મોટાભાગે વેપારીઓ પ્રોપર્ટી પર લોન લે છે: પ્રોપર્ટી ઉપર લોન લઇ હપ્તા નહીં ભરનારાઓના DRTમાં સુરતના 3 હજાર કેસ, રાજ્યના 10 હજાર

મોટાભાગે વેપારીઓ પ્રોપર્ટી પર લોન લે છે:પ્રોપર્ટી ઉપર લોન લઇ હપ્તા નહીં ભરનારાઓના DRTમાં સુરતના 3 હજાર કેસ, રાજ્યના 10 હજાર
Email :

ડેબ્ટ્સ રિકવરી ટ્રીબ્યુનલ (DRT)માં સુરત અને સમગ્ર રાજયના લોન ધારકોના કેસ વધી રહ્યા છે અને આ કેસનો આંકડો દસ હજાર નજીક પહોંચી ગયો છે જ્યારે સમગ્ર ભારતમાં આ ફિગર દોઢ લાખનો ફિગર આંબી ગયો છે. મિલકતના માર્કેટ ભાવની વાત કરીએ તો હાલ અબજો રૂપિયાની મિલકતોના કેસ ટ્રીબ્યુનલની સામે છે. સુરતની વાત કરીએ તો મિલકત પર લોન લેનારાઓમાં મોટાભાગના વેપારીઓ છે. એક તરફ શહેરમાં હીરાબજારની મંદીના કારણે

પણ ઘણા લોકોની આવક પર અસર પડી છે, જે પણ એક કારણ છે કે લોકોએ ઘર લેતી વખતે લોન તો લઈ લીધી હતી પરંતુ હવે જ્યારે હપ્તા ભરવાનો સમય છે ત્યારે તેઓ ઇએમઆઇ ભરવામાં અસક્ષમ થઈ રહ્યા છે. લોકોનો પક્ષ પણ જાણવામાં આવે, જબરદસ્તી મિલકતો પર કબજો:એક્સપર્ટ સરકાર આ ઇશ્યુને ગંભીરતાથી લે, જ્યારે લોનના હપ્તા ભરવામાં ન આવે તો કેસ ચીફ કોર્ટમાં જાય છે અને ત્યાંથી

જે ઓર્ડર થાય છે તે મુજબ બેન્કો અને નાણાકિય સંસ્થાઓ પ્રોપર્ટી પર કબજો કરી લે છે. આ પ્રોસિઝરમાં જેણે લોન લીધી હોય તેને પણ સાંભળવા જોઈએ. આ તો લોનધારક ડીઆરટીમાં જાય એ પહેલા જ આદેશ આવી જાય છે કે ઘર-પ્રોપર્ટી ખાલી કરો. ઘણીવાર એવું થાય છે કે ડીઆરટીમાં રેગ્યુલર જજ ન હોવાને લીધે સુનાવણી થતી નથી. હાલ બે જજ છે પરંતુ વચમાં એક અવકાશ એવો પણ રહ્યો

જ્યારે કોઈ જજ નહતા. આ ગાળામાં અનેકની પ્રોપર્ટી જતી રહી. > દિનેશ દ્વિવેદી, સી.એ. હપ્તા ન ભરી શકતા વૃધ્ધ દંપતિ ભાડાના મકાનમાં આવી ગયું સિટીલાઇટ પર રહેતા એક વૃધ્ધ દંપતિએ હોમ લોનના કેસમાં રેગ્યુલર હપ્તા ભરવામાં મુશ્કેલી થતા બેન્કે ડિફોલ્ટ જાહેર કરી કોર્ટમાં કેસ કરીને પઝેશનનો આદેશ લઈ લીધો હતો અને આખરે વૃધ્ધ દંપતિને ઘર ખાલી કરી ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી હતી. બાદમાં આવા મકાનની

બેન્ક હરાજી કરી દેતી હોય છે. સમગ્ર દેશમાં ચંડીગઢમાં સૌથી વધુ 10 હજાર કેસ છે સમગ્ર દેશમાં 1.50 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. અમદાવાદમાં જ દસ હજાર નજીક કેસ છે. સુરતના જ 30 ટકા હોવાનું કહેવાય છે. દેશમાં સૌથી વધુ કેસ ડીઆરટી-2 ચંદીગઢમાં 10 હજાર છે. બીજા નંબરે દિલ્હી-1 છે જ્યાં આઠ હજાર કેસ છે. કોલકત્તા-3 કે જેમાં સાત સાત હજાર અને કોલકત્તા-1માં જ 7200 કેસ છે.

ડિફોલ્ટર જાહેર થાય પછી 60 દિવસમાં કોર્ટમાં જવાનું હોય છે મોટાભાગે આવી લોન ખૂબ જ જરૂરિયાતવાળા કે વેપારી વર્ગ લેતા હોય છે. જ્યારે બેન્કમાંથી આ પ્રકારની લોન લેનારા જો ડિફોલ્ટર જાહેર થાય તો તેણે 60 દિવસમાં કોર્ટમાં જવાનું હોય છે અને કોર્ટમાં જો પઝેશન આપવાનો આદેશ આવી જાય તો 45 દિવસમાં ડીઆરટીમાં જવુ પડે છે. કોર્ટમાંથી પઝેશનનો હુકમ આવે તો 45 દિવસમાં DRTમાં જવાનું હોય છે

Leave a Reply

Related Post