Lifestyle: એલોવેરા કે ચણાનો લોટ, ટેનિંગ દૂર કરવા કયું વધારે ફાયદાકારક?

Lifestyle: એલોવેરા કે ચણાનો લોટ, ટેનિંગ દૂર કરવા કયું વધારે ફાયદાકારક?
Email :

સ્કિનને ચમકીલી બનાવા માટે લોકો અલગ અલગ પ્રકારના પ્રોડ્ક્ટસ વાપરતા હોય છે તેમજ ઘણા બધા ઘરેલું ઉપચારનો ઉપયોગ પણ કરતા હોય છે. ઘરેલું ઉપચારમાં સૌથી વધુ ઉપયોગ થતું હોય તો એ છે એલોવેરા અને ચણાનો લોટ.

ગરમીમાં ટેનિંગ જલ્દીથી થઈ જાય છે. અને આ ટેંનિગને દૂર કરવા માટે આ બંને વસ્તુઓનો ઉપયોગ થાય છે. પણ આમાંથી ક્યું વધારે સારું છે? જાણો. એલોવેરા અને ચણાનો લોટમાં જે પોષક તત્વો હોય છે તે સ્કિન માટે ઘણા ફાયદાકારક હોય છે. આ બંનેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. દહી અને ચણાનો લોટ હોય કે પછી એલોવેરા હોય તે ટેનિંગને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ આમાંથી ક્યું વધારે ફાયદાકારક છે?

એલોવેરાથી સ્કિન બનશે ચમકદાર

એલોવેરામાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામીન C, A અને બીજા ઘણા બધા પોષક તત્વો હોય છે, જે સ્કિનને ચમકદાર બનાવે છે. અને બીજી ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવામાં મદદ કરે છે. આ ટેનિંગથી થયેલ બળતરાને ઓછું કરવામાં મદદ કરે છે અને સ્કિનને ઠંડત આપે છે. તેમજ સ્કિનને હાઈડ્રેટ રાખે છે.

ચણાનો લોટ છે પોષક તત્વોથી ભરપૂર

ચણાના લોટમાં પોષક તત્વો ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોય છે અને સાથે સાથે ચહેરા માટે પણ ઘણા ફાયદાકરાક હોય છે. આ ડેડ સ્કિનને દૂર કરીને સ્કિનને એક્સફોલિએટ કરે છે, અને ટેનિંગને દૂર કરવામાં પણ મદદ કરે છે. સ્કિનને ચમકદાર બનાવે છે. ચણાના લોટનો ફેસ માસ્ક બનાવીને તમે તેનો ઉપયોગ કરી શકો છો.

ચણાનો લોટ અને ઓલોવેરા બંને સ્કિન માટે ફાયદાકારક છે. પરંતુ તમને ખબર છે કે તમારી સ્કિનની જરૂરત પર નિર્ભર છે. જેમ કે ટેનિંગથી થતી બળતરાને ઓછી કરવા માટે એલોવેરા અને ટેનિંગ ને દૂર કરવા માટે ચણાનો લોટનો ઉપયોગ કરી શકો છો.

ચણાના લોટનો ફેસ પેક બનાવો

પરંતુ એલોવેરા જેલનો રોજ ઉપયોગ કરી શકાય છે. પરંતુ ચણાના લોટનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વાર જ કરી શકો છો. તેનો વધારે ઉપયોગ ના કરવો. તેના સાથે 2 ચમચી ચણાનો લોટ અને તેમાં એક ચમચી હળદર અને દૂધ નાખીને એક ફેસ પેક બનાવી તેને ચહેરા પર 10 થી 15 મિનટ રાખીને ચહેરાને ધોઈ લો. આનાથી ટેનિંગ દૂર થશે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post