બોપલ ઘુમા આહીર સમાજનો કલેક્ટરને પત્ર: ગુજરાતની શાળાઓમાં ગીતા આધારિત પાઠ્યપુસ્તક ચાલુ રાખવા સમર્થન આપ્યું

બોપલ ઘુમા આહીર સમાજનો કલેક્ટરને પત્ર:ગુજરાતની શાળાઓમાં ગીતા આધારિત પાઠ્યપુસ્તક ચાલુ રાખવા સમર્થન આપ્યું
Email :

બોપલ ઘુમા આહીર સમાજે ગુજરાત રાજ્યની શાળાઓમાં ગીતા આધારિત પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમને ચાલુ રાખવા માટે અમદાવાદ કલેક્ટરને સમર્થન આપતો પત્ર લખ્યો છે. વર્ષ 2024-25થી અમલમાં મૂકવામાં આવેલા આ પાઠ્યપુસ્તકને લઈને સમાજે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા છે. સમાજે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા

માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ એક મનોવૈજ્ઞાનિક શાસ્ત્ર અને જીવન જીવવાની મહાન આચારસંહિતા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ પાઠ્યપુસ્તક અંધશ્રદ્ધા કે કપોળ કલ્પિત વિચારોને પ્રોત્સાહન આપતું નથી. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના ચારિત્ર્ય નિર્માણ અને માનવીય મૂલ્યોના વિકાસ માટે સરળ ભાષામાં બોધકથા અને ભાવાર્થ સાથે

આ પાઠ્યપુસ્તક તૈયાર કર્યું છે. સમાજના સભ્યોએ આ પહેલને સરાહનીય ગણાવી છે અને તેનું શિક્ષણ નિયમિત રીતે ચાલુ રાખવાની માગણી કરી છે. સમાજે કલેક્ટર મારફતે રાજ્ય સરકાર સુધી તેમની લાગણી અને માગણી પહોંચાડવાનો અનુરોધ કર્યો છે, જેથી શાળાઓમાં ગીતા આધારિત પાઠ્યપુસ્તકનું શિક્ષણકાર્ય અવિરત ચાલુ રહે.

Related Post