Lifestyle: એન્ટી ઈંફ્લેમેટરી ડાયટ શું છે? કેવી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

Lifestyle: એન્ટી ઈંફ્લેમેટરી ડાયટ શું છે? કેવી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?
Email :

ઈંફ્લેમેશન, બળતરા કે ઈજા જો શરીર પર થાય છે તો તે એક પ્રતિક્રિયા છે. ઈંફ્લેમેશન તમારા શરીરને બીમારી કે કંઈ વાગ્યું હોય તેનાથી બચાવે છે જે તમારી શરીરીની ઈમ્યૂન સિસ્ટમ વધારે છે તો શરીરમાં વાગેલા ઘા કે શરીર પર થયેલા સોજાને તેનાથી રાહત આપે છે. જો કે ક્રોનિક ઈંફ્લેમેશન સોજો શરીર માટે ખતરનાક છે. અને તેનાથી ઘણા રોગો પણ થાય છે.

ક્રોનિક ઈંફ્લેમેશન ધીરે ધીરે શરીરમાં રહેલા સ્વસ્થ કોશિકાઓને નુકસાન પહોચાડે છે તેમજ તેનાથી ડાયાબિટીસ, હાર્ટ સંબંધિત રોગ થાય છે. તેનાથી રાહત મેળવવા આ ખાર્ધ પદાર્થો. જાણો કયા છે આ ખોરાક.

સોજામાંથી રાહત મેળવવા માટે આ ખોરાકનું કરો સેવન

લીલા શાકભાજી, કેળા, સ્પ્રાઉટ્સ, ફુલાવર, ફળો, તેમજ તેવા ફળોનું સેવન કરો જેમ કે, બ્લૂબેરી, દાડમ, દ્રાક્ષ, ચેરી તેમજ હેલ્ધી ફેટવાળા ફળો જેવા કે, એવોકાડો અને ઓલિવ્સ. હેલ્ધી ઓઈલું કરો સેવન જેમ કે એવોકાડોનું તેલ, ઓલિવ ઓઈલ, સરસવનું તેલ પણ ફાયદાકારક છે. તેમજ નટ્સનું સેવન પણ કરી શકો છો નટ્સમાં બદામ, અખરોટ જેવા નટ્સ વધુ અસરકારક છે. ડાર્ક ચોકલેટ પણ ફાયદાકારક છે.

આ ખોરાક સોજાને વધારે

તળેલો ખોરાક જેમ કે સમોસા, ભજીયા, પિઝા, બર્ગર, મોમસ, સફેદ બ્રેડ, પેસ્ટ્રી, પાસ્તા, મિઠાઈ, તેમજ મેદાનું સેવન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમજ કોલ્ડ ડ્રિંક્સનું સેવન ના કરવું જોઈએ તેમા ભરપૂર માત્રામાં સુગર હોય છે. આઈસ્ક્રીમમાં પણ ભરપૂર માત્રામાં સુગર હોય છે એટલા માટે તેનું સેવન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો ખાવામાં આ બબાતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેમજ કયા ખોરાકનું સેવન ના કરવું તે બાબતોનું પણ ધ્યાન રાખવું.

એન્ટી ઈંફ્લેમેટરી ડાયટ શું હોય છે?

આ ડાયટમાં ફ્કત સારો આહાર લેવામાં આવે છે જેમાં ફાઈબરની માત્રા વધારે અને કેલેરીના માત્રા પણ વધારે હોય છે. તેમજ તે અનુસાર તેમા આહાર લેવામાં આવે છે. લીલા શાકભાજી, ફળો અને શરીર માટે લાભદાયક તેવા ઓઈલનું સેવન કરવામાં આવે છે.

Disclaimer: આ માહિતિ માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post