમને આજથી 40 વર્ષ પૂર્વે જિલ્લા પોલીસ વડાની કચેરીમા મુલાકાત વેળાએ તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માએ અપમાનિત કરી અપશબ્દ બોલી અને સાથી અધિકારીને બોલાવી માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસની સુનાવણી આખરે ગઈકાલે (9 ફેબ્રુઆરી)અંતિમ તબક્કે પહોંચી હતી. આ કેસનો આજે (10 ફેબ્રુઆરીએ) ભુજ સેસન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો છે. જેમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડા દોષી જાહેર થયા છે. બંને ગુનેગારોએ કોર્ટે ત્રણ

માસની કેદ અને દંડ ફટકાર્યો છે. સરકારી કચેરીમાં તત્કાલીન ઉચ્ચ અધિકારી અને પોલીસ કર્મીઓએ દ્વારા માર મારવા અને અપમાનિત કરવાના કેસમાં લાંબી લડત બાદ આખરે ભુજની સેસન્સ કોર્ટમાં ચુકાદો આવતા આ કેસના ફરિયાદી મરહુમ ઇભલા શેઠના પુત્ર ઇકબાલ મધરાએ કોર્ટ પરિસરમાં ન્યાયકોર્ટના આદેશને આવકારી ખુશી જાહેર કરી હતી અને ઉપસ્થિત સ્નેહીજનોમાં મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે 40 વર્ષ જુના કેસમાં ખૂબ લાંબી કોર્ટ પ્રક્રિયાના અંતે આરોપીઓને કસૂરવાર

ઠેરવવામાં આવ્યા તેનાથી સંતોષ થયો છે. એસપી કચેરી મળવા ગયાને માર મરાયાનો આક્ષેપ હતો આ કેસની હકીકત મુજબ એવી છે કે, અબડાસાના મંધરા અબદુલ્લા હાજી ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા શેઠ નલીયામાં નોંધાયેલા કેસ મામલે તત્કાલિન ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર ગોંવિંદજી જોષી સહિતના આગેવાનો સાથે એસપી કચેરીએ મળવા માટે આવ્યા હતા. એ દરમિયાન જે તે વખતના એસપી કુલદિપ શર્માએ તેમનું અપમાન કરી અપ-શબ્દ બોલી અને સાથી અધિકારીઓને બોલાવી માર મરાયાનો આક્ષેપ

કરાયો હતો અને આ બાબતે જે તે વખતે ઈભલા શેઠને ઇજા પહોંચી હોઈ તેમની સાથે ડેલીગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોષીએ કચ્છના એડવોકેટ એમ.બી.સરદારને રોકી ભુજની ચીફ જયુડિશિયલ કોર્ટમાં એસપી સહિત ચાર આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી. 28 જાન્યુઆરીએ આખરી સુનાવણી પૂરી થઈ હતી જે બાદ વર્ષ 2020માં ફરિયાદીના વકીલ એમ.બી.સરદારનું અવસાન થતાં આ કેસમાં ફરિયાદીના મુખ્ય એડવોકેટ તરીકે આર.એસ.ગઢવી રહ્યા હતા.અગાઉ આ કેસમાં ચાર આરોપી હતા, જેમાંથી બી.એન.ચૌહાણ તથા પી.એસ.બીશનોઇ ચાલુ પ્રોસિડિંગ દરમિયાન મૃત્યુ

પામ્યા હતા. જ્યારે અન્ય બે આરોપી કુલદિપ શર્મા તથા ગીરીશ વસાવડા સામે આ કેસ એડિશનલ ચીફ કોર્ટમાં ચાર્જ ફેમ કર્યા હતા. આરોપીના સ્ટેટમેન્ટ બાદ ગત 28 જાન્યુઆરીના રોજ આખરી સુનાવણી પુરી થઈ છે. અને કેસ 40 વર્ષ બાદ આજે 10 ફ્રેબ્રુઆરીના જજમેન્ટ પર આવ્યો છે. આ કેસમાં ઇભલા શેઠના પક્ષ તથા મૂળ ફરિયાદી વતી આર.એસ.ગઢવીએ દલીલો કરી હતી. સરકારી વકીલ આરોપીનો બચાવ ન કરી શકે આરોપી કુલદિપ શર્મા તથા અન્ય આરોપીઓ માટે જે વખતે સરકારી વકીલ

બચાવ કરતા એડવોકેટ એમ.બી.સરદારે એવી દલીલ કરી હતી કે સરકારી વકીલનો કામ ફરિયાદ પક્ષનો કેશ પુરવાર કરવાનો છે નહીં કે આરોપીનો બચાવ કરવાનો. પછી આરોપી ભલેને જિલ્લાના પોલીસ વડા હોય જ્યારે તે આરોપી તરીકે આવે છે, ત્યારે તે એક આરોપી જ છે અને દરેક આરોપીની જેમ તેણે પોતાનો બચાવ જાતે અથવા પોતાના એડવોકેટ મારફતે કરવો જોઈએ. જેમાં કોર્ટ સહમત થયેલી અને કુલદિપ શર્મા સહિત અન્ય આરોપીઓ એ પ્રાઈવેટ વકીલ રાખી પોતાનો બચાવ કર્યો હતો.

Related Post