મોરબીનું ઐતિહાસિક રેલ્વે સ્ટેશન બન્યું આધુનિક: 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સ્ટેશનનું PM મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

મોરબીનું ઐતિહાસિક રેલ્વે સ્ટેશન બન્યું આધુનિક:10 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સ્ટેશનનું PM મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
Email :

મોરબીના ઐતિહાસિક રેલ્વે સ્ટેશનને નવો ઓપ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજથી વર્ચ્યુઅલી આ સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે. 1935માં રજવાડાના સમયમાં બનેલા આ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરવામાં આવ્યું છે. સ્ટેશનના નવીનીકરણ પાછળ અંદાજે 10 કરોડ રૂપિયાનો

ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ સાંસ્કૃતિક વારસાનું જતન અને લોકસુવિધાઓમાં વધારો કરવાનો છે. સ્ટેશન ખાતે માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, માજી પ્રમુખ

રણછોડભાઈ દલવાડી અને માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરના જૂના રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલથી સાંસ્કૃતિક વારસાનું જતન થશે અને લોકોને આધુનિક સુવિધાઓ મળશે.

Leave a Reply

Related Post