સર્બિયાની સંસદમાં યુદ્ધ જેવી સ્થિતિ, VIDEO: સરકારના એજન્ડાથી નારાજ વિપક્ષી સાંસદોએ સ્મોક-બોમ્બ ફેંક્યા, સિક્યોરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી

સર્બિયાની સંસદમાં યુદ્ધ જેવી સ્થિતિ, VIDEO:સરકારના એજન્ડાથી નારાજ વિપક્ષી સાંસદોએ સ્મોક-બોમ્બ ફેંક્યા, સિક્યોરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી
Email :

મંગળવારે યુરોપિયન દેશ સર્બિયાની સંસદની અંદર વિપક્ષી સાંસદોએ સ્મોક ગ્રેનેડ ફેંક્યા હતા. સરકારની નીતિઓના વિરોધમાં અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં વિપક્ષે આ પ્રદર્શન કર્યું હતું. સર્બિયાની સંસદમાં સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટીના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધને આ સત્રની કાર્યસૂચિને મંજૂરી મળતાંની સાથે જ કેટલાક વિપક્ષી નેતાઓ પોતાની બેઠકો પરથી ઊભા થઈ ગયા અને સ્પીકરની ખુરસી તરફ દોડી ગયા. તેમણે

ગૃહમાં સ્મોક ગ્રેનેડ ફેંક્યા, જેનાથી ગૃહ કાળા ધુમાડાથી ભરાઈ ગયું. આ દરમિયાન તેમની સુરક્ષા ગાર્ડ્સ સાથે ઝપાઝપી પણ થઈ. પ્રધાનમંત્રીના રાજીનામા પર થવાની હતી ચર્ચા સર્બિયન સંસદ મંગળવારે દેશની યુનિવર્સિટીઓ માટે ભંડોળ વધારવા માટે એક કાયદો પસાર કરવાની હતી. આ સાથે જ વડાપ્રધાન મિલોસ વુસેવિકના રાજીનામા પર પણ ચર્ચા થવાની હતી, પરંતુ શાસક ગઠબંધન દ્વારા રજૂ કરાયેલી કાર્યસૂચિ

પરના અન્ય મુદ્દાઓએ વિપક્ષ ગુસ્સે ભરાયા. આ પછી આ હંગામો થયો. સ્પીકર એના બ્રનાબિકે જણાવ્યું હતું કે હુમલામાં બે સાંસદ ઘાયલ થયા છે, જેમાંથી એક જાસ્મિના ઓબ્રાડોવિક ગંભીર હાલતમાં છે. સ્પીકરે કહ્યું હતં કે સંસદ એનું કામ ચાલુ રાખશે. 15 લોકોનાં મોત બાદ વિરોધપ્રદર્શન શરૂ થયાં હકીકતમાં સર્બિયાના બીજા સૌથી મોટા શહેર નોવી સેડમાં 1 નવેમ્બરના રોજ રેલવે સ્ટેશનની

છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. આમાં પંદર લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ દેશમાં સરકાર વિરુદ્ધ વિરોધપ્રદર્શનો શરૂ થયાં. હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા અને આ ઘટના માટે જવાબદારીની માગણી કરવા લાગ્યા. લોકોએ આરોપ લગાવ્યો કે બાંધકામ પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારને કારણે બાલ્કની તૂટી પડી. વિદ્યાર્થીઓ 15 મિનિટ સુધી લોકોની અવરજવર બંધ રાખતા હતા આ વિરોધપ્રદર્શનમાં વિદ્યાર્થીઓ

મોટેભાગે જોડાયા હતા. તેઓ દરરોજ સવારે 11:52 વાગ્યે 15 મિનિટ માટે દેશભરમાં વાહનોની અવરજવર બંધ કરતા હતા. આ એ જ સમયે હતો, જ્યારે રેલવે સ્ટેશન પર બાલ્કની તૂટી પડવાની ઘટના બની હતી. આ ઉપરાંત દેશની યુનિવર્સિટીઓમાં અભ્યાસ પણ ઠપ થઈ ગયો હતો. ગુસ્સો શાંત કરવા માટે વડાપ્રધાને રાજીનામું આપ્યું હતું 24 નવેમ્બરના રોજ દેશમાં વિરોધપ્રદર્શનો વધુ તીવ્ર બન્યાં. લોકોએ

કામ પર જવાનું બંધ કરી દીધું. લોકોનો ગુસ્સો વધતો જોઈને વડાપ્રધાન વુસેવિકે ગયા મહિને કહ્યું હતું કે તેઓ દેશમાં તણાવ વધુ વધે એવું નથી ઇચ્છતા, તેથી પરિસ્થિતિને શાંત કરવા માટે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. વુસેવિક મે 2024 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપવાના હતા. આ પહેલાં તેઓ નાયબ વડાપ્રધાન અને સંરક્ષણમંત્રીનાં પદો સંભાળી ચૂક્યાં છે.

Related Post