ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકો માટે 'લોનમેળા'નું આયોજન: પોલીસે 22 લાભાર્થીઓની રૂ. 15 લાખ સુધીની લોન મંજૂર કરી, 100 વધુ અરજીઓ પ્રક્રિયામાં

ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકો માટે 'લોનમેળા'નું આયોજન:પોલીસે 22 લાભાર્થીઓની રૂ. 15 લાખ સુધીની લોન મંજૂર કરી, 100 વધુ અરજીઓ પ્રક્રિયામાં
Email :

સુરત શહેરમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નાગરિકોને મુક્તિ આપવાનું મોટું પગલું ઉઠાવતા શહેર પોલીસે ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકો માટે રાહતરૂપ બનતા “લોન મેળા”નું આયોજન કર્યું હતું. ડીસીપી ઝોન-2ના માર્ગદર્શન હેઠળ ઉધના વિસ્તારમાં પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ લોન મેળામાં 22 જેટલા લાભાર્થીઓને તાત્કાલિક રૂ. 15 લાખ સુધીની લોન મંજૂર કરી ચેક હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 100 જેટલા નાગરિકોની લોન સંબંધિત પ્રક્રિયાઓ ચાલુ રાખવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ લોનમેળાનું આયોજન રાજ્યગૃહ મંત્રીના આદેશના અનુસંધાનમાં રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસે અગાઉ કડક કાર્યવાહી હાથ ધરી

હતી. જેના પગલે અનેક વ્યાજખોરો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. તેમ છતાં, આવા શોષણમાંથી લોકોને બચાવવા પોલીસ દ્વારા બેંકો સાથે સંકલન સાથેલોન મેળાઓ યોજાઇ રહ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 2ના અધિકારીઓએ ઉધનામાં આ લોન મેળાનું આયોજન કર્યું હતું. પોલીસ, બેંક અને નાગરિકોનો સમન્વય આ લોન મેળામાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી ભગીરથસિંહ ગઢવી, એસીપી ચિરાગ પટેલ સહિત છ પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. લોન મેળાનું મુખ્ય આકર્ષણ સુટેક્સ કો. ઓપ. બેંક દ્વારા સ્થળ પર જ 22 નાગરિકોને રૂ. 10,000થી

શરૂ કરીને રૂ. 1,00,000 સુધીની લોન મંજૂરી આપવાની સેવા રહી હતી. આ તમામ લાભાર્થીઓને ચેક વિતરણ પોલિસ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું. આર્થિક રીતે નબળા વર્ગના અનેક નાગરિકોએ હાજરી આપી આ મેળામાં મહિલાઓ, શાકભાજીની લારી ચલાવતા, નાનો વેપાર કરતા અને આર્થિક રીતે નબળા વર્ગના અનેક નાગરિકોએ હાજરી આપી હતી. પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરમાં એ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે, શહેરમાં કોઈપણ નાગરિકને લોનની જરૂર હોય તો તેઓ સીધા પોલીસનો સંપર્ક કરી સહાય મેળવી શકે છે. પોલીસ દ્વારા આવા લોકોને લોન સંસ્થા સુધી પહોંચાડીને નિયમિત વ્યવસ્થિત માર્ગે લોન અપાવવામાં મદદરૂપ બનશે.

Leave a Reply

Related Post