આજે ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થી NEETની પરીક્ષા આપશે: પરીક્ષાખંડમાં કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું, ગત વર્ષ કરતા આ વર્ષે મેરીટ નીચું જવાની શક્યતા; જાણો શું કહે છે એક્સપર્ટ

આજે ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થી NEETની પરીક્ષા આપશે:પરીક્ષાખંડમાં કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું, ગત વર્ષ કરતા આ વર્ષે મેરીટ નીચું જવાની શક્યતા; જાણો શું કહે છે એક્સપર્ટ
Email :

દેશમાં UG મેડિકલ, એટલે કે MBBS કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 4 એપ્રિલ એટલે કે આજે NEETની પરીક્ષા લેવામાં આવશે. સમગ્ર દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે, આ વર્ષે નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લાખનો ઘટાડો થયો છે. આ વખતે સૌપ્રથમવાર અત્યારસુધીની સૌથી વધુ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે સરકારી સંસ્થાઓમાં NEETનું આયોજન કરાયું છે અને સમગ્ર પ્રક્રિયા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ વર્ષે મેરીટ નીચું રહેવાની પૂરેપૂરી શક્યતા આજે રાજ્યભરમાંથી 80,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે ન્યુ ગુજરાત દ્વારા છેલ્લા બે વર્ષના કટઓફનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. ગત વર્ષે પેપર ખૂબ જ સરળ હોવાથી મેરીટ

ખૂબ જ ઊંચું ગયું હતું. સરકારી કોલેજોમાં એડમિશન માટે ઓપન કેટેગરીમાં કટઓફ 649 માર્ક સુધી પહોંચ્યું હતું. જ્યારે OBC કેટેગરીમાં કટઓફ 637 માર્ક સુધી પહોંચ્યું હતું. જોકે, આ વર્ષે NEETની પરીક્ષામાં ઓપશનનો લાભ બંધ કરી દેવાતા મેરીટ નીચું રહેવાની પૂરેપૂરી શક્યતા એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ 2023માં 200 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એક્સપર્ટ અલ્પેશ શાહે જણાવ્યું હતું કે, મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા આજે એટલે કે, 4 મેના રોજ લેવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા બે વર્ષનાં મેરીટ ઉપર નજર કરીએ તો વર્ષ 2023માં 200 પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. જેમાંથી 180 પ્રશ્નો લખવાનાં હતાં. બાયોલોજીના 100 માંથી 90 તો ફિઝિક્સ અને

કેમેસ્ટ્રીના 50-50 માંથી 45- 45 પ્રશ્નો લખવાના હતા. જેમાં પણ બયોલોજીમાં 70 ફરજિયાત અને બાકીના 30માંથી 20 પ્રશ્નો લખવાના હતા. જ્યારે ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીમાં 35-35 પ્રશ્નો ફરજિયાત લખવાના અને બાકીના 15 માંથી 10-10 પ્રશ્નો લખવાના હતા. ઓપન કેટેગરીમાં 609 તો OBCમાં 590 કટઓફ માર્ક હતા વર્ષ 2023માં સરકારી કોલેજો કે જેની વાર્ષીક ફી માત્ર રૂપિયા 25,000 જેટલી જ હોય છે તે કોલેજોમાં એડમિશન માટે ઓપન કેટેગરીમાં 609 તો OBCમાં 590 કટઓફ માર્ક હતા. જ્યારે GMERS કે જેમાં ફી 3.50થી 4.50 લાખ સુધીની હોય છે. તેમાં ઓપન કેટેગરીમાં 548 તો OBCમાં 541 માર્કે કટઓફ અટક્યું હતું. તે વખતે કટઓફ નીચું હતું જેનું કારણ એ

હતું કે, બાયોલોજીનું પેપર લાંબુ હતું અને ફિઝિક્સનું પેપર કેલ્ક્યુલેટીવ વધારે હતું એટલે કે પેપર થોડું અઘરું હતું. વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શક્યા નહોતા જોકે, ગત વર્ષે એટલે કે વર્ષ 2024માં સરકારી કોલેજોમાં એડમિશન માટે ઓપન કેટેગરીમાં કટઓફ 649 માર્ક સુધી પહોંચી ગયું હતું. જ્યારે OBCનું કટઓફ 637 માર્ક સુધી પહોંચી ગયું હતું. GMERSમાં ઓપન કેટેગરીમાં 608 અને OBCનું 603 માર્ક સુધી કટઓફ પહોંચી જતા અનેક વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ સંસ્થાઓમાં એડમિશન મેળવી શક્યા ન હતા. જેનું કારણ એ હતું કે, વર્ષ 2024નું NEET પરીક્ષાનું પેપર ખૂબ જ સરળ હતું. પૂરા દેશમાં 720માંથી 720 માર્ક મેળવનારા 66 વિદ્યાર્થીઓ હતા. શું ગત વર્ષના પેપરની

અસર 2025ના NEET પેપર પર થશે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે વિદ્યાર્થીઓને એ સવાલ થાય કે ગત વર્ષે પેપર ખૂબ જ સરળ હતું. તો તેની અસર વર્ષ 2025ના આજના NEETના પેપર પર થશે? તો આ માટે વિદ્યાર્થીઓને ખાસ કહેવા માંગીશ કે, જો તમે ગત વર્ષના કટઓફને ધ્યાનમાં રાખી પરીક્ષા આપશો તો વધુ ભૂલો થવાની સંભાવના રહેશે. આજે લેવાનારી પરીક્ષામાં 2 ફેક્ટર ખૂબ જ મહત્ત્વના કારણ કે આજે લેવાનારી પરીક્ષામાં 2 ફેક્ટર ખૂબ જ મહત્ત્વના છે. પ્રથમ બાબતે એ છે કે, સાત વર્ષ બાદ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં 1 લાખનો ઘટાડો થયો છે. ગત વર્ષે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન 24.06 લાખ હતા જેની સામે આ વખતે વિદ્યાર્થીઓના

રજિસ્ટ્રેશન 23 લાખ થયા છે. બીજી બાબત એ છે કે, કોરોના બાદ છેલ્લા ચાર વર્ષથી ઓપ્શનનો લાભ વિદ્યાર્થીઓને મળતો હતો એટલે કે 200માંથી 180 પ્રશ્નો લખવાના થતા હતા એટલે કે 20 માર્કના ઓપ્શન મળતા હતા પરંતુ હવે આ વર્ષથી જ તે બંધ થઈ જશે. કટઓફ કેટલા માર્કે અટકશે તે આજના પેપર ઉપર આધારિત તેમને જણાવ્યું હતું કે, આજે લેવાનારી NEET પરીક્ષામાં ગત વર્ષની તુલનામાં મેરીટ નીચું રહેવાની પૂરેપૂરી સંભાવના છે. જોકે, કટઓફ અંદાજે કેટલા માર્કે અટકશે તે આજનું પેપર કેવું નીકળે છે તેના ઉપર આધારિત છે. ગુજરાતનાં આ 31 શહેર-જિલ્લા પરથી NEETની પરીક્ષા અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, દાહોદ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, કડી, ખેડા, બાલાસિનોર,

મહેસાણા, મોડાસા, નર્મદા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વેરાવળ, વ્યારા, અમદાવાદ, આણંદ, ભાવનગર, ગાંધીનગર, ગોધરા, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ, ગાંધીધામ અને ભુજ. વિદ્યાર્થીઓનું 2 લેયરમાં ચેકિંગ કરાશે NEET પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનું 2 લેયરમાં ચેકિંગ કરાશે, જેમાં બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન પરીક્ષા છે ત્યારે બપોરે 11.30થી 1.30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવશે. સૌપ્રથમ એન્ટ્રી ગેટ પર વિદ્યાર્થીઓને મેટલ-ડિટેક્ટરથી ચેક કરવામાં આવશે. બાદમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રવેશે એ પૂર્વે પોલીસ દ્વારા તેમનું ફિઝિકલ ચેકિંગ થશે. બાદમાં પ્રથમ એક કલાક અને છેલ્લી અડધી કલાક વિદ્યાર્થીઓ વોશરૂમ નહીં જઈ શકે. બાકીના સમય દરમિયાન કોઈ વિદ્યાર્થીઓ વોશરૂમ જાય અને પરત આવે તો તેમનું ફરીથી બાયોમેટ્રિક કરવામાં આવશે. પરીક્ષામાં પેપર

મોકલવાનું કામ ભારતીય પોસ્ટ વિભાગને સોંપાયું ગત વર્ષે નીટની પરીક્ષામાં થયેલી પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને જિલ્લા વહીવટી તંત્રે મોનિટરિંગ મિકેનિઝમમાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે. નીટની પરીક્ષામાં પેપર મોકલવાનું કામ આ વર્ષે ખાનગી એજન્સીઓને બદલે ભારતના પોસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું છે. પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલાં પેપરો હાલ શહેરની બેંકોના સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સરશીટ પોસ્ટ વિભાગ મારફત દિલ્હી સ્થિત NTAની ઓફિસમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત આન્સરશીટનું પેકેજ સીલ થાય ત્યાં સુધી કલેક્ટર વિભાગ અને NTAના ઓબ્ઝર્વરો ત્યાં હાજર રહેશે. જેથી, પ્રક્રિયામાં કોઈ ખામી ન રહે. સોશિયલ મીડિયાની લોભામણી જાહેરાતમાં ફસાવવું નહીં પરીક્ષા દરમિયાન CCTVનું

સતત મોનિટરિંગ રહેશે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના મોબાઇલ સહિતનાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પીવાના પાણીની ટ્રાન્સપરન્ટ બોટલ જ લઈ જવાની રહેશે. વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો પોલીસ-બંદોબસ્ત સાથે પરીક્ષા કેન્દ્રોમાં પહોંચશે. આ પરીક્ષાના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર પ્રભવ જોશી તો નોડલ ઓફિસર તરીકે કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ ગંગારામ મીનાને રાખવામાં આવ્યા છે. આ સાથે જ કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની ટેલિગ્રામ ચેનલ કે અન્ય કોઈ જગ્યાએ લોભામણી જાહેરાત દેખાય કે તેમની પાસે પ્રશ્નપત્રો છે તો આ પ્રકારની બાબતોમાં કોઈપણ વિદ્યાર્થીઓએ ફસાવવું જોઈએ નહીં. NEET (નીટ) પરીક્ષા માટેની અગત્યની સૂચનાઓ 2025 પરીક્ષાખંડમાં ધ્યાનમાં રાખવાની બાબતો

Leave a Reply

Related Post