'માતાએ પારકાં ઘરનાં કામ કર્યાં, પિતા નાળિયેર વેચતા': ગુજ્જુ સુપરસ્ટાર વિશાલ જેઠવાની કહાની, કહ્યું- કાન ફેસ્ટિવલમાં જતાં પહેલાં ઈંગ્લિશ બોલતાં ડર લાગતો હતો

'માતાએ પારકાં ઘરનાં કામ કર્યાં, પિતા નાળિયેર વેચતા':ગુજ્જુ સુપરસ્ટાર વિશાલ જેઠવાની કહાની, કહ્યું- કાન ફેસ્ટિવલમાં જતાં પહેલાં ઈંગ્લિશ બોલતાં ડર લાગતો હતો
Email :

એક્ટર વિશાલ જેઠવા કે જે ગુજરાતી છે, જેમની ફિલ્મ 'હોમબાઉન્ડ' તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ હતી, તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે- આ કાર્યક્રમમાં જતા પહેલા તેઓ ખૂબ જ નર્વસ હતા. તેણે કહ્યું કે- તે એટલા ટેન્શનમાં હતા કે તેણે લગભગ કાનમાં ન જવાનું નક્કી કરી લીધું હતું. ગુજ્જુ સ્ટાર વિશાલ જેઠવાએ કહ્યું- 'હું ખૂબ જ ડરી ગયો હતો, ત્યાં જતા પહેલા મારા હાથ-પગ ધ્રૂજતા હતા. મને હંમેશા એક ડર રહે છે કે- હું લોકો સાથે અંગ્રેજીમાં કેવી

રીતે વાત કરીશ? હું તે વાતાવરણથી ટેવાયેલો નથી અને મારી સાથે જઈ રહેલા લોકો બધા ખૂબ જ અનુભવી હતા. મને ડર હતો કે- હું મારી જાતને બધાની સામે કેવી રીતે રજૂ કરીશ. જતા પહેલા પણ, હું એટલો નર્વસ થઈ ગયો હતો કે મેં વિચાર્યું કે- હું નહીં જાઉં." 'વાતચીત અને પ્રેરણા દ્વારા મારો આત્મવિશ્વાસ પાછો આવ્યો' વિશાલે આગળ કહ્યું- 'મને ચિંતા એ નહોતી કે હું શું ગુમાવીશ, મેં લગભગ નક્કી કરી લીધું હતું મારે ન જવું જોઈએ, પરંતુ જ્યારે મેં

કેટલાક લોકો સાથે વાત કરી એ લોકોએ મને સમજાવ્યું અને પ્રેરણા આપી, ત્યારે મારો આત્મવિશ્વાસ આપમેળે પાછો આવી ગયો. જ્યારે હું ત્યાં પહોંચ્યો, ત્યારે મને એક અલગ જ ઊર્જાનો અનુભવ થયો. મારા કપડાં પહેરતા પહેલા, મેં મારો આત્મવિશ્વાસ પહેર્યો અને તે સૌથી મહત્વપૂર્ણ બાબત હતી. તેથી જ્યારે હું ત્યાં હતો, ત્યારે હું દરેક ક્ષણ જીવી રહ્યો હતો કારણ કે મારી પાસે ગુમાવવા માટે કંઈ નહોતું." 'માતાએ પારકાં ઘરનાં કામ કર્યાં, પિતા નાળિયેર વેચતા' પોતાના પરિવાર વિશે વાત કરતા વિશાલે કહ્યું

કે- તે ખૂબ જ નાના પરિવારમાંથી આવે છે. મારી બહેને હંમેશા મને હિંમત આપી છે. મારી પારકાં ઘરનાં કામ કરતી હતી. તે સુપરમાર્કેટમાં સેનિટરી પેડ પણ વેચતી હતી. મારા પિતા નારિયેળ પાણી વેચતા હતા. મેં તે બધું જોયું છે." વિશાલે આગળ કહ્યું, "આજે મારું જીવન ઘણું બદલાઈ ગયું છે, પણ ક્યારેક હું ભૂલી જાઉં છું કે વિશેષાધિકાર કેટલો મોટો છે. આપણે માનીએ છીએ કે વિશેષાધિકાર ફક્ત ફાયદાકારક છે, પરંતુ એવું નથી. વિશેષાધિકારની સાથે જવાબદારી પણ આવે છે." નેપોટિઝ્મ પર

બોલતા, વિશાલ જેઠવાએ કહ્યું- "મારા કો-એક્ટર (હોમબાઉન્ડમાં) ઇશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરને વિશેષાધિકાર મળ્યા હતા. આપણે માનીએ છીએ તેની પાસે તકોની લાઈન લાગી હોય છે, તેમનું જીવન સરળ હોય છે. પરંતુ એવું નથી. તેણે પણ એટલી જ મહેનત કરવી પડે છે. ઘણા નિર્માતાઓ અને દિગ્દર્શકોના બાળકો આવ્યા અને ગયા, દરેક જણ સફળ થયા નથી. પ્રશ્ન એ છે કે દર્શકો કોને સ્વીકારે છે." 'વિશેષાધિકારના ફક્ત ફાયદા જ નહીં પણ ગેરફાયદા પણ છે' વિશાલે એમ પણ કહ્યું, "આપણને તેના જેટલી તકો મળતી નથી,

પરંતુ પોતાને સાબિત કરવા માટે એસ્ટ્રા ઓર્ડિનરી મહેનત કરવી પડે છે. આ કોઈ ફરિયાદ નથી, તે ફક્ત એક સત્ય છે કારણ કે જ્યારે તમે સખત મહેનત કરો છો, ત્યારે જ લોકો તમારી સાથે ફોટા પાડવા માંગે છે." વિશાલે આગળ કહ્યું, 'આપણને લાગે છે કે તેમના સંઘર્ષો અલગ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમના સંઘર્ષો નાના છે. જો કાલે મારો દીકરો થશે, તો તેને 'જેઠવા' અટક મળશે અને આ અટક તેને કેટલાક ફાયદાઓ તેમજ કેટલાક ગેરફાયદા પણ આપશે.'

Leave a Reply

Related Post