Lifestyle: ચમકી ઉઠશે ચાંદ જેવો ચહેરો, આ ઉપાય અજમાવી લો

Lifestyle: ચમકી ઉઠશે ચાંદ જેવો ચહેરો, આ ઉપાય અજમાવી લો
Email :

આપણે બધા ઈચ્છીએ છે કે આપણી સ્કિન ચમકદાર અને હેલ્ધી રહે. ચહેરા પર ડાઘા ના રહે અને ખીલ પણ ના થાય. આજકાલ સ્કિન કેર વધારે પડતું જ ટ્રેન્ડિંગ કરે છે. લોકો પોતાની સ્કિન માટે મોંઘા મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ વાપરે છે. પરંતુ જો તમારે મોંઘા મોંઘા પ્રોડક્ટ ના વાપરવા હોય તો તમે ઘરેલું ઉપચાર ટ્રાય કરી શકો છે. તે મોંઘુ પણ હોતું નથી અને અસરકારક પણ હોય છે.

ઘરેલું ઉપચાર તો ઘણા બધા છે પરંતુ આ ઉપચાર એ એવો છે જેનાથી તમને ઘણા બધી સમસ્યાઓમાંથી રાહત મળશે અને અને સ્કિન માટે અસરકારક રહેશે. તો જાણો કે ચણાના લોટના પાણીનો ઉપયોગ કરવાથી સ્કિન પરની કઈ સમસ્યાઓમાંથી રહાત મળશે.

ખીલમાંથી મળશે રાહત

ચણાના લોટમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે ચહેરા પરના એકસ્ટ્રા ઓઈલને દૂર કરે છે અને ચહેરા પર રહેલા પોર્સ ને સાફ કરે છે. અને ધીરે ધીરે ખીલને મટાડે છે.

ડલનેસને કરે દૂર

ચણાનો લોટ ચહેરા પરની અંદરની ગંદકીને સાફ કરે છે અને ડેડ સ્કિનને હટાવવામાં મદદ કરે છે. તમે રાતે સૂતા પહેલા ચણાના લોટના પાણીનો ઉપયોગ ચહેરા પર કરો છો તો સવારે તમારી સ્કિન ફ્રેશ અને ચમકતી થઈ જશે.

ટેનિંગથી મળશે રાહત

ચણાના લોટમાં નેચરલ બ્લીચિંગ પ્રોપર્ટીઝ હોય છે અને તે સ્કિન ટોન કરવામાં મદદ કરે છે. તેનાથી ટેનિંગ ધીરે ધીરે ઓટી થાય છે. અને સ્કિનનો રંગ ખીલે છે.

ઓપન પોર્સની સમસ્યા

ચણાના લોટનું પાણીથી સ્કિન ટાઈટ થશે અને ઓપન પોર્સન્ ધીરે ધીરે ઓછા કરશે. અને જો તમારું સ્કિન ટેક્સચર બરાબર નહી હોય તો તે સુધારવામાં પણ મદદ કરશે.

ઓઈલી સ્કિન માટે છે ફાયદાકારક

તમારી સ્કિન જો વધારે ઓઈલી છે તો તમારે આ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ પાણી સ્કિનને ઓઈલી થવાથી રોકે છે. અને સ્કિનને આખો દિવસ ઓઈલ ફ્રી રાખે છે.

પિગમેન્ટેશનને કરશે દૂર

ચણાના લોટનું પાણી સ્કિનને ધીરે ધીરે લાઈટ કરે છે અને સ્કિન પર રહેલી પિંગમેન્ટાશનને દૂર કરે છે. અને તેનાથી સ્કિન ક્લિયર દેખાય છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post