'પરવીન બાબી પહેલાથી જ પરિણીત હતી': મહેશ ભટ્ટે કર્યો ખુલાસો, કહ્યું- જે વ્યક્તિ સાથે તેમણે લગ્ન કર્યા તે પાકિસ્તાન ભાગી ગયો અને ક્યારેય પાછો ન આવ્યો

'પરવીન બાબી પહેલાથી જ પરિણીત હતી':મહેશ ભટ્ટે કર્યો ખુલાસો, કહ્યું- જે વ્યક્તિ સાથે તેમણે લગ્ન કર્યા તે પાકિસ્તાન ભાગી ગયો અને ક્યારેય પાછો ન આવ્યો
Email :

પરવીન બાબી ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહેતાં હતાં. એક સમયે તેમનું નામ ફિલ્મ મેકર મહેશ ભટ્ટ સાથે પણ જોડાયું હતું, તે સમયે તેઓ પરિણીત હતા. તાજેતરમાં મહેશ ભટ્ટે ખુલાસો કર્યો હતો કે- પરવીન બાબી પહેલાથી જ પરિણીત હતા. તેમનો પતિ પાકિસ્તાન જતો રહ્યો અને પછી ક્યારેય પાછો જ ન આવ્યો. બીબીસી ન્યૂઝ હિન્દી સાથે વાત કરતા મહેશ ભટ્ટે કહ્યું- 'મને પરવીનના લગ્ન વિશે પછીથી ખબર પડી, જ્યારે અમે પહેલાથી જ રિલેશનશિપમાં હતા. પરવીન પોતે આ વિશે બહુ

ઓછી વાત કરતી હતી, પરંતુ જ્યારે તેની માતા જૂનાગઢથી મળવા આવતી ત્યારે ક્યારેક આ વિષય પર ચર્ચા થતી, કારણ કે તે સમયે હું પરવીન સાથે રહેતો હતો. પછી એવી ચર્ચા થઈ કે પરવીન એક વાર પરણી ગઈ હતી. પણ જે વ્યક્તિને પરણી હતી તે પાકિસ્તાન જતો રહ્યો હતો.' મહેશ ભટ્ટે કહ્યું, 'વર્ષ 2003માં, જ્યારે હું એક ફિલ્મ ફેસ્ટિવલ માટે પાકિસ્તાન ગયો હતો. ત્યાં મને કહેવામાં આવ્યું કે તમને કોઈ મળવા માંગે છે, પણ હું તેને મળી શક્યો નહીં. મેં

ક્યારેય કહ્યું નહોતું કે હું તેમને મળવા માંગતો નથી, પરંતુ કોઈ કારણોસર તે મુલાકાત થઈ શકી નહીં. હું વિચારી રહ્યો હતો કે તે મને કેમ મળવા માંગે છે? હું ક્યારેય એવો વ્યક્તિ રહ્યો નથી કે જેણે કોઈને નારાજ કર્યા હોય. મહેશ ભટ્ટ અને પરવીન બાબીનું અફેર 1977માં શરૂ થયું હતું. તે સમયે પરવીન એક ટોચના એક્ટ્રેસ હતાં અને તેમણે 'અમર અકબર એન્થોની', 'કાલા પથ્થર'નું શૂટિંગ કરી રહ્યા હતા અને તે એક ફ્લોપ ફિલ્મમેકર હતા. મહેશ તથા પરવીનના

સંબંધો બે વર્ષ સુધી ચાલ્યાં કરિશ્મા ઉપાધ્યાયે એક્ટ્રેસ પર 'પરવીન બાબી' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં મહેશ ભટ્ટે પરવીન બાબી સાથેના સંબંધો વિશે કેટલીક વાતો કરી હતી. મહેશ ભટ્ટે આ પુસ્તકમાં કહ્યું હતું કે પરવીન બાબી તેમના મિત્ર કબીર બેદીની ગર્લફ્રેન્ડ હતી. બંનેના સંબંધો બરોબર ચાલતા નહોતા અને ત્યારે જ પરવીન પોતાના કરિયર પર ફોકસ કરવા માટે લંડન જતી રહી હતી. ત્યાંથી પરત આવ્યા બાદ પરવીને તેમને વાતચીત કરવા માટે ઘરે બોલાવ્યા હતા. અહીંથી જ પરવીન સાથે તેમના સંબંધોની

શરૂઆત થઈ હતી. મહેશ ભટ્ટે આ મુલાકાતનો ઉલ્લેખ કરતાં પુસ્તકમાં કહ્યું હતુ્ં, તે સાંજે બે મિત્રોની વાતો ચાલતી ગઈ અને પછી ખામોશીમાં એક શાંતિ મળી હતી. અમારી વચ્ચેનું આકર્ષણ દિલને સ્પર્શી ગયું હતું. મહેશ તથા પરવીનના સંબંધો બે વર્ષ સુધી ચાલ્યા હતા. બંને લિવ ઈનમાં રહેતા હતા. મહેશ પોતાની પહેલી પત્ની લોરિએન (કિરણ ભટ્ટ) તથા પૂજા ભટ્ટને છોડીને પરવીન પાસે આવ્યા હતા. તેમને આ વાતને કારણે ગુનાહિત લાગણી થતી હતી. આથી જ મહેશ ભટ્ટ પરવીનને છોડીને દીકરી તથા પત્ની

પાસે પરત ફરવાનું નક્કી કર્યું હતું. મહેશ ભટ્ટે પુસ્તકમાં એક કિસ્સાની વાત કરતાં કહ્યું હતું, જ્યારે મેં આ નિર્ણય કર્યો અને ઘરની બહાર ગયો તો પરવીન મને સી-ઑફ કરવા પણ આવી નહીં. ઘરના દરવાજા સુધી આવ્યો તો તેણે મારા નામની બૂમ પાડી હતી. જ્યારે હું બેડરૂમના દરવાજા સુધી આવ્યો તો પરવીન પલંગમાં સૂતી સૂતી મારી રાહ જોતી હતી. રૂમમાં એક પ્રકારની ખામોશી હતી અને તે સમયને શબ્દોમાં વ્યક્ત કરવાની જરૂર નહોતી. પરવીન સ્ક્રિઝોફેનિયાથી પીડિત હતી મહેશ ભટ્ટે પુસ્તકમાં પરવીનની

માનસિક બીમારી અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું, એકવાર પરવીન રૂમની અંદર ફ્લોર પર એક ખૂણમાં એકદમ ડરીને સૂતી હતી. તેણે પોતાની જ એક ફિલ્મના આઉટફિટ પહેર્યા હતા. હાથમાં ચાકુ હતું અને તેનો ઉપયોગ અવાર-નવાર બ્રેકફાસ્ટમાં કરતી હતી. જ્યારે હું તેની તરફ આગળ વધ્યો તો પરવીન બોલી- તે લોકો મને મારી નાખશે અને તેણે અમિતાભ બચ્ચનનું નામ લીધું અને કહ્યું- તમને ખબર છે તમે એકદમ નાદાન વ્યક્તિ છો. તે લોકો મારી પર ઝુમ્મર પાડી દેશે. આ ઘટનાથી

મહેશ ભટ્ટ એકદમ ડરી ગયા હતા અને તેમણે આ પહેલા ક્યારેય પરવીનને આ રૂપમાં જોઈ નહોતી. પછી પરવીન અવાર-નવાર આવી હરકતો કરવા લાગી હતી. ડૉક્ટર્સને બતાવ્યાના થોડાં દિવસ પછી ખબર પડી કે પરવીનને સ્ક્રિઝોફેનિયા નામની માનસિક બીમારી હતી. તમામ સારવાર બાદ પરવીનની આ બીમારી ઠીક થવાનું નામ લેતી નહોતી. પરવીનના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે તેને કોઈ મારવા ઈચ્છે છે. થોડાં સમય બાદ તો પરવીનને એમ લાગવા લાગ્યું કે તેની કારમાં બોમ્બ છે. આ જ કારણે

તે એસીના અવાજથી ડરી જતી હતી. પરવીનની આવી સ્થિતિને કારણે તેને રૂમમાં જ બંધ કરી દેવામાં આવી હતી. મહેશ ભટ્ટે અમેરિકામાં પણ પરવીનની સારવાર કરાવી હતી પરંતુ તે સાજી થઈ નહોતી. આ વાતથી થાકી જઈને મહેશે પરવીનનો સાથ છોડી દીધો અને પહેલી પત્ની કિરણ પાસે પરત ફર્યા હતા. પરવીને પોતાના જીવનના અંતિમ દિવસો એકલતામાં પસાર કર્યા હતા અને 20 જાન્યુઆરી, 2005ના રોજ દુનિયામાંથી અલવિદા લીધી હતી. તે સમયે મહેશ ભટ્ટ પરવીનની ડેડબોડીને ક્લેમ કરવા માટે આગળ આવ્યા હતા.

Leave a Reply

Related Post