રિયાલિટી ચેક: 6 અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરની ઓપીડી જ બંધ, આધાર કાર્ડ વિના દવા પણ અપાતી નથી, કાંકરિયાના UHC સેન્ટરને તાળું

રિયાલિટી ચેક:6 અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરની ઓપીડી જ બંધ, આધાર કાર્ડ વિના દવા પણ અપાતી નથી, કાંકરિયાના UHC સેન્ટરને તાળું
Email :

જરૂરિયાતમંદ લોકો પ્રાથમિક આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે અને તેમનો આરોગ્યનો સ્તર સુધરે તે માટે અમદાવાદ મ્યુનિ.એ શહેરભરમાં 85થી વધુ અર્બન હેલ્થ સેન્ટર સ્થાપ્યાં છે અને તેમાં ફરજ બજાવતા ડોક્ટરોએ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી બેસવાનું હોય છે, પરંતુ મણિનગર, કાંકરિયા, અમરાઈવાડી, જમાલપુર, મીરઝાપુર, શાહપુરનાં અર્બન હેલ્થ સેન્ટરોમાં બપોરના સમયે ડોક્ટરો જ હાજર હોતા નથી, જેને કારણે દર્દીઓએ ધક્કો ખાવો પડે છે. તેમને સાંજે કે

સવારના સમયે આવવા માટે કહેવાય છે. ‘ન્યુ ગુજરાત’ના રિયાલિટી ચેકમાં માત્ર ખાડિયાના અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરના સમયે ડોક્ટર હાજર જોવા મળ્યા. જ્યારે કાંકરિયાના અર્બન હેલ્થ સેન્ટર પર તો તાળું જ હતું. મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડીનો સમય સવારે 9થી સાંજે 5 સુધીનો હોય છે, પરંતુ ડોક્ટરો સવારે 9થી 12 વાગ્યા સુધી જ હાજર રહે છે. જ્યારે કોઈ દર્દી બપોરે 12 વાગ્યા પછી આવે તો તેને

બીજા દિવસે સવારે આવવા માટે કહેવાય છે. અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટરોએ સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી ત્યાર બાદ બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી ઓપીડી જોવાની હોય છે.ફરિયાદ મળશે તો કડક કાર્યવાહી કરીશું નક્કી કરેલા સમય પ્રમાણે બધા ડોક્ટરોએ ફરજ બજાવવાની હોય છે. જ્યાં પણ ડોક્ટરોને અનિયમિત હોવાની કે ગેરહાજર હોવાની ફરિયાદ મળશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત લોકોને કોઈ મુશ્કેલી પડતી હોય તો

તેઓ પણ આ મુદ્દે અમારો સંપર્ક કરી અર્બન હેલ્થ સેન્ટરની ફરિયાદ કરી શકે છે. આવી ગેરરીતિ ચલાવાશે નહિ. - ડો. ભાવિન જોષી, એડિશનલ મેડિકલ હેલ્થ ઓફિસર, મ્યુનિ. અલગ અલગ દિવસોએ કરેલી તપાસમાં અર્બન હેલ્થ સેન્ટરો પર આવા જવાબ મળ્યા વિસ્તાર તારીખ સમય જવાબ શું મળ્યો અમરાઈવાડી 16 મે 3 વાગ્યે આધારકાર્ડ વિના દવા નહિ મળે મીરઝાપુર 16 મે 4 વાગ્યે સાંજે આવજો અથવા કાલે સવારે આવજો

શાહપુર 16 મે 4.30 વાગ્યે કેસ બારી બંધ થઈ છે, કાલે આવજો કાંકરિયા 15 મે 3 વાગ્યે બપોરના સમયે તાળું હોય છે જમાલપુર 15 મે 3.30 વાગ્યે સાંજે આવજો, બપોરે ડોક્ટરો ન હોય આધાર કાર્ડ વિના દવા ન અપાતા લોકોને ધક્કો પડે છે કેટલાંક અર્બન હેલ્થ સેન્ટર પર આધાર કાર્ડ વિના દવા આપવામાં આવતી નથી, જેથી દર્દીઓને ધક્કો પડે છે. અમરાઈવાડીના અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓને

આધાર કાર્ડ ફરજિયાત લાવવા દબાણ કરવામાં આવે છે. અહીં એક દર્દી ડોક્ટરે લખેલી દવા લેવા ગયા ત્યારે તેમને કહેવાયું કે, આધાર કાર્ડ વિના દવા નહિ મળે. જોકે આવો કોઈ નિયમ ન હોવાનું મ્યુનિ.ના ડેપ્યુટી મેડિકલ ઓફિસર કહી રહ્યા છે. તેમણે કહ્યું કે, અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવા માટે આધાર કાર્ડની જરૂર નથી, જે સેન્ટર પર આધાર કાર્ડ લાવવા દબાણ કરવામાં આવતું હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Related Post