વિશ્વ અસ્થમા દિવસ: કચ્છનું ધૂળિયું વાતાવરણ શ્વસન રોગોનું મુખ્ય કારણ

વિશ્વ અસ્થમા દિવસ:કચ્છનું ધૂળિયું વાતાવરણ શ્વસન રોગોનું મુખ્ય કારણ : કોરોના બાદ ફેફસા પર અસર થવાથી દર્દીઓ વધ્યા
Email :

વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર વર્ષે મે માસના પહેલા મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ અને ભારતમાં તેના મૃત્યુ પ્રમાણને ધ્યાનમાં લઈ જાગૃતિના ભાગરૂપે એક સંદેશો વિશ્વને પાઠવી સારવાર માટે અનુરોધ કરવામાં આવે છે. ભારતમાં અસ્થમાના 3.5 કરોડ દર્દીઓ છે. કચ્છમાં ધૂળિયુ વાતાવરણ શ્વસન રોગને આમંત્રણ આપે છે તેવું

તબીબોનો મત છે. કોરોના બાદ ફેંફસા પર અસર થવાથી અસ્થમાના દર્દીઓ વધ્યા છે. જી.કે.જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના તબીબોના જણાવ્યા મુજબ અસ્થમાના સામાન્ય લક્ષણો જેમ કે શ્વાસ લેતી વખતે અવાજ આવવો અને ઉધરસ મુખ્ય પરિબળ છે. જો આવું જણાય તો પલ્મોનરી ફંકશન ટેસ્ટ (પીએફટી) કરાવી લેવો જરૂરી બને છે અને તેના આધારે તબીબો

દવા આપે છે. જો પરિવારમાં કોઈને દમ થયો હોય તો પણ આવા પરીક્ષણ તો કરાવી જ લેવા. ડૉ. કલ્પેશ પટેલ જણાવે છે કે, દમ થવાનું મુખ્ય કારણ જ એલર્જી છે. કચ્છમાં છોડ, વૃક્ષોની પરાગ રજ, ધૂળ, રજકણ અને વાહનોના ધુમાડાને કારણે દિવસે દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ઘણા કિસ્સા એવા બન્યા

છે કે કચ્છ બહારથી બદલીને આવેલા પરિવારોમાંથી કોઈને અહીંના વાતાવરણને કારણે અસ્થમા રોગ લાગુ પડ્યો હોય. જે પરત ફરી જતા બરોબર થઈ જાય છે. કચ્છના વાતાવરણમાં બે ઋતુ વચ્ચેનો કાળ અને રાત્રીનો ભેજ શ્વસન રોગને નિમંત્રે છે. દમના નિયંત્રણ માટે ઇનહેલરની ભૂમિકા મહત્વની હોય છે. દવાની સરખામણીમાં ઇન્હેલર અસરકારક સાબિત થાય છે.

જો ઇન્હેલરનો વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરાય તો શરીરના શ્વાસ લેવાના માર્ગ સુધી તેની અસર થાય છે અને રાહત મળે છે. દમ ના રોગથી બચવા આટલું ચોક્કસ કરવું જોઇએ પરિવારમાં કોઈ ધુમ્રપાન કરતા હોય તો સાવચેતી રાખવી., પાલતુ જાનવર અને પક્ષીઓની એલર્જી હોય તો તેનાથી દૂર રહેવું.,વાયરસના વાયરા હોય તો માસ્ક પહેરીને

બહાર નીકળવાનું., 65 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિએ બેક્ટેરિયલ નિમોનિયા રસી અચૂક લઈ લેવી.,વેક્સિન દરેકે અવશ્ય લગાવવી જે હાઇરિસ્કમાં જરૂરી બને છે.,પ્રદૂષિત વાતાવરણમાં જવાનું ટાળવું., બાળકોને દમ હોયતો સાર સંભાળ મહત્વની બની જાય છે.,દવા નિયમિત લેવી, વજન માપસરનું રાખવું, ધૂમ્રપાન કરતી વ્યક્તિથી બાળકને દૂર રાખવા. ,સંક્રમણના વાયરામાં તબીબના સૂચવ્યા મુજબ કાર્ય યોજના બનાવવી.

Leave a Reply

Related Post