Lifestyle: વાળ માટે ફાયદાકારક છે આ વસ્તુઓ, જાણો

Lifestyle: વાળ માટે ફાયદાકારક છે  આ વસ્તુઓ, જાણો
Email :

વાળ મૂળમાંથી ખરવા, વાળ નબળા પડવા અને વચ્ચેથી તૂટવા, વાળને નુકસાન થવું, તેમજ ખોડો જેવી સમસ્યાઓ મોટાભાગના લોકોને થાય છે. આ પાછળના કારણોમાં પ્રદૂષણ, સૂર્યથી વાળનું રક્ષણ ન કરવું, ખોરાકને કારણે જરૂરી પોષક તત્વો ના મળવા તેમજ વાળને સાફ ન કરવા વગેરે બાબતો જવાબદાર છે.

જો તમને પણ આમાંથી એક અથવા વધુ વાળની સમસ્યા હોય, તો સૌ પ્રથમ તમારે તમારા ખોરાકમાં સુધારો કરવો જોઈએ. તમારે નેચરલ વસ્તુઓને વધારે ઉપયોગમાં લેવી જોઈએ. સોશિયલ મીડિયા પર ઘણી નવી ટિપ્સ આવી રહી છે અને તમે ઘણા મોંઘા પ્રોડકટને પ્રચાર પણ કરવામાં આવે છે. તેનાથી પ્રભાવિત થઈને, લોકો હજારો રૂપિયા ખર્ચ કરે છે અને જોઈએ એવા પરિણામો મળતા નથી.

આમળા ખાવા અને લગાવવાના ફાયદા

વાળ માટે આમળા વરદાનથી ઓછું નથી. તેને ખાવાથી વાળ મજબૂત બને છે અને વાળનો ગ્રોથ વધે છે, જ્યારે તેને વાળમાં લગાવવાથી તમને ઘણા ફાયદા પણ થશે, જેમ કે સ્કેલ્પ પર રહેલો ખોડો દૂર થશે અને વાળ ખરવાનું ઓછું થશે, આ સાથે વાળ કાળા પણ થશે.

ભૃંગરાજ ઔષધીય ગુણોથી ભરપૂર

વાળ માટે ભૃંગરાજ તેલ પણ ઉપલબ્ધ છે જે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ બજારમાં રહેલા તેલ પણ ભેળસેળયુક્ત હોઈ શકે છે. તમે આ છોડના પાંદડા તમારા વાળ પર લગાવી શકો છો જે વાળ ખરવા ઘટાડવા અને વાળના ગ્રોથને સુધારવામાં મદદરૂપ છે.

વાળ માટે મેથીના દાણા

મેથીના દાણા તમારા વાળ માટે પણ અદ્ભુત ફાયદા આપે છે. તે તમારા સ્કેલ્પને સાફ કરશે અને વાળ ખરવા અને તૂટવા હશે તો તેને પણ ઘટાડશે. તે વાળને સોફ્ટ પણ બનાવે છે. મેથીના દાણાનું પાણી વાળના મૂળ પર લગાવી શકાય છે અથવા તેને પીસીને મૂળથી છેડા સુધી લગાવવું જોઈએ.

શિકાકાઈ-અરીઠા

આજકાલ, મોટાભાગના લોકો શેમ્પૂનો ઉપયોગ કરવા લાગ્યા છે, જેમાં ઘણા પદાર્થો હોય છે. લોકો વાળ ધોવા માટે શિકાકાઈ અને અરીઠાનો ઉપયોગ કરે છે. તેમાં આમળા પણ ઉમેરવામાં આવતા હોય છે. અરીઠા વાળમાંથી ગંદકી દૂર કરે છે,અને શિકાકાઈ અને આમળા વાળ ખરવા અને ખોડા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

ડુંગળીનો રસ લગાવો

ડુંગળીનો રસ વાળ માટે પણ ફાયદાકારક છે. તે વાળ ખરવાનું પ્રમાણ ઘણું ઓછું કરી શકે છે અને આ જ કારણ છે કે તેનો ઉપયોગ વાળમાં પણ થઈ રહ્યો છે. બજારમાં ડુંગળીનું તેલ પણ આવવાનું શરૂ થઈ ગયું છે. તમે તેનો સીધો ઉપયોગ કરી શકો છો. શેમ્પૂ કરતા એક કલાક પહેલા સ્કેલ્પ પર ડુંગળીનો રસ લગાવો અને પછી વાળ ધોઈ લો.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post