હત્યાના આરોપીનું બીમારીથી મોત: વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુન્હાના કેદીનું બીમારીથી મોત, કસ્ટોડિયલ ડેથના મામલે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

હત્યાના આરોપીનું બીમારીથી મોત:વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુન્હાના કેદીનું બીમારીથી મોત, કસ્ટોડિયલ ડેથના મામલે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
Email :

વડોદરાની સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા કાપી રહેલા એક કેદીનું બીમારીને કારણે મોત નીપજ્યું છે. મૃતક કેદીનું નામ જીવાભાઈ લક્ષ્મણભાઈ તળપદા (ઉંમર 43 વર્ષ) હતું, જેઓ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામના વતની હતા. આ ઘટનાને કસ્ટોડિયલ ડેથ તરીકે ગણવામાં આવી રહી છે અને તેની તપાસ માટે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જીવાભાઈ તળપદા

હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. સજા દરમિયાન તેઓ પેરોલ પર મુક્ત હતા, પરંતુ નિર્ધારિત સમયે જેલમાં હાજર થયા ન હતા. વર્ષ 2017 બાદ તેઓ પેરોલ પર બહાર હતા અને આ દરમિયાન કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન, તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા અને જામનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા.સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો ન

થતાં, તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત હાજર કરવામાં આવ્યા હતા. જેલમાં તેમની તબિયત વધુ લથડતાં, તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવાભાઈનું મોત નીપજ્યું. આ ઘટનાને કસ્ટોડિયલ ડેથ તરીકે નોંધવામાં આવી છે, જેને લઈને પોલીસ અને જેલ વહીવટીતંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ અને પરિવારની હાજરી જીવાભાઈના મોત બાદ તેમના

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો હતો. આજે, 15 મેના રોજ, જીવાભાઈના પરિવારજનો સયાજી હોસ્પિટલ પહોંચ્યા અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો. આ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારી સાથે એસડીએમ પણ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા અને તેમણે કસ્ટોડિયલ ડેથના મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી. એસડીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ અંગે તેઓની

પત્ની ગીતાબેને જણાવ્યું હતું કે, તેઓ મજૂરી કામ કરતા હતા અને ઓપરેશન કરાવ્યું હતું. તેઓ જેલમાં હતા અને છોકરાઓને કોઈ ખવડાવનાર ન હોવાથી તેઓ રજા પર આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ફરી હાજર થયા ન હતા અને તેઓ કામ પર હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. લાંબી સારવાર બાદ તેઓને સેન્ટ્રલ જેલમાં હાજર કરવામાં આવ્યા હતા અને સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.

તેઓને હત્યાના ગુન્હામાં તેઓને સજા પડી હતી. વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારીઓએ જણાવ્યું કે, જીવાભાઈની તબિયત ખરાબ હતી. તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓએ અગાઉ સારવાર લઈને આવ્યા અને અમે તેઓને હોસ્પિટલના ડાયરેક્ટ મોકલ્યા હતા.પોલીસે આ મામલે કસ્ટોડિયલ ડેથની નોંધ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

Leave a Reply

Related Post