AAPના 40થી વધુ કાર્યકરોની અટકાયત: સ્થાનિકોના રોજગાર મુદ્દે 'કેવડિયા બચાવો આંદોલન'માં ભાગ લેવા જઇ રહ્યા હતા

AAPના 40થી વધુ કાર્યકરોની અટકાયત:સ્થાનિકોના રોજગાર મુદ્દે 'કેવડિયા બચાવો આંદોલન'માં ભાગ લેવા જઇ રહ્યા હતા
Email :

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આજે સવારે 10 વાગ્યે યોજાનારા 'કેવડિયા બચાવો આંદોલન'માં ભાગ લેવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. આ આંદોલન ચૈતર વસાવાના નેતૃત્વમાં યોજાનાર છે. કેવડિયામાં સ્થાનિક લોકોના રોજગારનો મુદ્દો આ આંદોલનનું મુખ્ય કારણ છે. સ્થાનિક

લોકોએ પોતાની જમીન આપી અને લારી-ગલ્લા તેમજ નાના વ્યવસાયો દ્વારા જીવન નિર્વાહ કરી રહ્યા હતા. પરંતુ ગુજરાત સરકારે તેમની દુકાનો અને લારી-ગલ્લા તોડી નાખ્યા છે, જેના કારણે તેમનો રોજગાર છીનવાઈ ગયો છે. આ મુદ્દે જુના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સમાજ અને

અન્ય સંગઠનોએ આંદોલનનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા છોટા ઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના લગભગ 40 કાર્યકરો અને હોદ્દેદારોની પોલીસે વિવિધ પોલીસ મથકોએથી અટકાયત કરી છે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાંથી પણ અન્ય કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

Leave a Reply

Related Post