પાકિસ્તાની સેનાના પ્રવક્તાની ભારતને ધમકી: કહ્યું- તમે અમારું પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું

પાકિસ્તાની સેનાના પ્રવક્તાની ભારતને ધમકી:કહ્યું- તમે અમારું પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું
Email :

પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ ભારતને ધમકીભર્યું નિવેદન આપ્યું છે. શરીફે એક નિવેદનમાં કહ્યું- જો તમે (ભારત) અમારું પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું. શરીફે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો વાઇરલ થયો છે, જોકે આ વીડિયો કયા કાર્યક્રમ અને સ્થળનો છે એ અંગે હાલમાં કોઈ માહિતી નથી. હકીકતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની જળ કરાર રદ કરી દીધી છે અને પાકિસ્તાન જતું પાણી બંધ કરી દીધું છે. પાકિસ્તાને કહ્યું- અમે અમારી જમીનનો ઉપયોગ આતંકવાદ

માટે નહીં થવા દઈએ પાકિસ્તાનના વિદેશમંત્રી અને નાયબ વડાપ્રધાન ઇશાક ડારે ગુરુવારે દાવો કર્યો હતો કે ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે કરવામાં આવશે નહીં. ડારે જણાવ્યું હતું કે આ નિર્ણય તેમની તાજેતરની બીજિંગ મુલાકાત દરમિયાન ત્રણેય દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ઇસ્લામાબાદમાં મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે પાકિસ્તાન તેના પાડોશી અફઘાનિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ડારે કહ્યું હતું કે અમે આતંકવાદને સહન નહીં કરીએ. અમારી સરકારનું સ્પષ્ટ વલણ એ છે કે અમે આતંકવાદનો સામનો 2013 અને

2018ની જેમ જ કરીશું. અસીમ મુનીરને ફિલ્ડ માર્શલનો બૈટન સોંપવામાં આવ્યો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ગુરુવારે ફિલ્ડ માર્શલનો બૈટન આર્મી ચીફ અસીમ મુનીરને સોંપ્યો. ભારત વિરુદ્ધ ઓપરેશન બુન્યાન-ઉમ-માર્સૂસ દરમિયાન સેનાનું નેતૃત્વ કરવા બદલ મુનીરને બઢતી આપવામાં આવી હતી. પાકિસ્તાનમાં અસીમ મુનીર પહેલાં 1959માં લશ્કરી સરમુખત્યાર અયુબ ખાને પોતાને ફિલ્ડ માર્શલ જાહેર કર્યા હતા. ફિલ્ડ માર્શલ એ પાકિસ્તાન આર્મીમાં સર્વોચ્ચ લશ્કરી રેન્ક છે, જેને ફાઇવ-સ્ટાર રેન્ક ગણવામાં આવે છે. આ રેન્ક જનરલ (ચાર સ્ટાર)થી ઉપર છે. પાકિસ્તાનમાં ફિલ્ડ માર્શલનો હોદ્દો આર્મી, નેવી અને એરફોર્સમાં સૌથી ઊંચો છે. શરીફનો

દાવો- પરંપરાગત યુદ્ધમાં ભારત આપણાથી શ્રેષ્ઠ નથી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે કહ્યું હતું કે તેમના દેશની સેનાએ એ ધારણાને ખોટી સાબિત કરી દીધી છે કે પરંપરાગત યુદ્ધમાં ભારત પાકિસ્તાન કરતાં શ્રેષ્ઠ છે. ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતરના ચેકનું વિતરણ કરવા માટે શરીફ ગુરુવારે મુઝફ્ફરાબાદ પહોંચ્યા હતા. તેણે કહ્યું હતું કે પરમાણુ સશસ્ત્ર સપન્ન પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે, જે ખતરનાક વળાંક લઈ શકે છે. એનું પરિણામ ખતરનાક હોઈ શકે છે. પાકિસ્તાનના મંત્રીએ કહ્યું- બલૂચ આર્મી અને TTP ભારત સાથે

જોડાયેલા પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે ગુરુવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં સક્રિય બે મોટાં આતંકવાદી જૂથો ભારતના ઈશારે કામ કરી રહ્યાં છે. જિયો ન્યૂઝ પરના એક કાર્યક્રમમાં તેણે કહ્યું હતું કે બલૂચ આર્મી (BAL) અને તાલિબાન પાકિસ્તાન (TTP) ભારતનાં પ્રોક્સી સંગઠનો છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બુધવારે એક સ્કૂલ બસ પર થયેલા હુમલામાં ત્રણ બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં છે. આ અંગે ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે તેઓ આ મામલે ભારતની સંડોવણીના પુરાવા રજૂ કરશે. હુમલા બાદ પીએમ શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસીમ મુનીર પોતે ક્વેટા

પહોંચ્યા. અહીં તેણે કહ્યું હતું કે આ હુમલા માટે જવાબદાર લોકોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. શરીફે આ હુમલા માટે 'ફિત્ના અલ હિન્દુસ્તાન'ને જવાબદાર ઠેરવ્યું હતું. ભારતે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા ભારતે પીએમ શાહબાઝના આરોપોને નકારી કાઢ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાકિસ્તાનના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આતંકવાદ પરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાનની આ બીજી રણનીતિ છે. પાકિસ્તાનની આદત બની ગઈ છે કે તે પોતાની આતંકવાદતરફી છબિ અને આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે દર વખતે ભારત પર દોષારોપણ કરે છે.

Leave a Reply

Related Post