માછીમારી બંધ: નારાયણ સરોવર, જખૌ અને લખપતનો દરિયાઈ વિસ્તાર માછીમારી માટે તાત્કાલિક બંધ કરાયો

માછીમારી બંધ:નારાયણ સરોવર, જખૌ અને લખપતનો દરિયાઈ વિસ્તાર માછીમારી માટે તાત્કાલિક બંધ કરાયો
Email :

કચ્છની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી પરિસ્થિતિને લઈને માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આગામી આદેશ ન મળે ત્યાં સુધી માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ આ વિસ્તારમાં માછીમારી કરતાં પકડાશે તો

જાહેરનામા ભંગની કડક કાર્યવાહી કરવામાં આવશે.આ માટે મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામક દ્વારા હુકમ કરી તમામ મંડળીઓ અને માછીમારોને જાણ કરી દેવામાં આવી છે.આગામી સૂચના ન મળે ત્યાં સુધી તમામ પ્રકારની માછીમારી બોટને કિનારા પર લાંગરી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે. અત્રે મહત્વનુ઼ છે કે સમગ્ર કચ્છ જિલ્લો એલર્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે. તમામ સ્થળોએ લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય

વિસ્તારોમાં બ્લેકઆઉટ છવાયો છે. કોટેશ્વર મંદિર બંધ કરાવાયું, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ભારત પાકિસ્તાનની સરહદે દરિયા કિનારા પર આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર મહાદેવ મંદિરને તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવ્યું છે અહીંથી ધંધાર્થીઓને પણ ખસેડી લેવામાં આવ્યા છે મંદિરની આસપાસ પોલીસ સહિત વિવિધ એજન્સીઓનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. લક્કી સમુદ્રી સીમા દર્શનની બોટ બંધ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા લક્કીનાળા પાસે સમુદ્ર સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત બોટ

સેવા ચાલુ કરવામાં આવી હતી.જે બે દિવસથી બંધ કરી દેવામાં આવી છે અને આગામી સુચના ન મળે ત્યાં સુધી આ બોટ સેવા બંધ રહેશે.નારાયણ સરોવર અને કોટેશ્વરના દરિયાઇ વિસ્તારમાં માછીમારી માટે ગયેલ 32 જેટલી બોટને કોટેશ્વરની જેટી પર લાંગરી દેવામાં આવી છે. સોમનાથ અને વેરાવળની બોટ 8 દિવસ પહેલાથી લાંગરી દેવાઇ જખૌમાં ગીર સોમનાથ અને વેરાવળની 100 થી 150 જેટલી મોટી બોટો આઠ

દિવસ પહેલાથી જ સુરક્ષિત જગ્યાએ લાંગરી દેવામાં આવી છે અને દરિયામાં ગયેલી તમામ માછીમારી બોટોને તાત્કાલિક ધોરણે બોલાવી લેવાઈ છે. આજે 14 માછીમારી સ્થળોએ તાલીમ અપાશે કચ્છના લખપત, નારાયણ સરોવર, જખૌ, નાના લાયજા, મોટા લાયજા, મોઢવા, ત્રગડી, કુતળીનાળ, નવીનાળ, ઝરપરા, મુન્દ્રા, લુણી ભદ્રેશ્વર, કુકડસર વિસ્તારમાં માછીમારી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ કે જેમાં બોટ માલિક, પગડિયા માછીમારો, મત્સ્ય વેચાણ કરતા માછીમારો, ખલાસી સહિતના આગેવાનોને

માછીમારી બોટની સલામતી કઈ રીતે રાખવી, અજાણી બોટ કે અજાણ્યા ફોન કોલનો જવાબ કેવી રીતે આપવો સહિતની બાબતો અંગે માહિતી આપવામાં આવશે. લુણી દરિયા કિનારાની વસાહત ખાલી કરાવાઇ મુન્દ્રા તાલુકાના લુણીના દરિયાઇ વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિ થાય છે. જેથી દરિયાકિનારે માછીમારો રહેતા હોય છે હાલ તકેદારીના ભાગરૂપે દરિયા કિનારાની તમામ વસાહત ખાલી કરાવી દેવામાં આવી છે અને માછીમારોને ગામમાં રહેણાકની વ્યવસ્થા કરી અપાઇ છે.

Leave a Reply

Related Post