ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી અરેસ્ટ: બેલ્જિયમ પોલીસે તેને જેલમાં ધકેલ્યો; 13,850 કરોડ રૂપિયાના PNB કૌભાંડનો આરોપી; ભારત લવાશે

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી અરેસ્ટ:બેલ્જિયમ પોલીસે તેને જેલમાં ધકેલ્યો; 13,850 કરોડ રૂપિયાના PNB કૌભાંડનો આરોપી; ભારત લવાશે
Email :

પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચોક્સીની શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે જેલમાં છે. અહેવાલો અનુસાર, ભારતે બેલ્જિયમથી ચોકસીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચોક્સી પર 13,850 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. ગયા મહિને એવું બહાર આવ્યું હતું કે મેહુલ ચોક્સી બેલ્જિયમમાં

છુપાયેલો છે. ત્યાંના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં ચોક્સીની દેશમાં હાજરી વિશે માહિતી આપી હતી. ચોક્સીની ધરપકડ કરતી વખતે પોલીસે બે ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો હતો. આ મુંબઈની એક કોર્ટે જાહેર કર્યા હતા. જે તારીખ 23 મે, 2018 અને 15 જૂન, 2021 હતા. એવું માનવામાં આવે છે કે ચોક્સી પોતાની ખરાબ તબિયત અને અન્ય કારણોને ટાંકીને જામીન અને તાત્કાલિક મુક્તિની માગ કરી શકે છે. પત્નીની મદદથી રેસિડેન્સી

કાર્ડ મેળવ્યું ચોકસીએ 15 નવેમ્બર, 2023ના રોજ બેલ્જિયન 'એફ રેસિડેન્સી કાર્ડ' મેળવ્યું હતું, એવું કહેવાય છે કે તેણે તેની પત્ની જે બેલ્જિયન નાગરિક છે, તેની મદદથી બેલ્જિયન 'એફ રેસીડેન્સી કાર્ડ' મેળવ્યું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોક્સીએ બેલ્જિયમના અધિકારીઓને નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા અને પોતાની નાગરિકતા અંગેનાં તથ્યો છુપાવ્યાં હતાં. તેમણે પોતાની ભારતીય નાગરિકતાની વિગતો પણ જાહેર કરી ન હતી. ચોક્સી બેલ્જિયમ પહેલાં

એન્ટિગુઆ-બાર્બુડામાં રહેતો હતો 2018માં ભારત છોડતા પહેલાં ચોકસીએ 2017માં જ એન્ટિગુઆ-બાર્બુડાની નાગરિકતા લીધી હતી. ચોક્સીએ વારંવાર ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપીને ભારતમાં હાજર થવાનો ઇનકાર કર્યો છે. ક્યારેક તે ફક્ત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ હાજર થતો. ભારતમાં તેમની ઘણી મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે. એન્ટિગુઆથી ગાયબ થઈને ડોમિનિકા પહોંચ્યો, 51 દિવસ જેલમાં વિતાવ્યા ચોક્સી મે 2021માં એન્ટિગુઆથી ગાયબ થઈ ગયો અને પડોશી દેશ ડોમિનિકા પહોંચ્યો. અહીં તેની

ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈની એક ટીમ તેને પ્રત્યાર્પણ કરાવવા માટે ડોમિનિકા પહોંચી હતી, પરંતુ તે પહેલાં તેને બ્રિટિશ રાણીની પ્રિવી કાઉન્સિલ તરફથી રાહત મળી ગઈ હતી. બાદમાં તેને ફરીથી એન્ટિગુઆ સોંપવામાં આવ્યો. જોકે, મેહુલ ચોક્સીને ડોમિનિકા જેલમાં 51 દિવસ વિતાવવા પડ્યા. અહીં તેણે દલીલ કરી હતી કે તે એન્ટિગુઆ જવા માગે છે અને ત્યાં ન્યુરોલોજિસ્ટ પાસેથી સારવાર કરાવવા માગે છે. એન્ટિગુઆ પહોંચ્યાના થોડા દિવસો પછી, ડોમિનિકા

કોર્ટે ચોક્સી સામે નોંધાયેલા કેસોને પણ ફગાવી દીધા. ચોક્સીએ નકલી દસ્તાવેજો સાથે બેલ્જિયમમાં આશ્રય મેળવ્યો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેહુલ ચોકસીએ બેલ્જિયમમાં રહેઠાણ મેળવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેણે પોતાની ભારતીય અને એન્ટિગુઆ નાગરિકતા છુપાવી અને ખોટી માહિતી આપી જેથી તેને ભારત મોકલી શકાય નહીં. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મેહુલ ચોક્સી હવે સ્વિટ્ઝર્લૅન્ડ જવાની યોજના બનાવી રહ્યો છે.

તેણે કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવાનું બહાનું બનાવ્યું છે. મેહુલ ચોકસીએ કોનું 5 મણ સોનું હડપ્યું?:'તમે તો ગુજરાતી છો' કહી કરોડો પડાવ્યા મેહુલ ચોકસી, જેના પર 13 હજાર કરોડથી વધુ રૂપિયાનું બેંકનું કૌભાંડ કરવાનો આરોપ છે. મેહુલ ચોકસી પર ભાવનગરમાં રહેતા એક વેપારીનું 5 મણ કરતાં વધુ સોનું (106 કિલો) પચાવી પાડ્યાનો આરોપ છે. પંજાબ નેશનલ બેંક સહિત કેટલીક બેંકો સાથે થયેલા કૌભાંડમાં પોતાનું નામ ખૂલતાં મેહુલ ચોકસીએ

2017ની સાલમાં દેશ છોડી દીધો હતો. તમને પણ પ્રશ્ન થયો હશે કે મેહુલ ચોકસીએ જેની સાથે લગભગ 100 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી એ વ્યક્તિ કોણ છે? ભાવનગરની વ્યક્તિને મેહુલ ચોકસીએ કરોડોનો ચૂનો કેવી રીતે ચોપડ્યો? 106 કિલો સોનું કેવી રીતે મેહુલ ચોકસીએ હડપી લીધું? આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો... મેહુલ ચોકસી કોણ છે? અભ્યાસ અધવચ્ચે છોડીને બન્યો ઈન્ટરનેશનલ ડાયમંડ કિંગ, પછી કર્યું કરોડોનું કૌભાંડ

મેહુલ એક ઈન્ટરનેશનલ હીરા કારોબારી છે, જેને વર્ષ 2011માં એશિયા પેસેફિક એન્ટરપ્રેન્યોરશિપમાં એવોર્ડ મળ્યો હતો. ઈટાલી, ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ જેવા દેશોને હીરાની વિવિધ પ્રોડક્ટ્સની નિકાસ કરનાર મેહુલની આ કંપનીની ઘણી બ્રાન્ડ્સ છે. ગિલી, નક્ષત્ર, અસ્મિ, માયા, દિયા, સંગિની તમામ બ્રાન્ડ્સ આ મેહુલ ચોકસીની છે. ઐશ્વર્યા રાય અને કેટરીના કેફ જેવી બોલિવુડની હસ્તીઓને તમે આ બ્રાન્ડ્સની જાહેરાતમાં જોઈ હશે. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો....

Leave a Reply

Related Post