મનીષ માર્કેટમાં ભીષણ આગનો બનાવ: પતરાના શેડમાં બનાવેલા ઓનલાઈન કંપનીઓના 10 ગોડાઉન સળગતા ફાયરે મેજર કોલ જાહેર કર્યો; 19 ગાડીએ 2 વાગ્યે કાબુમાં લીધી

મનીષ માર્કેટમાં ભીષણ આગનો બનાવ:પતરાના શેડમાં બનાવેલા ઓનલાઈન કંપનીઓના 10 ગોડાઉન સળગતા ફાયરે મેજર કોલ જાહેર કર્યો; 19 ગાડીએ 2 વાગ્યે કાબુમાં લીધી
Email :

સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાતે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગેલી આગ જોતજોતામાં વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ મહામહેનતે રાતના 2 વાગ્યાની આસપાસ આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં ગોડાઉન માલિકોને લાખોનું નુકસાન થયુ છે. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. 10 ગોડાઉનની લાઈનમાં આગ ભભૂકી ઉઠી સુરતના ડભોલી વિસ્તારમાં

ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં ઓનલાઇન વેપાર કરતી અલગ-અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો. ઓનલાઇન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગત મોડીરાતે એક તરફની 10 ગોડાઉનની લાઈનમાં આગ ભભૂકી ઉઠી હતી. 13 ફાયર સ્ટેશનની ગાડીઓની કામગીરીઃ ફાયર ઓફિસર ફાયર ઓફિસર એમ. કે. ધોબીએ જણાવ્યું કે, પતરાના શેડમાં આવેલા એમેઝોન

સહિતની અલગ-અલગ કંપનીઓના ગોડાઉન અહીં ઊભા કરવામાં આવ્યા છે. તેમજ એક બેકરીનો મોટો ભાગ પણ અહીં જણાઈ આવ્યો છે. આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર બોલાવવામાં આવી હતી. ચારે તરફથી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. રાતના 2 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી. હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.

Leave a Reply

Related Post