Numerology: ક્યારેક ને ક્યારેક તો ડિપ્રેશનનો શિકાર બને આ જાતકો

Numerology: ક્યારેક ને ક્યારેક તો ડિપ્રેશનનો શિકાર બને આ જાતકો
Email :

આજ કાલ જેને જુઓ તે કોઇને કોઇ ટેન્શનથી ઘેરાયેલુ રહે છે. કોઇને નોકરી જતી રહેશે તેવો ડર તો કોઇને સફળ નહી થવાનો ડર કોઇને સંબંધો ટકશે નહી કે એકલા પડી જવાશે તેવો ડર તો કોઇને વળી રોગ કે બીમારીનો ડર. આજકાલની લાઇફસ્ટાઇલ પણ એવી છે કે દોડતા દોડતા અડધી જિંદગી પૂરી થાય છે. આવામાં ડિપ્રેશન આવી જાય તે ખુબ સહજ વાત છે. ડિપ્રેશનમાં એક અલગ પ્રકારની ઉદાસી વ્યક્તિને ઘેરી લેતી હોય છે. ગમે તેટલી મથામણ પછી પણ તેમાથી બહાર આવવુ સરળ નથી. અંકશાસ્ત્ર અનુસાર એવા કેટલાક મૂળાંક છે જેમને ડિપ્રેશન જલ્દી ઘેરી લે છે.

ડિપ્રેશન-એન્ઝાયટીથી બચી નથી શકતા આ જાતકો

અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ 2, 20, 11 કે 29 તારીખે થયો હોય અને જેમનો મૂળાંક 2 હોય આ જાતકોને આ સમસ્યા વધારે રહે છે. મૂળાંક 2નો સ્વામી ચંદ્ર દેવ છે. આથી મૂળાંક 2 વાળા જાતકો ખુબજ ભાવુક હોય છે તેઓ દીમાગની જગ્યાએ દીલથી કામ લે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાય છે કે ચંદ્રના પ્રભાવવાળા જાતકો ખુબજ લાગણીશીલ હોય છે.

તેમની નિર્ણય શક્તિ બહુ ઓછી હોય છે

જે લોકોની કુંડળીમાં ચંદ્ર દેવ નબળો હોય છે તેઓ મનના ખુબ જ નબળા હોય છે. તેમની નિર્ણય શક્તિ બહુ ઓછી હોય છે. સામાન્ય નિર્ણય લેતા પણ તેઓ વિચારતા રહેતા હોય છે. એક વખત નિર્ણય લીધા પછી વારંવાર વિચાર્યા કરે કે આવુ થયુ હોતતો વધારે સારૂ થાત. આ લોકોને નાની નાની વાતોથી ચિંતા થાય છે. હંમેશા વિચાર્યા કરવાથી ધીરેધીરે તેઓ ડિપ્રેશનનો શિકાર થાય છે. તેમને સહેજ પણ અંદાજ નથી હોતો કે તેમની સાથે આ શું થઇ રહ્યુ છે. તેઓ હંમેશા જાહેરમાં આ વાત સ્વીકારતા ખચકાટ અનુભવે છે.

મૂળાંક 2વાળાની ખુબીઓ

આ જાતકો દીલના ખુબ સાફ હોય છે. ઇમાનદાર અને વફાદાર હોય છે. આ લોકોની પર્સનાલીટી બીજા કરતા ખાસ હોય છે. તેઓ હંમેશા પોતાની દુનિયામાં ખુશ રહે છે.

ચંદ્ર ગ્રહને કેવી રીતે મજબુત કરશો?

ભોલેનાથ મહાદેવની પૂજા કરો. શિવપૂજા કરવાથી ચંદ્ર મજબૂત થાય છે. નિયમિત રીતે સોમવારનો ઉપવાસ કરો. ચાંદીના આભૂષણ ધારણ કરો. સફેદ રંગની કોઇ વસ્તુને હંમેશા સાથે રાખો. ચંદ્ર દેવની પૂજા કરો જળ અર્પણ કરો. બીજાની મદદ કરો.

Leave a Reply

Related Post